આજે છે અંગારકી ચોથ, ભગવાન ગણપતિને પ્રસન્ન કરવા કરો આ ઉપાય


  • Published By :
  • Published Date : 2023-01-10 13:44:48

ભગવાન ગણપતિને વિધ્નહર્તા દેવ માનવામાં આવે છે. ચોથના દિવસે ગણપતિજીની પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. ઘર-પરિવારની સુખ સમૃદ્ધિ માટે ભગવાન ગણપતિનું વ્રત કરવું જોઈએ. મંગળવારે ચોથ આવવાને કારણે આ ચોથને અંગારકિ ચોથ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ચોથનું વ્રત કરવાથી અનેક ચોથ કર્યાનું પૂણ્ય મળે છે.

ઘરમાં ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ ન કરશો આ ભૂલો, નહીં તો થશે નુકસાન


હિંદુ ધર્મમાં ચોથને વિશેષ માનવામાં આવે છે. આ તિથી ભગવાન ગણેશને સમર્પિત હોય છે. આ દિવસે વ્રત કરવાથી ભગવાન ગણેશની કૃપા મળી રહે છે. વર્ષમાં 24 ચોથ આવે છે. એક સુદ પક્ષ અને એક વદ પક્ષમાં ચોથ આવે છે. આજે જે ચોથ છે તે પોષ મહિના આવી છે જેથી તેને તલ ચોથ પણ કહેવામાં આવે છે. ચોથ મંગળવારે હોવાને કારણે આને અંગારકિ ચોથ કહેવાય છે. 

ભગવાન ગણેશના આ આઠ અવતાર દોષથી દૂર રહેવાનો આપે છે સંદેશ | lord ganesha's 8  avtar

પ્રાચીન માન્યતા અનુસાર જે લોકો ચોથનું વ્રત કરે છે તે લોકો પર ગણપિતના આશીર્વાદ રહે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે જે ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે તેના જીવનના બધા કષ્ટો દૂર થઈ જાય છે.


ચંદ્રદેવ કોણ છે, કેવી રીતે થયો હતો તેમનો જન્મ, જાણો તેમની સાથે જોડાયેલા  સવાલોના જવાબ. | Dharmik Topic

ચોથના દિવસે ચંદ્રદર્શનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચંદ્રોદય સમયે ગણપતિજીની પૂજા કરવાથી ભગવાન ગણપતિની કૃપા મળી રહે છે. શક્ય હોય તો ચોથના દિવસે ષોડષોપચાર પૂજા કરવી જોઈએ. જો શક્ય ન હોય તો પંચોપચાર પૂજા કરવી જોઈએ. ભગવાન સમક્ષ નૈવેદ્ય, સોપારી, લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. ભગવાનને લાડુનો નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. ભગવાનને દુર્વા પ્રિય હોવાથી જો દુર્વા અર્પણ કરવામાં આવે તો પણ ભગવાનની વિશેષ કૃપા મળે છે.     



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.