ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્લીના LGને 2 પાનાની ચિઠ્ઠી લખી 5 દાવા ઠોક્યા


  • Published By :
  • Published Date : 2022-11-01 20:40:50

આજે ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્લીના લેફ્ટીનેન્ટ ગવર્નરને ચિઠ્ઠી લખી છે જેમાં તેણે 5 દાવા કર્યા છે. આ દાવામાં એક દાવો એવો પણ છે કે સુકેશે આમ આદમી પાર્ટીને 50 કરોડ રૂપિયા આપ્યા છે. 


કોણ છે સુકેશ ચંદ્રશેખર 

સુકેશ ચંદ્રશેખરના નામનો ઠક દિલ્લીની જેલમાં બંધ છે. સુકેશે માત્ર 17 વર્ષની ઉંમરમાં જ લોકોને ઠગવાનું શરૂ કરી દીધું હતું અને અત્યાર સુધીમાં તેણે ભારતમાં બોલિવુટ સેલિબ્રિટી, નેતાઓ અને બિઝનેસમેન સહિતના અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગ્યા છે. સુકેશ ચંદ્રશેખરની ઠગાઈમાં અભિનેત્રી જૈકલિન ફર્નાન્ડીઝ અને ડાન્સર નોરા ફતેહીનું પણ નામ પણ સામે આવ્યું છે.


શું છે સુકેશ ચંદ્રશેખરના પાંચ દાવા?

સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે મારા પર દબાવ નાખવામાં આવ્યું હતું અને 50 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. સુકેશે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીએ તમામ રકમ કોલકાતાના સત્યેન્દ્ર જૈનના નજીકના ચતુર્વેદીએ વસૂલ્યા હતા. સુકેશે દાવો કર્યો છે કે મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા અને દિલ્લી ડીજી જેલ સંદીપ ગોયલને 12 કરોડ રૂપિયા આપ્યા છે. ઈડીને મેં જેલ ડીજીને આપેલા પૈસા અને જેલ પ્રશાસનના ગોરખધંધા વિશે માહિતી આપી છે. મેં દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરીને આ રેકેટ મામલે સીબીઆઈ તપાસ કરવાની માગ કરી છે.


સત્યેન્દ્ર જૈન મને ડીજી મારફતે ધમકાવે છે 

સત્યેન્દ્ર જૈન દિલ્લીની તિહાડ જેલમાં બંધ છે અને તેઓ મને ડીજી જેલ અને જેલ પ્રશાસન મારફતે ધમકાવી રહ્યા છે. આ તમામ લોકો મારા પર પ્રેશર બનાવી રહ્યા છે કે હું ફરિયાદ લઈ લઉં. મને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યો છે. 


સત્યેન્દ્ર જૈન મને જેલમાં મળવા આવતા હતા

સુકેશે દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈન મને જેલમાં મળવા આવતા હતા. તેઓ જેલ મંત્રી હતા અને મને પૂછતા હતા કે આમ આદમી પાર્ટીને રૂપિયા આપ્યા છે તે મામલે ઈડીને જાણકારી નથી આપીને. સુકેશે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સત્યેન્દ્ર જૈનના સેક્રેટરીએ મને જણાવ્યું હતું  કે જેલમાં સુરક્ષા અને જરૂરતનો સામાન જોઈતો હોય તો દર મહિને 2 કરોડ રૂપિયા આપવા પડશે. 


પૈસા આપીને આપને કહ્યું હતું કે મને મોટું પદ આપે 

સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તે 2015થી સત્યેન્દ્ર જૈનને ઓળખે છે. મેં આમ આદમી પાર્ટીને એ વાયદાથી 50 કરોડ રૂપિયા આપ્યા હતા કે દક્ષિણ ભારતમાં મને કોઈ મોટું પદ આપે અથવા રાજ્યસભામાં પહોંચવા મદદ કરે. 


મેં સીબીઆઈને ફંડીંગની જાણકારી આપીઃ સુકેશનો દાવો

સુકેશે દાવો કર્યો છે કે તેણે આપ અને જેલ ડીજીના પેમેન્ટની જાણકારી સીબીઆઈને આપી હતી અને દિલ્લી હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસ માટે અરજી પણ દાખલ કરી હતી. સત્યેન્દ્ર જૈન મને ડરાવતા હતા જેથી હું મારી ફરિયાદ લઈ લઉં તેવો સુકેશ ચંદ્ર શેખરે દિલ્લીના લેફ્ટીનેન્ટ ગવર્નરને ચિઠ્ઠી લખી છે તેમાં દાવો કર્યો છે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.