નવરાત્રીમાં લવ જેહાદ રોકવા હિન્દુ સેના મેદાને, Jamnagarના ગરબા આયોજકોને Hindu સેનાની ચીમકી, "ગરબા રમવા તિલક કરો, ગૌમૂત્ર છંટકાવો"


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-13 16:54:39

રવિવારથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થવાનો છે. ગરબે ઘૂમવા ખેલૈયાઓ ઉત્સુક છે. ગરબાને લઈ ખેલૈયાઓએ તૈયારીઓ પણ કરી લીધી હશે. ગરબાનું આયોજન થશે ત્યાં એમ્બ્યુલન્સ મૂકાશે ડોક્ટર રખાશે જેવી વાતો થઈ રહી છે ત્યારે ગુજરાત હિન્દુ સેના પણ કામે લાગી હોય એવું લાગે છે. પત્રિકા વહેંચીને તેમણે હિંદુ સ્ત્રીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. નવરાત્રીમાં ગરબા દરમિયાન હિન્દુ ધર્મના લોકો સિવાય બીજા કોઈને ન આવવા દેવા માટે તેમના દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે. 


લવ જીહાદના કિસ્સામાં થઈ રહ્યો છે વધારો!

થોડા સમય પહેલા વડોદરાથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં તિલક વગર કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે તેવી વાત સામે આવી હતી. ગરબામાં એન્ટ્રી ત્યારે જ મળશે જ્યારે માથા પર તિલક હોય. ધારાસભ્ય દ્વારા પણ આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત હિન્દુ સેનાના કહ્યા મુજબ લવ જીહાદના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. માટે ગુજરાત હિન્દુ સેનાના લોકો સ્ત્રીઓને અને નાગરિકોને પત્રિકાઓ વહેંચીને જાગૃતી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 




જો ગરબામાં આવવું હોય તો આ નિયમોનું કરવું પડશે પાલન 

આ સિવાય તેમની માગ છે કે હમણા નવરાત્રિમાં જો કોઈને ગરબામાં આવવું હોય તો માથા પર તિલક લગાવવું અને ગૌમૂત્રનો છંટકાવ કરી, માતાજીની પ્રસાદી ખાધા પછી જ ગરબીમાં પ્રવેશ કરવો. ગુજરાત હિન્દુ સેનાએ ગરબા આયોજકોને ચીમકી આપી હતી કે દાંડિયારાસ આયોજકો અને સાઉન્ડ સિસ્ટમવાળા કોઈ લોકો હિન્દુ ધર્મ સિવાયના ન હોવા જોઈએ. આ કામ માત્ર હિંદુઓને જ આપવામાં આવે તેવી તેમની માગણી છે. 


જામનગરમાં પત્રિકા વહેંચાઈ! 

ગુજરાત હિન્દુ સેનાએ જામનગર શહેરના રસ્તાઓ પર પત્રિકા વહેંચી હતી તેમાં તેમણે લખ્યું હતું કે ચેતતો સમાજ સદા સુખી જાણો આતંકવાદના નવા રૂપ લવ જીહાદને.     



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.