Narendra Modi Stadium બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત! આટલા પોલીસકર્મીઓને સોંપાઈ સુરક્ષાની જવાબદારી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-18 13:35:18

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે. મેચ ભલે આવતી કાલે રમાવાની છે પરંતુ સ્ટેડિયમ બહાર આજથી દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ સહિત અનેક મોટી હસ્તીઓ અમદાવાદના મહેમાન બનવાના છે. ગુજરાતમાં જ્યારે મેચ રમાઈ રહી હોય ત્યારે સુરક્ષાને લઈ પોલીસની જવાબદારી વધી જતી હોય છે. કોઈ અણબનાવ ન બને તેની જવાબદારી પોલીસ પર રહેતી હોય છે. ત્યારે મેચને ધ્યાનમાં રાખી સ્ટેડિયમ બહાર અને અંદર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

   

PM મોદી અને ઓસ્ટ્રેલિયાના ડે. વડાપ્રધાનના આગમનને લઇને સ્ટેડિયમમાં લોખંડી  સુરક્ષા | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | Navgujarat  Samay - નવગુજરાત સમય

અમદાવાદના મહેમાન બનેશે મોટી હસ્તીઓ 

આવતી ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે અને તે પણ ગુજરાતના અમદાવાદમાં. ઓસ્ટ્રેલિયાની ટીમ તેમજ ભારતની ક્રિકેટ ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે. મોટી મોટી હસ્તીઓ તેમજ પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડે.પીએમ આવવાના છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. સ્ટેડિયમની સુરક્ષા માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 


આટલા પોલીસકર્મીઓ રહેશે ખડેપગે!

મળતી માહિતી અનુસાર કોમ્યુનલ સેન્સેટીવ પોઈન્ટ પર 2 ડીસીપી, 6 એસીપી, 19 ઈન્સ્પેક્ટર, 51 સબ ઈન્સ્પેક્ટર, 1218 પોલીસ કર્મચારી, એસઆરપીની 10 કંપની તથા 4 હજાર હોમગાર્ડ જવાનો હાજર રહેશે.ટીકીટની કાળાબજારી કરનાર લોકોને પકડવા માટે સાયબર ક્રાઈમને સોશિયલ મિડીયા પર એક્ટિવ કરી દેવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ ડ્રોનમાં કેદ થશે તો તાત્કાલિક નજીક રહેલા પોલીસ કર્મચારીઓને જાણ કરી દેવાશે અને યોગ્ય પગલા લેવામાં આવશે. મહત્વનું છે કે આપણે જ્યારે મેચ જોવા જઈએ ત્યારે સારા નાગરિક બનીએ. પોલીસ સાથે ગેરવર્તન ન કરીએ કારણ કે તે જે સૂચના આપશે તે આપણી સુરક્ષા માટે આપશે. જ્યારે કોઈ આવી મોટી ઈવેન્ટ હોય ત્યારે પોલીસ પર વધારે ભાર રહેતો હોય છે.     



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.