TMC નેતા મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, લોકસભા સસ્પેન્શનને પડકાર્યું


  • Published By :
  • Published Date : 2023-12-11 14:38:07

TMC નેતા મહુઆ મોઈત્રાએ લોકસભામાંથી થયેલી તેમની બરખાસ્તગી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મહુઆ મોઈત્રાએ કેન્દ્ર સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારી છે. કેશ ફોર ક્વેરી મામલામાં આરોપ લાગ્યા બાદ એથિક્સ કમિટીએ મામલાની તપાસ કરીને લોકસભા અધ્યક્ષને તેમની રિપોર્ટ સોંપી હતી. એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ શુક્રવારે સંસદે તેમને બરખાસ્ત કરી દીધા હતા. ઉલ્લેખનિય છે કે મહુઆ મોઈત્રા ટીએમસીની ટિકિટ પર પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર સીટથી ચુટણી જીતીને પહેલી વખત સંસદમાં પહોંચી હતી. એથિક્સ કમિટીની રિપોર્ટ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 


શું હતો સમગ્ર મામલો?


મહુઆ મોઈત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલ પુછવાનો આરોપ લાગ્યો હતો. આ મામલાની તપાસ લોકસભાની એથિક્સ કમિટીએ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મહુઆ મોઈત્રાએ સંસદની વેબસાઈટની સત્તાવાર આઈડી અને પાસવર્ડ પણ બિઝનેશમેન દર્શન હીરાનંદાનીને આપ્યો હતો. કમિટીએ આ મામલાને રાષ્ટ્રિય સુરક્ષા સાથે જોડ્યો હતો. કમિટીએ તેની તપાસમાં મહુઆ મોઈત્રાને દોષિત ઠરાવ્યા હતા અને લોકસભા અધ્યક્ષને મોઈત્રાનું લોકસભા સભ્ય પદ રદ્દ કરવાની માગ કરી હતી. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.