TMC નેતા મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, લોકસભા સસ્પેન્શનને પડકાર્યું


  • Published By :
  • Published Date : 2023-12-11 14:38:07

TMC નેતા મહુઆ મોઈત્રાએ લોકસભામાંથી થયેલી તેમની બરખાસ્તગી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મહુઆ મોઈત્રાએ કેન્દ્ર સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારી છે. કેશ ફોર ક્વેરી મામલામાં આરોપ લાગ્યા બાદ એથિક્સ કમિટીએ મામલાની તપાસ કરીને લોકસભા અધ્યક્ષને તેમની રિપોર્ટ સોંપી હતી. એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ શુક્રવારે સંસદે તેમને બરખાસ્ત કરી દીધા હતા. ઉલ્લેખનિય છે કે મહુઆ મોઈત્રા ટીએમસીની ટિકિટ પર પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર સીટથી ચુટણી જીતીને પહેલી વખત સંસદમાં પહોંચી હતી. એથિક્સ કમિટીની રિપોર્ટ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 


શું હતો સમગ્ર મામલો?


મહુઆ મોઈત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલ પુછવાનો આરોપ લાગ્યો હતો. આ મામલાની તપાસ લોકસભાની એથિક્સ કમિટીએ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મહુઆ મોઈત્રાએ સંસદની વેબસાઈટની સત્તાવાર આઈડી અને પાસવર્ડ પણ બિઝનેશમેન દર્શન હીરાનંદાનીને આપ્યો હતો. કમિટીએ આ મામલાને રાષ્ટ્રિય સુરક્ષા સાથે જોડ્યો હતો. કમિટીએ તેની તપાસમાં મહુઆ મોઈત્રાને દોષિત ઠરાવ્યા હતા અને લોકસભા અધ્યક્ષને મોઈત્રાનું લોકસભા સભ્ય પદ રદ્દ કરવાની માગ કરી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.