Rajkotમાં ત્રણ લોકોના થયા Heart Attackને કારણે મોત, જાણો શા માટે નાની ઉંમરે લોકોને આવી રહ્યા છે Heart Attack?


  • Published By :
  • Published Date : 2023-09-21 09:57:48

કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. લાખો લોકોના મોત કોરોનાને કારણે તેમજ કોરોના બાદ થતા સાઈડ ઈફેક્ટને કારણે થયા છે. કોરોનાના અનેક વેરિયંટ પણ આવ્યા જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. કોરોના તો જતો રહ્યો પરંતુ તેને કારણે લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે જોવા મળી રહ્યો છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારે થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. એક સમાચાર રાજકોટથી સામે આવ્યા છે જેમાં 3 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 


રાજકોટમાં હાર્ટ એટેકને કારણે ત્રણ લોકોના મોત 

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ અવાર-નવાર સામે આવી રહ્યા છે. કોઈ વ્યક્તિ જીમમાં બેહોશ થઈ જાય છે તો કોઈ વ્યક્તિ ડાન્સ કરતા કરતા બેહોસ થઈ જાય છે. લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. પહેલા આપણે માનતા હતા કે હૃદય હુમલો માત્ર વડીલોને આવે. ધીમે ધીમે જે પ્રમાણે આપણી સામે કિસ્સાઓ સામે આવ્યા તેને જોઈને લાગ્યું કે હાર્ટ એટેક યુવાનોને પણ ભરખી રહ્યો છે. પરંતુ હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સ્કૂલમાં અભ્યાસ કરતા છોકરાઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા વિદ્યાર્થીઓનું જીવન પૂર્ણ થઈ જાય છે. ત્યારે રાજકોટમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિની ઉંમર 26 વર્ષની, બીજાની 40 વર્ષની તેમજ ત્રીજા વ્યક્તિની ઉંમર 41 વર્ષની હતી.  


કામના દબાણને કારણે પૂરૂષોમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા!

એ વાત પણ નકારી ન શકાય કે હજી સુધી જે પણ કિસ્સાઓ આપણી સામે આવ્યા છે હાર્ટ એટેકના તેમાં પુરૂષોની સંખ્યા વધારે છે. મહિલાઓને પણ  હાર્ટ એટેક આવે છે પરંતુ તેવા કિસ્સાઓ ઘણા ઓછા જોવા મળી રહ્યા છે. પૂરૂષો હાર્ટ એટેકનો સૌથી વધારે શિકાર બનતા હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ તારણ રિસર્ચ દ્વારા કરવામાં આવતા રિસર્ચમાં સામે આવ્યું છે કે કામનું દબાણ વધારે હોવાને કારણે તેમજ ઓફિસમાં પ્રોત્સાહન ન મળવાને કારણે પુરૂષોમાં સ્ટ્રેસ લેવલ વધી જાય છે. અંદરને અંદર મુંજવાતા હોય છે. જેને કારણે હાર્ટ એટેકનો ભોગ તે બનતા રહે છે. 


પોતાના શરીરની લોકો નથી રાખતા કાળજી! 

આ તો થઈ એક વાત બીજી વાત પર ધ્યાન આપીએ તો દિલ સુધી લોહી ન પહોંચવાને કારણે પણ લોકો હાર્ટ એટેકનો ભોગ બનતા હોય છે. એવું પણ સામે આવ્યું છે કે મુખ્યત્વે લોકો ઓફિસમાં વધારે સમય વિતાવે છે. બેઠાડું જીવન થઈ જવાને કારણે તેમના જીવન પર જોખમ મંડરાતું રહે છે. પોતાના શરીરની કાળજી લોકો નથી રાખતા. પોતાના શરીરનું ધ્યાન રાખવું જોઈએ. શરીરમાં કંઈ પણ ફેરફાર જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને ડોક્ટર જે પ્રમાણે સલાહ આપે તે પ્રમાણે, તેમના instructionને ફોલો કરવા જોઈએ.


નાની ઉંમરે શા માટે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ?  

નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે તેની પાછળ લાઈફ સ્ટાઈલનો મહત્વનો ભાગ છે. આપણી લાઈફ સ્ટાઈલને કારણે અનેક વખત આપણે શરીરની તંદુરસ્તી પર વિશેષ ધ્યાન નથી આપતા. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓમાં ડાયાબિટીસ, ધ્રૂમપાન, સ્ટ્રેસ, Heridity Health Issues,હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ તેમજ શરીરનું પૂરતા પ્રમાણમાં હલન ન થવું. તે સિવાય તણાવ અને ડિપ્રેશન પણ એક મહત્વનું કારણ છે જેનો ભોગ નાની ઉંમરે લોકો બનતા હોય છે. લોકો હતાશ જલ્દી થઈ જાય છે જેને કારણે તેમનું સ્ટ્રેસ લેવલ હાઈ થઈ જાય છે અને અંતે હાર્ટ  એટેક તેમનો ભોગ લઈ લે છે. 


આવા કિસ્સાઓમાં બેદરકારી રાખવી બની શકે છે જીવલેણ!

દરેકે પોતાના શરીરનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. કસરત કરવા માટે ટાઈમ કાઢવો જોઈએ, પોતાના દિલની વાત પોતાના મિત્રો સાથે અથવા તો પરિવારજનો સાથે શેર કરવી જોઈએ. લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવો જોઈએ. અને જો શરીરમાં થોડા પણ ફેરફાર લાગે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.કારણ કે આવા કિસ્સાઓમાં રાખવામાં આવેલી બેદરકારી તમારી તો ચિંતા વધારે છે પરંતુ પરિવારના સભ્યોની પણ ચિંતા વધારે છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી