ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્લીના LGને 2 પાનાની ચિઠ્ઠી લખી 5 દાવા ઠોક્યા


  • Published By :
  • Published Date : 2022-11-01 20:40:50

આજે ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્લીના લેફ્ટીનેન્ટ ગવર્નરને ચિઠ્ઠી લખી છે જેમાં તેણે 5 દાવા કર્યા છે. આ દાવામાં એક દાવો એવો પણ છે કે સુકેશે આમ આદમી પાર્ટીને 50 કરોડ રૂપિયા આપ્યા છે. 


કોણ છે સુકેશ ચંદ્રશેખર 

સુકેશ ચંદ્રશેખરના નામનો ઠક દિલ્લીની જેલમાં બંધ છે. સુકેશે માત્ર 17 વર્ષની ઉંમરમાં જ લોકોને ઠગવાનું શરૂ કરી દીધું હતું અને અત્યાર સુધીમાં તેણે ભારતમાં બોલિવુટ સેલિબ્રિટી, નેતાઓ અને બિઝનેસમેન સહિતના અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગ્યા છે. સુકેશ ચંદ્રશેખરની ઠગાઈમાં અભિનેત્રી જૈકલિન ફર્નાન્ડીઝ અને ડાન્સર નોરા ફતેહીનું પણ નામ પણ સામે આવ્યું છે.


શું છે સુકેશ ચંદ્રશેખરના પાંચ દાવા?

સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે મારા પર દબાવ નાખવામાં આવ્યું હતું અને 50 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. સુકેશે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીએ તમામ રકમ કોલકાતાના સત્યેન્દ્ર જૈનના નજીકના ચતુર્વેદીએ વસૂલ્યા હતા. સુકેશે દાવો કર્યો છે કે મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા અને દિલ્લી ડીજી જેલ સંદીપ ગોયલને 12 કરોડ રૂપિયા આપ્યા છે. ઈડીને મેં જેલ ડીજીને આપેલા પૈસા અને જેલ પ્રશાસનના ગોરખધંધા વિશે માહિતી આપી છે. મેં દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરીને આ રેકેટ મામલે સીબીઆઈ તપાસ કરવાની માગ કરી છે.


સત્યેન્દ્ર જૈન મને ડીજી મારફતે ધમકાવે છે 

સત્યેન્દ્ર જૈન દિલ્લીની તિહાડ જેલમાં બંધ છે અને તેઓ મને ડીજી જેલ અને જેલ પ્રશાસન મારફતે ધમકાવી રહ્યા છે. આ તમામ લોકો મારા પર પ્રેશર બનાવી રહ્યા છે કે હું ફરિયાદ લઈ લઉં. મને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યો છે. 


સત્યેન્દ્ર જૈન મને જેલમાં મળવા આવતા હતા

સુકેશે દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈન મને જેલમાં મળવા આવતા હતા. તેઓ જેલ મંત્રી હતા અને મને પૂછતા હતા કે આમ આદમી પાર્ટીને રૂપિયા આપ્યા છે તે મામલે ઈડીને જાણકારી નથી આપીને. સુકેશે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સત્યેન્દ્ર જૈનના સેક્રેટરીએ મને જણાવ્યું હતું  કે જેલમાં સુરક્ષા અને જરૂરતનો સામાન જોઈતો હોય તો દર મહિને 2 કરોડ રૂપિયા આપવા પડશે. 


પૈસા આપીને આપને કહ્યું હતું કે મને મોટું પદ આપે 

સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તે 2015થી સત્યેન્દ્ર જૈનને ઓળખે છે. મેં આમ આદમી પાર્ટીને એ વાયદાથી 50 કરોડ રૂપિયા આપ્યા હતા કે દક્ષિણ ભારતમાં મને કોઈ મોટું પદ આપે અથવા રાજ્યસભામાં પહોંચવા મદદ કરે. 


મેં સીબીઆઈને ફંડીંગની જાણકારી આપીઃ સુકેશનો દાવો

સુકેશે દાવો કર્યો છે કે તેણે આપ અને જેલ ડીજીના પેમેન્ટની જાણકારી સીબીઆઈને આપી હતી અને દિલ્લી હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસ માટે અરજી પણ દાખલ કરી હતી. સત્યેન્દ્ર જૈન મને ડરાવતા હતા જેથી હું મારી ફરિયાદ લઈ લઉં તેવો સુકેશ ચંદ્ર શેખરે દિલ્લીના લેફ્ટીનેન્ટ ગવર્નરને ચિઠ્ઠી લખી છે તેમાં દાવો કર્યો છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.