10 ડિસેમ્બર સુધી રાજ્ય સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી


  • Published By :
  • Published Date : 2022-10-29 18:11:35

લાભ પાંચમને આપણે ત્યાં શુભ દિવસ માનવામાં આવે છે. શુભ કાર્યની શરૂઆત આપણે આ દિવસથી કરતા હોઈએ છીએ. ત્યારે રાજ્ય સરકારે આજથી ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરી છે. મગફળી, મગ, અડદની દાળની ખરીદીનો પ્રારંભ આજથી થઈ ગયો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાજકોટ ખાતેથી આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે.  


ટેકાના ભાવે ખરીદીની થઈ શરૂઆત 

આજથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થતા ખેડૂતો માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. આજથી 90 દિવસ માટે ગુજરાતના 50 કેન્દ્રો પર ટેકાના ભાવની ખરીદી કરવામાં આવશે. ગુજરાત સરકારે મગફળીના મણનો ભાવ 1170 જાહેર કર્યો છે, જ્યારં મગનો મણનો ભાવ 1551 સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અડદનો મણનો ભાવ 1320 જ્યારે સોયાબીનનો મણનો ભાવ 860 રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં ટેકેના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. સરકારે 1170 રૂપિયાના ટેકાના ભાવથી પ્રત્યેક 20 કિલો દીઠ મગફળીની ખરીદી કરી છે. 



ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ - રાઘવજી પટેલ

કૃષિમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે રાજ્યમાં આજે લાભ પાંચમના શુભ દિવસથી નક્કી કર્યા મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટના 11 સહિત રાજ્યના 160 કેન્દ્ર પરથી ગુજકોમાસોલ મારફતે મગફળી ખરીદી 1170 રૂપિયા પ્રતિ 20 કિલોના ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી રહી છે.





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.