ગરમીના પ્રકોપથી બચવા પ્રાણીસંગ્રહાલયમાં કરાઈ કુલરની વ્યવસ્થા, ઉપરાંત પ્રાણીના ખોરાકમાં કરાશે તરબૂચનો સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-04-20 14:07:43

ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત પાણીનો છંટકાવ પણ સતત કરવામાં આવી રહ્યો છે.         

 

પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે કરાઈ વ્યવસ્થા!

ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગરમીનો પ્રકોપ સહન કરવા લોકો મજબૂર બન્યા છે. ગરમીથી રક્ષણ મેળવવા અનેક વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કૂલર, એસી તેમજ ઠંડા પીણાનું સેવન કરી આપણે ગરમીથી રક્ષણ મેળવી લઈએ છીએ પરંતુ અબોલ પ્રાણીઓ ગરમીનો માર સહન કરવા મજબૂર બન્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રાહલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 


1500 જેટલા પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં કરે છે નિવાસ 

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પ્રાણીસંગ્રહાલયમાં 25 જેટલા કુલરો અને ગ્રીન નેટ લગાવવામાં  આવી છે. દરેક પ્રાણીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કુલર ઉપરાંત નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યું છે. તે ઉપરાંત પાંજરામાં તરબૂચ રાખવામાં આવી છે. મહત્વનું છે કે કાંકરિયા પ્રાણીસંગ્રાહલયમાં 1500 જેટલા પશુ પક્ષીઓ રહે છે. ત્યારે તમામને ગરમીથી રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.