ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્લીના LGને 2 પાનાની ચિઠ્ઠી લખી 5 દાવા ઠોક્યા


  • Published By :
  • Published Date : 2022-11-01 20:40:50

આજે ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્લીના લેફ્ટીનેન્ટ ગવર્નરને ચિઠ્ઠી લખી છે જેમાં તેણે 5 દાવા કર્યા છે. આ દાવામાં એક દાવો એવો પણ છે કે સુકેશે આમ આદમી પાર્ટીને 50 કરોડ રૂપિયા આપ્યા છે. 


કોણ છે સુકેશ ચંદ્રશેખર 

સુકેશ ચંદ્રશેખરના નામનો ઠક દિલ્લીની જેલમાં બંધ છે. સુકેશે માત્ર 17 વર્ષની ઉંમરમાં જ લોકોને ઠગવાનું શરૂ કરી દીધું હતું અને અત્યાર સુધીમાં તેણે ભારતમાં બોલિવુટ સેલિબ્રિટી, નેતાઓ અને બિઝનેસમેન સહિતના અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગ્યા છે. સુકેશ ચંદ્રશેખરની ઠગાઈમાં અભિનેત્રી જૈકલિન ફર્નાન્ડીઝ અને ડાન્સર નોરા ફતેહીનું પણ નામ પણ સામે આવ્યું છે.


શું છે સુકેશ ચંદ્રશેખરના પાંચ દાવા?

સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે મારા પર દબાવ નાખવામાં આવ્યું હતું અને 50 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. સુકેશે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીએ તમામ રકમ કોલકાતાના સત્યેન્દ્ર જૈનના નજીકના ચતુર્વેદીએ વસૂલ્યા હતા. સુકેશે દાવો કર્યો છે કે મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા અને દિલ્લી ડીજી જેલ સંદીપ ગોયલને 12 કરોડ રૂપિયા આપ્યા છે. ઈડીને મેં જેલ ડીજીને આપેલા પૈસા અને જેલ પ્રશાસનના ગોરખધંધા વિશે માહિતી આપી છે. મેં દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરીને આ રેકેટ મામલે સીબીઆઈ તપાસ કરવાની માગ કરી છે.


સત્યેન્દ્ર જૈન મને ડીજી મારફતે ધમકાવે છે 

સત્યેન્દ્ર જૈન દિલ્લીની તિહાડ જેલમાં બંધ છે અને તેઓ મને ડીજી જેલ અને જેલ પ્રશાસન મારફતે ધમકાવી રહ્યા છે. આ તમામ લોકો મારા પર પ્રેશર બનાવી રહ્યા છે કે હું ફરિયાદ લઈ લઉં. મને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યો છે. 


સત્યેન્દ્ર જૈન મને જેલમાં મળવા આવતા હતા

સુકેશે દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈન મને જેલમાં મળવા આવતા હતા. તેઓ જેલ મંત્રી હતા અને મને પૂછતા હતા કે આમ આદમી પાર્ટીને રૂપિયા આપ્યા છે તે મામલે ઈડીને જાણકારી નથી આપીને. સુકેશે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સત્યેન્દ્ર જૈનના સેક્રેટરીએ મને જણાવ્યું હતું  કે જેલમાં સુરક્ષા અને જરૂરતનો સામાન જોઈતો હોય તો દર મહિને 2 કરોડ રૂપિયા આપવા પડશે. 


પૈસા આપીને આપને કહ્યું હતું કે મને મોટું પદ આપે 

સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તે 2015થી સત્યેન્દ્ર જૈનને ઓળખે છે. મેં આમ આદમી પાર્ટીને એ વાયદાથી 50 કરોડ રૂપિયા આપ્યા હતા કે દક્ષિણ ભારતમાં મને કોઈ મોટું પદ આપે અથવા રાજ્યસભામાં પહોંચવા મદદ કરે. 


મેં સીબીઆઈને ફંડીંગની જાણકારી આપીઃ સુકેશનો દાવો

સુકેશે દાવો કર્યો છે કે તેણે આપ અને જેલ ડીજીના પેમેન્ટની જાણકારી સીબીઆઈને આપી હતી અને દિલ્લી હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસ માટે અરજી પણ દાખલ કરી હતી. સત્યેન્દ્ર જૈન મને ડરાવતા હતા જેથી હું મારી ફરિયાદ લઈ લઉં તેવો સુકેશ ચંદ્ર શેખરે દિલ્લીના લેફ્ટીનેન્ટ ગવર્નરને ચિઠ્ઠી લખી છે તેમાં દાવો કર્યો છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.