Narendra Modi Stadium બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત! આટલા પોલીસકર્મીઓને સોંપાઈ સુરક્ષાની જવાબદારી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 13:35:18

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે. મેચ ભલે આવતી કાલે રમાવાની છે પરંતુ સ્ટેડિયમ બહાર આજથી દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ સહિત અનેક મોટી હસ્તીઓ અમદાવાદના મહેમાન બનવાના છે. ગુજરાતમાં જ્યારે મેચ રમાઈ રહી હોય ત્યારે સુરક્ષાને લઈ પોલીસની જવાબદારી વધી જતી હોય છે. કોઈ અણબનાવ ન બને તેની જવાબદારી પોલીસ પર રહેતી હોય છે. ત્યારે મેચને ધ્યાનમાં રાખી સ્ટેડિયમ બહાર અને અંદર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

   

PM મોદી અને ઓસ્ટ્રેલિયાના ડે. વડાપ્રધાનના આગમનને લઇને સ્ટેડિયમમાં લોખંડી  સુરક્ષા | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | Navgujarat  Samay - નવગુજરાત સમય

અમદાવાદના મહેમાન બનેશે મોટી હસ્તીઓ 

આવતી ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે અને તે પણ ગુજરાતના અમદાવાદમાં. ઓસ્ટ્રેલિયાની ટીમ તેમજ ભારતની ક્રિકેટ ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે. મોટી મોટી હસ્તીઓ તેમજ પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડે.પીએમ આવવાના છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. સ્ટેડિયમની સુરક્ષા માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 


આટલા પોલીસકર્મીઓ રહેશે ખડેપગે!

મળતી માહિતી અનુસાર કોમ્યુનલ સેન્સેટીવ પોઈન્ટ પર 2 ડીસીપી, 6 એસીપી, 19 ઈન્સ્પેક્ટર, 51 સબ ઈન્સ્પેક્ટર, 1218 પોલીસ કર્મચારી, એસઆરપીની 10 કંપની તથા 4 હજાર હોમગાર્ડ જવાનો હાજર રહેશે.ટીકીટની કાળાબજારી કરનાર લોકોને પકડવા માટે સાયબર ક્રાઈમને સોશિયલ મિડીયા પર એક્ટિવ કરી દેવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ ડ્રોનમાં કેદ થશે તો તાત્કાલિક નજીક રહેલા પોલીસ કર્મચારીઓને જાણ કરી દેવાશે અને યોગ્ય પગલા લેવામાં આવશે. મહત્વનું છે કે આપણે જ્યારે મેચ જોવા જઈએ ત્યારે સારા નાગરિક બનીએ. પોલીસ સાથે ગેરવર્તન ન કરીએ કારણ કે તે જે સૂચના આપશે તે આપણી સુરક્ષા માટે આપશે. જ્યારે કોઈ આવી મોટી ઈવેન્ટ હોય ત્યારે પોલીસ પર વધારે ભાર રહેતો હોય છે.     



થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ત્યાં જનસભાને સંબોધી હતી ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા...અનેક મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી..

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.