Rajkotમાં ત્રણ લોકોના થયા Heart Attackને કારણે મોત, જાણો શા માટે નાની ઉંમરે લોકોને આવી રહ્યા છે Heart Attack?


  • Published By :
  • Published Date : 2023-09-21 09:57:48

કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. લાખો લોકોના મોત કોરોનાને કારણે તેમજ કોરોના બાદ થતા સાઈડ ઈફેક્ટને કારણે થયા છે. કોરોનાના અનેક વેરિયંટ પણ આવ્યા જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. કોરોના તો જતો રહ્યો પરંતુ તેને કારણે લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે જોવા મળી રહ્યો છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારે થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. એક સમાચાર રાજકોટથી સામે આવ્યા છે જેમાં 3 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 


રાજકોટમાં હાર્ટ એટેકને કારણે ત્રણ લોકોના મોત 

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ અવાર-નવાર સામે આવી રહ્યા છે. કોઈ વ્યક્તિ જીમમાં બેહોશ થઈ જાય છે તો કોઈ વ્યક્તિ ડાન્સ કરતા કરતા બેહોસ થઈ જાય છે. લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. પહેલા આપણે માનતા હતા કે હૃદય હુમલો માત્ર વડીલોને આવે. ધીમે ધીમે જે પ્રમાણે આપણી સામે કિસ્સાઓ સામે આવ્યા તેને જોઈને લાગ્યું કે હાર્ટ એટેક યુવાનોને પણ ભરખી રહ્યો છે. પરંતુ હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સ્કૂલમાં અભ્યાસ કરતા છોકરાઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા વિદ્યાર્થીઓનું જીવન પૂર્ણ થઈ જાય છે. ત્યારે રાજકોટમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિની ઉંમર 26 વર્ષની, બીજાની 40 વર્ષની તેમજ ત્રીજા વ્યક્તિની ઉંમર 41 વર્ષની હતી.  


કામના દબાણને કારણે પૂરૂષોમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા!

એ વાત પણ નકારી ન શકાય કે હજી સુધી જે પણ કિસ્સાઓ આપણી સામે આવ્યા છે હાર્ટ એટેકના તેમાં પુરૂષોની સંખ્યા વધારે છે. મહિલાઓને પણ  હાર્ટ એટેક આવે છે પરંતુ તેવા કિસ્સાઓ ઘણા ઓછા જોવા મળી રહ્યા છે. પૂરૂષો હાર્ટ એટેકનો સૌથી વધારે શિકાર બનતા હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ તારણ રિસર્ચ દ્વારા કરવામાં આવતા રિસર્ચમાં સામે આવ્યું છે કે કામનું દબાણ વધારે હોવાને કારણે તેમજ ઓફિસમાં પ્રોત્સાહન ન મળવાને કારણે પુરૂષોમાં સ્ટ્રેસ લેવલ વધી જાય છે. અંદરને અંદર મુંજવાતા હોય છે. જેને કારણે હાર્ટ એટેકનો ભોગ તે બનતા રહે છે. 


પોતાના શરીરની લોકો નથી રાખતા કાળજી! 

આ તો થઈ એક વાત બીજી વાત પર ધ્યાન આપીએ તો દિલ સુધી લોહી ન પહોંચવાને કારણે પણ લોકો હાર્ટ એટેકનો ભોગ બનતા હોય છે. એવું પણ સામે આવ્યું છે કે મુખ્યત્વે લોકો ઓફિસમાં વધારે સમય વિતાવે છે. બેઠાડું જીવન થઈ જવાને કારણે તેમના જીવન પર જોખમ મંડરાતું રહે છે. પોતાના શરીરની કાળજી લોકો નથી રાખતા. પોતાના શરીરનું ધ્યાન રાખવું જોઈએ. શરીરમાં કંઈ પણ ફેરફાર જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને ડોક્ટર જે પ્રમાણે સલાહ આપે તે પ્રમાણે, તેમના instructionને ફોલો કરવા જોઈએ.


નાની ઉંમરે શા માટે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ?  

નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે તેની પાછળ લાઈફ સ્ટાઈલનો મહત્વનો ભાગ છે. આપણી લાઈફ સ્ટાઈલને કારણે અનેક વખત આપણે શરીરની તંદુરસ્તી પર વિશેષ ધ્યાન નથી આપતા. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓમાં ડાયાબિટીસ, ધ્રૂમપાન, સ્ટ્રેસ, Heridity Health Issues,હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ તેમજ શરીરનું પૂરતા પ્રમાણમાં હલન ન થવું. તે સિવાય તણાવ અને ડિપ્રેશન પણ એક મહત્વનું કારણ છે જેનો ભોગ નાની ઉંમરે લોકો બનતા હોય છે. લોકો હતાશ જલ્દી થઈ જાય છે જેને કારણે તેમનું સ્ટ્રેસ લેવલ હાઈ થઈ જાય છે અને અંતે હાર્ટ  એટેક તેમનો ભોગ લઈ લે છે. 


આવા કિસ્સાઓમાં બેદરકારી રાખવી બની શકે છે જીવલેણ!

દરેકે પોતાના શરીરનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. કસરત કરવા માટે ટાઈમ કાઢવો જોઈએ, પોતાના દિલની વાત પોતાના મિત્રો સાથે અથવા તો પરિવારજનો સાથે શેર કરવી જોઈએ. લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવો જોઈએ. અને જો શરીરમાં થોડા પણ ફેરફાર લાગે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.કારણ કે આવા કિસ્સાઓમાં રાખવામાં આવેલી બેદરકારી તમારી તો ચિંતા વધારે છે પરંતુ પરિવારના સભ્યોની પણ ચિંતા વધારે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.