આજે છે ભાઈ બીજ, જાણો શા માટે મનાવવામાં આવે છે ભાઈ બીજનો તહેવાર?


  • Published By :
  • Published Date : 2024-11-03 16:40:36

આજે ભાઈ બીજનો તહેવાર છે.. ભાઈ બહેનના સંબંધને સમર્પિત આપણે અહીંયા અનેક તહેવારો છે તેમાંથી એક તહેવાર ભાઈ બીજનો છે... આ દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે જ્યાં બહેન ભાઈના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે... આ દિવસે યમુના નદીમાં ન્હાવાનું મહાત્મ્ય છે.. એવું માનવામાં આવે છે કે આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાથી પુણ્યનો ઉદય થાય છે... આ દિવસે યમુનામાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે... 


અનેક વર્ષો બાદ યમને પોતાની બહેન યમુના યાદ આવી

આપણે ત્યાં મનાવામાં આવતા અનેક તહેવારો પાછળ અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી હોય છે.. કોઈ દંતકથા પણ તહેવાર સાથે જોડાયેલી હોય છે. આજના તહેવાર પાછળ જોડાયેલી દંતકથાની વાત કરીએ તો સૂર્યની પત્ની સંજ્ઞાને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ યમ અને પુત્રીનું નામ યમુના હતું. ધીરે ધીરે યમ અને યમુનાનું એક બીજા સાથેનું વર્તન બદલાવવા લાગ્યું.. આ જોઈને યમે પોતાનું અલગ શહેર વસાવ્યું જેને આપણે યમપુરી તરીકે ઓળખીએ છીએ.. લાંબા સમય બાદ યમને પોતાની બહેન યમુના યાદ આવી... બહેનને શોધવા માટે અલગ અલગ જગ્યાઓ પર સંદેશ વાહક મોકલ્યા પરંતુ યમુનાજી ના મળ્યા... 


બહેને પોતાના ઘરે ભાઈને ભોજન કરાવ્યું

બહેન ના મળી તે બાદ પણ યમજીએ અલગ અલગ જગ્યાઓ પર યમુનાજીની શોધખોળ ચાલુ રાખી અને અંતે યમજીને યમુનાજી ગોલોકમાં મળ્યા.. યમુનાજી પોતાના ભાઈને મળીને ખૂબ ખુશ થઈ ગયા... ખુશ થયેલા યમુનાજીએ પોતાના ભાઈને ભોજન કરવાનું જેનાથી યમ એકદમ પ્રસન્ન થઈ ગયા અને પોતાની બહેનને વચન માગવાનું કહ્યું...વચનમાં બહેન યમુનાએ કહ્યું કે આજના દિવસે મારા પાણીમાં બધાએ સ્નાન કરવું જોઈએ... ઉપરાંત એવું પણ કહ્યું કે ભાઈએ પોતાની બહેનના ઘરે ભોજન કરવું જોઈએ.. બહેનનું વચન સાંભળી યમે તેમને વરદાન આપ્યું અને આ તહેવારને આપણે ભાઈ બીજ તરીકે ઉજવીએ છીએ.... 


ભાઈના કપાળ પર તિલક કરી તેમને ભોજન કરાવું જોઈએ.. 

એવું પણ અનેક લોકો માનતા હોય છે કે આજના દિવસે જો કોઈનું મોત થાય છે તો તેને સ્વયં ભગવાન નારાયણ લેવા આવતા હોય છે.. કારણ કે યમ તો તેમના બહેન યમુનાના ઘરે ગયા હોય છે.. આ દિવસે ભાઈના કપાળ પર બહેનને તિલક કરવું જોઈએ.. ભાઈના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભાઈને જમાડવું જોઈએ... આપ સૌને પણ ભાઈ બીજ પર્વની હાર્દિક શુભકામના...



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે.. )



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.