Diwaliના તહેવારને ધ્યાનમાં રાખી Gujaratના પ્રખ્યાત મંદિરોના સમયમાં કરાયો ફેરફાર, જાણો કયા મંદિરનો સમય બદલાયો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-10 12:02:30

આપણામાંથી અનેક લોકો એવા હશે જે બેસતા વર્ષની ઉજવણી મંદિરે ભગવાનના દર્શન કરી કરતા હોય છે. બેસતા વર્ષે મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. દિવાળીના પાંચ દિવસો દરમિયાન મંદિરોમાં માનવ મહેરામણ ઉમટતો હોય છે. ત્યારે દિવાળી પર્વને ધ્યાનમાં રાખી રાજ્યના મોટા મોટા મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી, જગત મંદિર દ્વારકા સહિતના અનેક મંદિરોના સમયમાં બદલાવ કરાયો છે. 

હોળી-ફૂલડોલ મહોત્સવ દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર ખાતે દર્શનના સમયમાં થશે  ફેરફાર | Sandesh

દ્વારકા મંદિરના સમયમાં કરાયો ફેરફાર 

દ્વારકા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ દિવાળીના દિવસે સવારે 5.30 વાગ્યે મંગળા આરતી થશે, તે ઉપરાંત દિવાળીના દિવસે રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન થશે. 13 નવેમ્બરે દ્વારકા મંદિરમાં અન્નકુટ ઉત્સવ કરાશે. 13 તારીખે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે તેવી માહિતી સામે આવી છે. 14 અને 15 નવેમ્બરે સવારે 6.30 વાગ્યે મંગળા આરતી થશે તેવી માહિતી સામે આવી છે. 

અંબાજી મંદિરમાં દર્શનનાં સમયમાં કરાયો ફેરફાર : હવે 3 ટાઈમ કરાશે આરતી |  Ambaji Temple Banaskantha Time Darshan


શક્તિપીઠ અંબાજીના દર્શનનો સમય પણ બદલાયો 

તે ઉપરાંત શક્તિપીઠ અંબાજીના સમયમાં પણ ફેરફાર કરવામં આવ્યો છે, યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.  



AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે..

આગામી દિવસો માટે પણ અનેક જગ્યાઓ પર હિટવેવની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે અનેક જગ્યાઓ માટે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.... રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 12મી અને 13મી તારીખ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠું આવી શકે છે...

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો હતો. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં સરેરાશ 59.49 ટકા મતદાન થયું છે.. મહત્વનું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના સિટીંગ ધારાસભ્યને ટિકીટ આપી હતી. એ બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો.