ગરમીના પ્રકોપથી બચવા પ્રાણીસંગ્રહાલયમાં કરાઈ કુલરની વ્યવસ્થા, ઉપરાંત પ્રાણીના ખોરાકમાં કરાશે તરબૂચનો સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-04-20 14:07:43

ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત પાણીનો છંટકાવ પણ સતત કરવામાં આવી રહ્યો છે.         

 

પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે કરાઈ વ્યવસ્થા!

ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગરમીનો પ્રકોપ સહન કરવા લોકો મજબૂર બન્યા છે. ગરમીથી રક્ષણ મેળવવા અનેક વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કૂલર, એસી તેમજ ઠંડા પીણાનું સેવન કરી આપણે ગરમીથી રક્ષણ મેળવી લઈએ છીએ પરંતુ અબોલ પ્રાણીઓ ગરમીનો માર સહન કરવા મજબૂર બન્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રાહલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 


1500 જેટલા પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં કરે છે નિવાસ 

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પ્રાણીસંગ્રહાલયમાં 25 જેટલા કુલરો અને ગ્રીન નેટ લગાવવામાં  આવી છે. દરેક પ્રાણીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કુલર ઉપરાંત નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યું છે. તે ઉપરાંત પાંજરામાં તરબૂચ રાખવામાં આવી છે. મહત્વનું છે કે કાંકરિયા પ્રાણીસંગ્રાહલયમાં 1500 જેટલા પશુ પક્ષીઓ રહે છે. ત્યારે તમામને ગરમીથી રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે