Narendra Modi Stadium બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત! આટલા પોલીસકર્મીઓને સોંપાઈ સુરક્ષાની જવાબદારી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-18 13:35:18

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે. મેચ ભલે આવતી કાલે રમાવાની છે પરંતુ સ્ટેડિયમ બહાર આજથી દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ સહિત અનેક મોટી હસ્તીઓ અમદાવાદના મહેમાન બનવાના છે. ગુજરાતમાં જ્યારે મેચ રમાઈ રહી હોય ત્યારે સુરક્ષાને લઈ પોલીસની જવાબદારી વધી જતી હોય છે. કોઈ અણબનાવ ન બને તેની જવાબદારી પોલીસ પર રહેતી હોય છે. ત્યારે મેચને ધ્યાનમાં રાખી સ્ટેડિયમ બહાર અને અંદર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

   

PM મોદી અને ઓસ્ટ્રેલિયાના ડે. વડાપ્રધાનના આગમનને લઇને સ્ટેડિયમમાં લોખંડી  સુરક્ષા | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | Navgujarat  Samay - નવગુજરાત સમય

અમદાવાદના મહેમાન બનેશે મોટી હસ્તીઓ 

આવતી ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે અને તે પણ ગુજરાતના અમદાવાદમાં. ઓસ્ટ્રેલિયાની ટીમ તેમજ ભારતની ક્રિકેટ ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે. મોટી મોટી હસ્તીઓ તેમજ પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડે.પીએમ આવવાના છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. સ્ટેડિયમની સુરક્ષા માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 


આટલા પોલીસકર્મીઓ રહેશે ખડેપગે!

મળતી માહિતી અનુસાર કોમ્યુનલ સેન્સેટીવ પોઈન્ટ પર 2 ડીસીપી, 6 એસીપી, 19 ઈન્સ્પેક્ટર, 51 સબ ઈન્સ્પેક્ટર, 1218 પોલીસ કર્મચારી, એસઆરપીની 10 કંપની તથા 4 હજાર હોમગાર્ડ જવાનો હાજર રહેશે.ટીકીટની કાળાબજારી કરનાર લોકોને પકડવા માટે સાયબર ક્રાઈમને સોશિયલ મિડીયા પર એક્ટિવ કરી દેવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ ડ્રોનમાં કેદ થશે તો તાત્કાલિક નજીક રહેલા પોલીસ કર્મચારીઓને જાણ કરી દેવાશે અને યોગ્ય પગલા લેવામાં આવશે. મહત્વનું છે કે આપણે જ્યારે મેચ જોવા જઈએ ત્યારે સારા નાગરિક બનીએ. પોલીસ સાથે ગેરવર્તન ન કરીએ કારણ કે તે જે સૂચના આપશે તે આપણી સુરક્ષા માટે આપશે. જ્યારે કોઈ આવી મોટી ઈવેન્ટ હોય ત્યારે પોલીસ પર વધારે ભાર રહેતો હોય છે.     



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.