Narendra Modi Stadium બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત! આટલા પોલીસકર્મીઓને સોંપાઈ સુરક્ષાની જવાબદારી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-18 13:35:18

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે. મેચ ભલે આવતી કાલે રમાવાની છે પરંતુ સ્ટેડિયમ બહાર આજથી દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ સહિત અનેક મોટી હસ્તીઓ અમદાવાદના મહેમાન બનવાના છે. ગુજરાતમાં જ્યારે મેચ રમાઈ રહી હોય ત્યારે સુરક્ષાને લઈ પોલીસની જવાબદારી વધી જતી હોય છે. કોઈ અણબનાવ ન બને તેની જવાબદારી પોલીસ પર રહેતી હોય છે. ત્યારે મેચને ધ્યાનમાં રાખી સ્ટેડિયમ બહાર અને અંદર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

   

PM મોદી અને ઓસ્ટ્રેલિયાના ડે. વડાપ્રધાનના આગમનને લઇને સ્ટેડિયમમાં લોખંડી  સુરક્ષા | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | Navgujarat  Samay - નવગુજરાત સમય

અમદાવાદના મહેમાન બનેશે મોટી હસ્તીઓ 

આવતી ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે અને તે પણ ગુજરાતના અમદાવાદમાં. ઓસ્ટ્રેલિયાની ટીમ તેમજ ભારતની ક્રિકેટ ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે. મોટી મોટી હસ્તીઓ તેમજ પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડે.પીએમ આવવાના છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. સ્ટેડિયમની સુરક્ષા માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 


આટલા પોલીસકર્મીઓ રહેશે ખડેપગે!

મળતી માહિતી અનુસાર કોમ્યુનલ સેન્સેટીવ પોઈન્ટ પર 2 ડીસીપી, 6 એસીપી, 19 ઈન્સ્પેક્ટર, 51 સબ ઈન્સ્પેક્ટર, 1218 પોલીસ કર્મચારી, એસઆરપીની 10 કંપની તથા 4 હજાર હોમગાર્ડ જવાનો હાજર રહેશે.ટીકીટની કાળાબજારી કરનાર લોકોને પકડવા માટે સાયબર ક્રાઈમને સોશિયલ મિડીયા પર એક્ટિવ કરી દેવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ ડ્રોનમાં કેદ થશે તો તાત્કાલિક નજીક રહેલા પોલીસ કર્મચારીઓને જાણ કરી દેવાશે અને યોગ્ય પગલા લેવામાં આવશે. મહત્વનું છે કે આપણે જ્યારે મેચ જોવા જઈએ ત્યારે સારા નાગરિક બનીએ. પોલીસ સાથે ગેરવર્તન ન કરીએ કારણ કે તે જે સૂચના આપશે તે આપણી સુરક્ષા માટે આપશે. જ્યારે કોઈ આવી મોટી ઈવેન્ટ હોય ત્યારે પોલીસ પર વધારે ભાર રહેતો હોય છે.     



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.