મહેસાણામાં ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીના મોતનો ભેદ ઉકેલાયો, સાથી વિદ્યાર્થીએ જ કરી હતી હત્યા


  • Published By :
  • Published Date : 2023-05-03 14:20:41

મહેસાણાના વડસ્મામાં આવેલી ફાર્મસી કોલેજની 21 વર્ષીય વિદ્યાર્થિની તિતિક્ષા પટેલ નામની યુવતીના મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા પ્રમાણે તિતિક્ષા પટેલના એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ જ  તેની હત્યા કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું હતું. જોકે ઘટનાના બે દિવસ બાદ આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ યુવતીએ આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી.


એક તરફી પ્રેમમાં હત્યા


અત્રે ઉલ્લેખનિય છે કે મહેસાણાના વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક સંકુલમાં ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થિનીનો બે દિવસ પહેલા કોલેજની લેબોરેટરીની બિલ્ડીંગમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ હવે મળતી વિગતો મુજબ, ફાર્મસીની વિદ્યાર્થિની તિતિક્ષા સાથે અભ્યાસ કરતો યુવક તેના એક તરફી પ્રેમમાં હતો અને તે સતત તિતિક્ષા પર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો. બનાવના દિવસે તે તિતિક્ષાને લેબ રૂમમાં લઈ ગયો હતો અને તેનું નાક અને મોઢું દબાવીને હત્યા કરી બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા બાદ હવે હત્યારા પ્રવિણ ગામિત સામે ફરિયાદ નોંધાઈ છે.  હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


દીકરી ક્યારેય આપઘાત ન કરે-પરિવારજનો 


વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કચીગામની તિતિક્ષા નટુભાઈ પટેલ નામની એક વિદ્યાર્થિની મહેસાણાના વડસ્મામાં આવેલી સત્સંગી સાકેતધામ રામ આધ્રં ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ વડસ્મા દ્વારા સંચાલિત ફાર્મસી કોલેજમાં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિનીનો મૃતદેહ કોલેજની જ નિર્માણાધિન લેબોરેટરીમાંથી મળી આવ્યો હતો. દીકરી ક્યારેય આપઘાત ન કરી શકે તેવું જણાવતા પરિવારજનોએ તેની હત્યાની આશંકા દર્શાવી હતી અને તટસ્થ તપાસની માંગણી કરી હતી.


વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે સવાલ


21 વર્ષીય તિતિક્ષા પટેલનો વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક કેમ્પસમાં આવેલી લેબોરેટરીમાંથી મૃતેદહ મળી આવ્યો હતો. પરંતુ હવે તેની હત્યાનો ખુલાસો થતાં બધા ચોંકી ગયા છે. બીજી તરફ કેમ્પસની અંદર જ હત્યા થતાં કોલેજમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. જો કે આ મામલે હવે કોલેજના સત્તાવાળાઓ પણ મૌન સેવી રહ્યા છે. કોલેજમાં જ વિદ્યાર્થિની હત્યા થાય અને તેની સુરક્ષા પણ ન થઈ શકે તો પછી વાલીઓ કોના ભરોસે તેમની દિકરીઓને અભ્યાસ માટે મોકલશે, તેવા સવાલો થઈ રહ્યા છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.