TikTok સ્ટાર કીર્તિ પટેલ સામે સુરતમાં નોંધાઈ વધુ એક FIR, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-21 15:01:27

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદનું બીજુ નામ બની ગઈ છે, સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે સુરતમાં વધુ એક પોલીસે ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં કીર્તિ પટેલ અને તેના સાથીઓએ આઈશર ચાલકને રોકીને તેની સાથે બબાલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને તમામ સામે  FIR નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પૂર્વે પણ કીર્તિ પટેલ સામે અલગ-અલગ ગુનાઓ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. 


સમગ્ર મામલો શું હતો?


પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સુરત જીલ્લાના કામરેજ ટોલ નાકા ખાતે તારીખ 19ની મોડી રાત્રે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ સહિત અન્ય લોકોએ ગાયો ભરેલા આઈશર ટેમ્પાને રોક્યો હતો. ત્યારબાદ તેની સાથે બબાલ કરી હતી અને ગાયને કતલખાને લઈ જવામાં આવે છે તેમ કહી આઇશર ટેમ્પાના ચાલકોને માર મારી જાહેરમાં ગંદી ગાળો બોલી હતી. આટલું જ નહીં તેમનો જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવી હતી. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.


પોલીસ ઘટના સ્થળે પહોંચી


કીર્તિ પટેલ અને તેના સાથીઓએ આઈશર ટેમ્પા ચાલક સાથે કરેલી બબાલ દરમિયાન કોઈક વ્યક્તિએ બબાલના દ્રષ્યો કેમેરામાં કેદ કર્યા હતા. આ બનાવની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ગાયો કતલખાને જાય છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે ગાય કતલખાને ન જતી હોવાનું જાણવા મળતા પોલીસે બીજા દિવસે ગાયો ભરેલા વાહનને છોડી દેવામાં આવ્યું હતું. આ હોબાળાના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.


પોલીસે નોંધી ફરીયાદ


આ સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર.બી. ભટોળે જણાવ્યું હતું કે, જાહેરમાં હોબાળો કરી આઇશર ટેમ્પાના ચાલકોને માર મારી જાહેરમાં ગાળો બોલી ભયનો માહોલ ઊભા કરવા બદલ કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર, વિરમ ભરવાડ સહિત અન્ય લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.