ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્લીના LGને 2 પાનાની ચિઠ્ઠી લખી 5 દાવા ઠોક્યા


  • Published By :
  • Published Date : 2022-11-01 20:40:50

આજે ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્લીના લેફ્ટીનેન્ટ ગવર્નરને ચિઠ્ઠી લખી છે જેમાં તેણે 5 દાવા કર્યા છે. આ દાવામાં એક દાવો એવો પણ છે કે સુકેશે આમ આદમી પાર્ટીને 50 કરોડ રૂપિયા આપ્યા છે. 


કોણ છે સુકેશ ચંદ્રશેખર 

સુકેશ ચંદ્રશેખરના નામનો ઠક દિલ્લીની જેલમાં બંધ છે. સુકેશે માત્ર 17 વર્ષની ઉંમરમાં જ લોકોને ઠગવાનું શરૂ કરી દીધું હતું અને અત્યાર સુધીમાં તેણે ભારતમાં બોલિવુટ સેલિબ્રિટી, નેતાઓ અને બિઝનેસમેન સહિતના અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગ્યા છે. સુકેશ ચંદ્રશેખરની ઠગાઈમાં અભિનેત્રી જૈકલિન ફર્નાન્ડીઝ અને ડાન્સર નોરા ફતેહીનું પણ નામ પણ સામે આવ્યું છે.


શું છે સુકેશ ચંદ્રશેખરના પાંચ દાવા?

સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે મારા પર દબાવ નાખવામાં આવ્યું હતું અને 50 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. સુકેશે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીએ તમામ રકમ કોલકાતાના સત્યેન્દ્ર જૈનના નજીકના ચતુર્વેદીએ વસૂલ્યા હતા. સુકેશે દાવો કર્યો છે કે મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા અને દિલ્લી ડીજી જેલ સંદીપ ગોયલને 12 કરોડ રૂપિયા આપ્યા છે. ઈડીને મેં જેલ ડીજીને આપેલા પૈસા અને જેલ પ્રશાસનના ગોરખધંધા વિશે માહિતી આપી છે. મેં દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરીને આ રેકેટ મામલે સીબીઆઈ તપાસ કરવાની માગ કરી છે.


સત્યેન્દ્ર જૈન મને ડીજી મારફતે ધમકાવે છે 

સત્યેન્દ્ર જૈન દિલ્લીની તિહાડ જેલમાં બંધ છે અને તેઓ મને ડીજી જેલ અને જેલ પ્રશાસન મારફતે ધમકાવી રહ્યા છે. આ તમામ લોકો મારા પર પ્રેશર બનાવી રહ્યા છે કે હું ફરિયાદ લઈ લઉં. મને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યો છે. 


સત્યેન્દ્ર જૈન મને જેલમાં મળવા આવતા હતા

સુકેશે દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈન મને જેલમાં મળવા આવતા હતા. તેઓ જેલ મંત્રી હતા અને મને પૂછતા હતા કે આમ આદમી પાર્ટીને રૂપિયા આપ્યા છે તે મામલે ઈડીને જાણકારી નથી આપીને. સુકેશે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સત્યેન્દ્ર જૈનના સેક્રેટરીએ મને જણાવ્યું હતું  કે જેલમાં સુરક્ષા અને જરૂરતનો સામાન જોઈતો હોય તો દર મહિને 2 કરોડ રૂપિયા આપવા પડશે. 


પૈસા આપીને આપને કહ્યું હતું કે મને મોટું પદ આપે 

સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તે 2015થી સત્યેન્દ્ર જૈનને ઓળખે છે. મેં આમ આદમી પાર્ટીને એ વાયદાથી 50 કરોડ રૂપિયા આપ્યા હતા કે દક્ષિણ ભારતમાં મને કોઈ મોટું પદ આપે અથવા રાજ્યસભામાં પહોંચવા મદદ કરે. 


મેં સીબીઆઈને ફંડીંગની જાણકારી આપીઃ સુકેશનો દાવો

સુકેશે દાવો કર્યો છે કે તેણે આપ અને જેલ ડીજીના પેમેન્ટની જાણકારી સીબીઆઈને આપી હતી અને દિલ્લી હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસ માટે અરજી પણ દાખલ કરી હતી. સત્યેન્દ્ર જૈન મને ડરાવતા હતા જેથી હું મારી ફરિયાદ લઈ લઉં તેવો સુકેશ ચંદ્ર શેખરે દિલ્લીના લેફ્ટીનેન્ટ ગવર્નરને ચિઠ્ઠી લખી છે તેમાં દાવો કર્યો છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.