આજે છે અંગારકી ચોથ, ભગવાન ગણપતિને પ્રસન્ન કરવા કરો આ ઉપાય


  • Published By :
  • Published Date : 2023-01-10 13:44:48

ભગવાન ગણપતિને વિધ્નહર્તા દેવ માનવામાં આવે છે. ચોથના દિવસે ગણપતિજીની પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. ઘર-પરિવારની સુખ સમૃદ્ધિ માટે ભગવાન ગણપતિનું વ્રત કરવું જોઈએ. મંગળવારે ચોથ આવવાને કારણે આ ચોથને અંગારકિ ચોથ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ચોથનું વ્રત કરવાથી અનેક ચોથ કર્યાનું પૂણ્ય મળે છે.

ઘરમાં ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ ન કરશો આ ભૂલો, નહીં તો થશે નુકસાન


હિંદુ ધર્મમાં ચોથને વિશેષ માનવામાં આવે છે. આ તિથી ભગવાન ગણેશને સમર્પિત હોય છે. આ દિવસે વ્રત કરવાથી ભગવાન ગણેશની કૃપા મળી રહે છે. વર્ષમાં 24 ચોથ આવે છે. એક સુદ પક્ષ અને એક વદ પક્ષમાં ચોથ આવે છે. આજે જે ચોથ છે તે પોષ મહિના આવી છે જેથી તેને તલ ચોથ પણ કહેવામાં આવે છે. ચોથ મંગળવારે હોવાને કારણે આને અંગારકિ ચોથ કહેવાય છે. 

ભગવાન ગણેશના આ આઠ અવતાર દોષથી દૂર રહેવાનો આપે છે સંદેશ | lord ganesha's 8  avtar

પ્રાચીન માન્યતા અનુસાર જે લોકો ચોથનું વ્રત કરે છે તે લોકો પર ગણપિતના આશીર્વાદ રહે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે જે ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે તેના જીવનના બધા કષ્ટો દૂર થઈ જાય છે.


ચંદ્રદેવ કોણ છે, કેવી રીતે થયો હતો તેમનો જન્મ, જાણો તેમની સાથે જોડાયેલા  સવાલોના જવાબ. | Dharmik Topic

ચોથના દિવસે ચંદ્રદર્શનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચંદ્રોદય સમયે ગણપતિજીની પૂજા કરવાથી ભગવાન ગણપતિની કૃપા મળી રહે છે. શક્ય હોય તો ચોથના દિવસે ષોડષોપચાર પૂજા કરવી જોઈએ. જો શક્ય ન હોય તો પંચોપચાર પૂજા કરવી જોઈએ. ભગવાન સમક્ષ નૈવેદ્ય, સોપારી, લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. ભગવાનને લાડુનો નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. ભગવાનને દુર્વા પ્રિય હોવાથી જો દુર્વા અર્પણ કરવામાં આવે તો પણ ભગવાનની વિશેષ કૃપા મળે છે.     



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .