આજે ભુપત ભાયાણી સહિત આ પૂર્વ ધારાસભ્ય કેસરિયો કરી શકે છે ધારણ, રેશ્મા પટેલની પોલીસે કરી અટકાયત કારણ કે... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-03 11:19:42

થોડા સમય બાદ લોકસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પહેલા સામાન્ય રીતે રાજકારણ ગરમાતું હોય છે. નિવેદનો આપવામાં આવતા હોય છે. પરંતુ અનેક વખત એવું પણ જોવા મળતું હોય છે કે ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો થતો હોય છે. બીજી પાર્ટીના નેતાઓ ચૂંટણી પહેલા કેસરિયો ધારણ કરી લેતા હોય છે. ત્યારે આજે ભાજપમાં ફરીથી ભરતી મેળો થવાનો છે તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ શકે છે. 3 ફ્રેબુઆરીના રાજ ભાજપમાં ભરતી મેળો થવાનો છે તેવી માહિતી સામે આવી છે.

Bhupat Bhayani, who won the Visavadar seat by defeating the BJP-Congress  leaders, has an impression of 108 | સરપંચથી લઈ ધારાસભ્ય સુધીની સફર: વિસાવદર  બેઠક પર ભાજપ-કૉંગ્રેસના નેતાઓને પછડાટ ...

આજે બે પૂર્વ ધારાસભ્યો જોડાઈ શકે છે ભાજપમાં!

ભારતીય જનતા પાર્ટીમાં આજે ભરતી મેળો યોજાવાનો છે તેવી માહિતી સામે આવી છે. ચૂંટણી પહેલા અનેક કાર્યકરો તેમજ નેતાઓ  કેસરિયો ધારણ કરી લેતા હોય છે. અલગ અલગ જગ્યાઓના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે અને આજે આપના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે.


રેશ્મા પટેલે ભૂપત ભાયાણીને લઈ આપી હતી પ્રતિક્રિયા  

ગઈકાલે રેશ્મા પટેલે ભૂપત ભાયાણીને લઈ પ્રતિક્રિયા આપી છે. ગઈકાલે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રેશ્મા પટેલે ભૂપત ભાયાણી પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે જ્યારે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે ત્યારે તે (રેશ્મા પટેલ) ભૂપત ભાયાણીને વિશ્વાસઘાત બદલ જૂત્તુ મારવા ત્યાં જશે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસ દ્વારા રેશ્મા પટેલની અટકાયત કરી લેવામાં આવી છે. 

AAP વિધાનસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાશે - મુંબઈ સમાચાર

આ તારીખે ભૂપત ભાયાણીએ આપ્યું હતું રાજીનામું 

મહત્વનું છે કે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ 13 ડિસેમ્બરના રોજ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના પણ અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે