આજે છે અંગારકી ચોથ, ભગવાન ગણપતિને પ્રસન્ન કરવા કરો આ ઉપાય


  • Published By :
  • Published Date : 2023-01-10 13:44:48

ભગવાન ગણપતિને વિધ્નહર્તા દેવ માનવામાં આવે છે. ચોથના દિવસે ગણપતિજીની પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. ઘર-પરિવારની સુખ સમૃદ્ધિ માટે ભગવાન ગણપતિનું વ્રત કરવું જોઈએ. મંગળવારે ચોથ આવવાને કારણે આ ચોથને અંગારકિ ચોથ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ચોથનું વ્રત કરવાથી અનેક ચોથ કર્યાનું પૂણ્ય મળે છે.

ઘરમાં ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ ન કરશો આ ભૂલો, નહીં તો થશે નુકસાન


હિંદુ ધર્મમાં ચોથને વિશેષ માનવામાં આવે છે. આ તિથી ભગવાન ગણેશને સમર્પિત હોય છે. આ દિવસે વ્રત કરવાથી ભગવાન ગણેશની કૃપા મળી રહે છે. વર્ષમાં 24 ચોથ આવે છે. એક સુદ પક્ષ અને એક વદ પક્ષમાં ચોથ આવે છે. આજે જે ચોથ છે તે પોષ મહિના આવી છે જેથી તેને તલ ચોથ પણ કહેવામાં આવે છે. ચોથ મંગળવારે હોવાને કારણે આને અંગારકિ ચોથ કહેવાય છે. 

ભગવાન ગણેશના આ આઠ અવતાર દોષથી દૂર રહેવાનો આપે છે સંદેશ | lord ganesha's 8  avtar

પ્રાચીન માન્યતા અનુસાર જે લોકો ચોથનું વ્રત કરે છે તે લોકો પર ગણપિતના આશીર્વાદ રહે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે જે ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે તેના જીવનના બધા કષ્ટો દૂર થઈ જાય છે.


ચંદ્રદેવ કોણ છે, કેવી રીતે થયો હતો તેમનો જન્મ, જાણો તેમની સાથે જોડાયેલા  સવાલોના જવાબ. | Dharmik Topic

ચોથના દિવસે ચંદ્રદર્શનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચંદ્રોદય સમયે ગણપતિજીની પૂજા કરવાથી ભગવાન ગણપતિની કૃપા મળી રહે છે. શક્ય હોય તો ચોથના દિવસે ષોડષોપચાર પૂજા કરવી જોઈએ. જો શક્ય ન હોય તો પંચોપચાર પૂજા કરવી જોઈએ. ભગવાન સમક્ષ નૈવેદ્ય, સોપારી, લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. ભગવાનને લાડુનો નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. ભગવાનને દુર્વા પ્રિય હોવાથી જો દુર્વા અર્પણ કરવામાં આવે તો પણ ભગવાનની વિશેષ કૃપા મળે છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.