Rajkotમાં ત્રણ લોકોના થયા Heart Attackને કારણે મોત, જાણો શા માટે નાની ઉંમરે લોકોને આવી રહ્યા છે Heart Attack?


  • Published By :
  • Published Date : 2023-09-21 09:57:48

કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. લાખો લોકોના મોત કોરોનાને કારણે તેમજ કોરોના બાદ થતા સાઈડ ઈફેક્ટને કારણે થયા છે. કોરોનાના અનેક વેરિયંટ પણ આવ્યા જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. કોરોના તો જતો રહ્યો પરંતુ તેને કારણે લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે જોવા મળી રહ્યો છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારે થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. એક સમાચાર રાજકોટથી સામે આવ્યા છે જેમાં 3 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 


રાજકોટમાં હાર્ટ એટેકને કારણે ત્રણ લોકોના મોત 

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ અવાર-નવાર સામે આવી રહ્યા છે. કોઈ વ્યક્તિ જીમમાં બેહોશ થઈ જાય છે તો કોઈ વ્યક્તિ ડાન્સ કરતા કરતા બેહોસ થઈ જાય છે. લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. પહેલા આપણે માનતા હતા કે હૃદય હુમલો માત્ર વડીલોને આવે. ધીમે ધીમે જે પ્રમાણે આપણી સામે કિસ્સાઓ સામે આવ્યા તેને જોઈને લાગ્યું કે હાર્ટ એટેક યુવાનોને પણ ભરખી રહ્યો છે. પરંતુ હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સ્કૂલમાં અભ્યાસ કરતા છોકરાઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા વિદ્યાર્થીઓનું જીવન પૂર્ણ થઈ જાય છે. ત્યારે રાજકોટમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિની ઉંમર 26 વર્ષની, બીજાની 40 વર્ષની તેમજ ત્રીજા વ્યક્તિની ઉંમર 41 વર્ષની હતી.  


કામના દબાણને કારણે પૂરૂષોમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા!

એ વાત પણ નકારી ન શકાય કે હજી સુધી જે પણ કિસ્સાઓ આપણી સામે આવ્યા છે હાર્ટ એટેકના તેમાં પુરૂષોની સંખ્યા વધારે છે. મહિલાઓને પણ  હાર્ટ એટેક આવે છે પરંતુ તેવા કિસ્સાઓ ઘણા ઓછા જોવા મળી રહ્યા છે. પૂરૂષો હાર્ટ એટેકનો સૌથી વધારે શિકાર બનતા હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ તારણ રિસર્ચ દ્વારા કરવામાં આવતા રિસર્ચમાં સામે આવ્યું છે કે કામનું દબાણ વધારે હોવાને કારણે તેમજ ઓફિસમાં પ્રોત્સાહન ન મળવાને કારણે પુરૂષોમાં સ્ટ્રેસ લેવલ વધી જાય છે. અંદરને અંદર મુંજવાતા હોય છે. જેને કારણે હાર્ટ એટેકનો ભોગ તે બનતા રહે છે. 


પોતાના શરીરની લોકો નથી રાખતા કાળજી! 

આ તો થઈ એક વાત બીજી વાત પર ધ્યાન આપીએ તો દિલ સુધી લોહી ન પહોંચવાને કારણે પણ લોકો હાર્ટ એટેકનો ભોગ બનતા હોય છે. એવું પણ સામે આવ્યું છે કે મુખ્યત્વે લોકો ઓફિસમાં વધારે સમય વિતાવે છે. બેઠાડું જીવન થઈ જવાને કારણે તેમના જીવન પર જોખમ મંડરાતું રહે છે. પોતાના શરીરની કાળજી લોકો નથી રાખતા. પોતાના શરીરનું ધ્યાન રાખવું જોઈએ. શરીરમાં કંઈ પણ ફેરફાર જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને ડોક્ટર જે પ્રમાણે સલાહ આપે તે પ્રમાણે, તેમના instructionને ફોલો કરવા જોઈએ.


નાની ઉંમરે શા માટે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ?  

નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે તેની પાછળ લાઈફ સ્ટાઈલનો મહત્વનો ભાગ છે. આપણી લાઈફ સ્ટાઈલને કારણે અનેક વખત આપણે શરીરની તંદુરસ્તી પર વિશેષ ધ્યાન નથી આપતા. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓમાં ડાયાબિટીસ, ધ્રૂમપાન, સ્ટ્રેસ, Heridity Health Issues,હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ તેમજ શરીરનું પૂરતા પ્રમાણમાં હલન ન થવું. તે સિવાય તણાવ અને ડિપ્રેશન પણ એક મહત્વનું કારણ છે જેનો ભોગ નાની ઉંમરે લોકો બનતા હોય છે. લોકો હતાશ જલ્દી થઈ જાય છે જેને કારણે તેમનું સ્ટ્રેસ લેવલ હાઈ થઈ જાય છે અને અંતે હાર્ટ  એટેક તેમનો ભોગ લઈ લે છે. 


આવા કિસ્સાઓમાં બેદરકારી રાખવી બની શકે છે જીવલેણ!

દરેકે પોતાના શરીરનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. કસરત કરવા માટે ટાઈમ કાઢવો જોઈએ, પોતાના દિલની વાત પોતાના મિત્રો સાથે અથવા તો પરિવારજનો સાથે શેર કરવી જોઈએ. લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવો જોઈએ. અને જો શરીરમાં થોડા પણ ફેરફાર લાગે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.કારણ કે આવા કિસ્સાઓમાં રાખવામાં આવેલી બેદરકારી તમારી તો ચિંતા વધારે છે પરંતુ પરિવારના સભ્યોની પણ ચિંતા વધારે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.