Diwaliના તહેવારને ધ્યાનમાં રાખી Gujaratના પ્રખ્યાત મંદિરોના સમયમાં કરાયો ફેરફાર, જાણો કયા મંદિરનો સમય બદલાયો?


  • Published By :
  • Published Date : 2023-11-10 12:02:30

આપણામાંથી અનેક લોકો એવા હશે જે બેસતા વર્ષની ઉજવણી મંદિરે ભગવાનના દર્શન કરી કરતા હોય છે. બેસતા વર્ષે મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. દિવાળીના પાંચ દિવસો દરમિયાન મંદિરોમાં માનવ મહેરામણ ઉમટતો હોય છે. ત્યારે દિવાળી પર્વને ધ્યાનમાં રાખી રાજ્યના મોટા મોટા મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી, જગત મંદિર દ્વારકા સહિતના અનેક મંદિરોના સમયમાં બદલાવ કરાયો છે. 

હોળી-ફૂલડોલ મહોત્સવ દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર ખાતે દર્શનના સમયમાં થશે  ફેરફાર | Sandesh

દ્વારકા મંદિરના સમયમાં કરાયો ફેરફાર 

દ્વારકા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ દિવાળીના દિવસે સવારે 5.30 વાગ્યે મંગળા આરતી થશે, તે ઉપરાંત દિવાળીના દિવસે રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન થશે. 13 નવેમ્બરે દ્વારકા મંદિરમાં અન્નકુટ ઉત્સવ કરાશે. 13 તારીખે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે તેવી માહિતી સામે આવી છે. 14 અને 15 નવેમ્બરે સવારે 6.30 વાગ્યે મંગળા આરતી થશે તેવી માહિતી સામે આવી છે. 

અંબાજી મંદિરમાં દર્શનનાં સમયમાં કરાયો ફેરફાર : હવે 3 ટાઈમ કરાશે આરતી |  Ambaji Temple Banaskantha Time Darshan


શક્તિપીઠ અંબાજીના દર્શનનો સમય પણ બદલાયો 

તે ઉપરાંત શક્તિપીઠ અંબાજીના સમયમાં પણ ફેરફાર કરવામં આવ્યો છે, યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.