TMC નેતા મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, લોકસભા સસ્પેન્શનને પડકાર્યું


  • Published By :
  • Published Date : 2023-12-11 14:38:07

TMC નેતા મહુઆ મોઈત્રાએ લોકસભામાંથી થયેલી તેમની બરખાસ્તગી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મહુઆ મોઈત્રાએ કેન્દ્ર સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારી છે. કેશ ફોર ક્વેરી મામલામાં આરોપ લાગ્યા બાદ એથિક્સ કમિટીએ મામલાની તપાસ કરીને લોકસભા અધ્યક્ષને તેમની રિપોર્ટ સોંપી હતી. એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ શુક્રવારે સંસદે તેમને બરખાસ્ત કરી દીધા હતા. ઉલ્લેખનિય છે કે મહુઆ મોઈત્રા ટીએમસીની ટિકિટ પર પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર સીટથી ચુટણી જીતીને પહેલી વખત સંસદમાં પહોંચી હતી. એથિક્સ કમિટીની રિપોર્ટ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 


શું હતો સમગ્ર મામલો?


મહુઆ મોઈત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલ પુછવાનો આરોપ લાગ્યો હતો. આ મામલાની તપાસ લોકસભાની એથિક્સ કમિટીએ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મહુઆ મોઈત્રાએ સંસદની વેબસાઈટની સત્તાવાર આઈડી અને પાસવર્ડ પણ બિઝનેશમેન દર્શન હીરાનંદાનીને આપ્યો હતો. કમિટીએ આ મામલાને રાષ્ટ્રિય સુરક્ષા સાથે જોડ્યો હતો. કમિટીએ તેની તપાસમાં મહુઆ મોઈત્રાને દોષિત ઠરાવ્યા હતા અને લોકસભા અધ્યક્ષને મોઈત્રાનું લોકસભા સભ્ય પદ રદ્દ કરવાની માગ કરી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.