મહેસાણામાં ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીના મોતનો ભેદ ઉકેલાયો, સાથી વિદ્યાર્થીએ જ કરી હતી હત્યા


  • Published By :
  • Published Date : 2023-05-03 14:20:41

મહેસાણાના વડસ્મામાં આવેલી ફાર્મસી કોલેજની 21 વર્ષીય વિદ્યાર્થિની તિતિક્ષા પટેલ નામની યુવતીના મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા પ્રમાણે તિતિક્ષા પટેલના એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ જ  તેની હત્યા કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું હતું. જોકે ઘટનાના બે દિવસ બાદ આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ યુવતીએ આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી.


એક તરફી પ્રેમમાં હત્યા


અત્રે ઉલ્લેખનિય છે કે મહેસાણાના વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક સંકુલમાં ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થિનીનો બે દિવસ પહેલા કોલેજની લેબોરેટરીની બિલ્ડીંગમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ હવે મળતી વિગતો મુજબ, ફાર્મસીની વિદ્યાર્થિની તિતિક્ષા સાથે અભ્યાસ કરતો યુવક તેના એક તરફી પ્રેમમાં હતો અને તે સતત તિતિક્ષા પર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો. બનાવના દિવસે તે તિતિક્ષાને લેબ રૂમમાં લઈ ગયો હતો અને તેનું નાક અને મોઢું દબાવીને હત્યા કરી બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા બાદ હવે હત્યારા પ્રવિણ ગામિત સામે ફરિયાદ નોંધાઈ છે.  હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


દીકરી ક્યારેય આપઘાત ન કરે-પરિવારજનો 


વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કચીગામની તિતિક્ષા નટુભાઈ પટેલ નામની એક વિદ્યાર્થિની મહેસાણાના વડસ્મામાં આવેલી સત્સંગી સાકેતધામ રામ આધ્રં ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ વડસ્મા દ્વારા સંચાલિત ફાર્મસી કોલેજમાં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિનીનો મૃતદેહ કોલેજની જ નિર્માણાધિન લેબોરેટરીમાંથી મળી આવ્યો હતો. દીકરી ક્યારેય આપઘાત ન કરી શકે તેવું જણાવતા પરિવારજનોએ તેની હત્યાની આશંકા દર્શાવી હતી અને તટસ્થ તપાસની માંગણી કરી હતી.


વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે સવાલ


21 વર્ષીય તિતિક્ષા પટેલનો વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક કેમ્પસમાં આવેલી લેબોરેટરીમાંથી મૃતેદહ મળી આવ્યો હતો. પરંતુ હવે તેની હત્યાનો ખુલાસો થતાં બધા ચોંકી ગયા છે. બીજી તરફ કેમ્પસની અંદર જ હત્યા થતાં કોલેજમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. જો કે આ મામલે હવે કોલેજના સત્તાવાળાઓ પણ મૌન સેવી રહ્યા છે. કોલેજમાં જ વિદ્યાર્થિની હત્યા થાય અને તેની સુરક્ષા પણ ન થઈ શકે તો પછી વાલીઓ કોના ભરોસે તેમની દિકરીઓને અભ્યાસ માટે મોકલશે, તેવા સવાલો થઈ રહ્યા છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.