પત્રકાર સાગરિકા ઘોષને TMC મોકલશે રાજ્યસભામાં, પાર્ટીએ સુષ્મિતા દેવ સહિત 4 ઉમેદવારોની જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2024-02-11 16:28:25

તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય પત્રકાર સાગરિકા ઘોષ, મટુઆ સમુદાયના મમતા બાલા ઠાકુર અને સાંસદ નદીમુલ હકના નામનો પણ સમાવેશ થાય છે.


TMCએ કરી પોસ્ટ


TMCએ  તેના સત્તાવાર એક એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું છે કે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે સાગરિકા ઘોષ, સુષ્મિતા દેવ, સાંસદ મોહમ્મદ નદીમુલ હક અને મમતા બાલા ઠાકુરની ઉમેદવારીની જાહેરાત કરીને અમને ખુશી થઈ રહી છે. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ તૃણમૂલની અદમ્ય ભાવના અને દરેક ભારતીયના અધિકારોની હિમાયતના કાયમી વારસાને જાળવી રાખવા માટે કામ કરશે.


કોણ છે ચાર ઉમેદવારો?


ઉલ્લેખનિય છે કે સુષ્મિતા દેવ પહેલા પણ ટીએમસીના સાંસદ રહી ચૂક્યા છે. 2021માં કોંગ્રેસમાંથી ટીએમસીમાં જોડાયા બાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમનો કાર્યકાળ થોડા સમય પહેલા પુરો થયો હતો. નદીમુલ હક પાર્ટીના રાજ્યસભા સાંસદ પણ છે. મમતા ઠાકુર મટુઆ સમુદાયની ધાર્મિક 'માં' છે જેમણે 2019 માં બાણગાંવ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ ભાજપના શાંતનુ ઠાકુર સામે પરાજય થયો હતો. સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે.



આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....