ગરમીના પ્રકોપથી બચવા પ્રાણીસંગ્રહાલયમાં કરાઈ કુલરની વ્યવસ્થા, ઉપરાંત પ્રાણીના ખોરાકમાં કરાશે તરબૂચનો સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-04-20 14:07:43

ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત પાણીનો છંટકાવ પણ સતત કરવામાં આવી રહ્યો છે.         

 

પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે કરાઈ વ્યવસ્થા!

ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગરમીનો પ્રકોપ સહન કરવા લોકો મજબૂર બન્યા છે. ગરમીથી રક્ષણ મેળવવા અનેક વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કૂલર, એસી તેમજ ઠંડા પીણાનું સેવન કરી આપણે ગરમીથી રક્ષણ મેળવી લઈએ છીએ પરંતુ અબોલ પ્રાણીઓ ગરમીનો માર સહન કરવા મજબૂર બન્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રાહલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 


1500 જેટલા પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં કરે છે નિવાસ 

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પ્રાણીસંગ્રહાલયમાં 25 જેટલા કુલરો અને ગ્રીન નેટ લગાવવામાં  આવી છે. દરેક પ્રાણીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કુલર ઉપરાંત નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યું છે. તે ઉપરાંત પાંજરામાં તરબૂચ રાખવામાં આવી છે. મહત્વનું છે કે કાંકરિયા પ્રાણીસંગ્રાહલયમાં 1500 જેટલા પશુ પક્ષીઓ રહે છે. ત્યારે તમામને ગરમીથી રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.