નવરાત્રીમાં લવ જેહાદ રોકવા હિન્દુ સેના મેદાને, Jamnagarના ગરબા આયોજકોને Hindu સેનાની ચીમકી, "ગરબા રમવા તિલક કરો, ગૌમૂત્ર છંટકાવો"


  • Published By :
  • Published Date : 2023-10-13 16:54:39

રવિવારથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થવાનો છે. ગરબે ઘૂમવા ખેલૈયાઓ ઉત્સુક છે. ગરબાને લઈ ખેલૈયાઓએ તૈયારીઓ પણ કરી લીધી હશે. ગરબાનું આયોજન થશે ત્યાં એમ્બ્યુલન્સ મૂકાશે ડોક્ટર રખાશે જેવી વાતો થઈ રહી છે ત્યારે ગુજરાત હિન્દુ સેના પણ કામે લાગી હોય એવું લાગે છે. પત્રિકા વહેંચીને તેમણે હિંદુ સ્ત્રીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. નવરાત્રીમાં ગરબા દરમિયાન હિન્દુ ધર્મના લોકો સિવાય બીજા કોઈને ન આવવા દેવા માટે તેમના દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે. 


લવ જીહાદના કિસ્સામાં થઈ રહ્યો છે વધારો!

થોડા સમય પહેલા વડોદરાથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં તિલક વગર કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે તેવી વાત સામે આવી હતી. ગરબામાં એન્ટ્રી ત્યારે જ મળશે જ્યારે માથા પર તિલક હોય. ધારાસભ્ય દ્વારા પણ આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત હિન્દુ સેનાના કહ્યા મુજબ લવ જીહાદના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. માટે ગુજરાત હિન્દુ સેનાના લોકો સ્ત્રીઓને અને નાગરિકોને પત્રિકાઓ વહેંચીને જાગૃતી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 




જો ગરબામાં આવવું હોય તો આ નિયમોનું કરવું પડશે પાલન 

આ સિવાય તેમની માગ છે કે હમણા નવરાત્રિમાં જો કોઈને ગરબામાં આવવું હોય તો માથા પર તિલક લગાવવું અને ગૌમૂત્રનો છંટકાવ કરી, માતાજીની પ્રસાદી ખાધા પછી જ ગરબીમાં પ્રવેશ કરવો. ગુજરાત હિન્દુ સેનાએ ગરબા આયોજકોને ચીમકી આપી હતી કે દાંડિયારાસ આયોજકો અને સાઉન્ડ સિસ્ટમવાળા કોઈ લોકો હિન્દુ ધર્મ સિવાયના ન હોવા જોઈએ. આ કામ માત્ર હિંદુઓને જ આપવામાં આવે તેવી તેમની માગણી છે. 


જામનગરમાં પત્રિકા વહેંચાઈ! 

ગુજરાત હિન્દુ સેનાએ જામનગર શહેરના રસ્તાઓ પર પત્રિકા વહેંચી હતી તેમાં તેમણે લખ્યું હતું કે ચેતતો સમાજ સદા સુખી જાણો આતંકવાદના નવા રૂપ લવ જીહાદને.     



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.