TMC નેતા મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, લોકસભા સસ્પેન્શનને પડકાર્યું


  • Published By :
  • Published Date : 2023-12-11 14:38:07

TMC નેતા મહુઆ મોઈત્રાએ લોકસભામાંથી થયેલી તેમની બરખાસ્તગી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મહુઆ મોઈત્રાએ કેન્દ્ર સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારી છે. કેશ ફોર ક્વેરી મામલામાં આરોપ લાગ્યા બાદ એથિક્સ કમિટીએ મામલાની તપાસ કરીને લોકસભા અધ્યક્ષને તેમની રિપોર્ટ સોંપી હતી. એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ શુક્રવારે સંસદે તેમને બરખાસ્ત કરી દીધા હતા. ઉલ્લેખનિય છે કે મહુઆ મોઈત્રા ટીએમસીની ટિકિટ પર પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર સીટથી ચુટણી જીતીને પહેલી વખત સંસદમાં પહોંચી હતી. એથિક્સ કમિટીની રિપોર્ટ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 


શું હતો સમગ્ર મામલો?


મહુઆ મોઈત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલ પુછવાનો આરોપ લાગ્યો હતો. આ મામલાની તપાસ લોકસભાની એથિક્સ કમિટીએ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મહુઆ મોઈત્રાએ સંસદની વેબસાઈટની સત્તાવાર આઈડી અને પાસવર્ડ પણ બિઝનેશમેન દર્શન હીરાનંદાનીને આપ્યો હતો. કમિટીએ આ મામલાને રાષ્ટ્રિય સુરક્ષા સાથે જોડ્યો હતો. કમિટીએ તેની તપાસમાં મહુઆ મોઈત્રાને દોષિત ઠરાવ્યા હતા અને લોકસભા અધ્યક્ષને મોઈત્રાનું લોકસભા સભ્ય પદ રદ્દ કરવાની માગ કરી હતી. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.