આજે છે ભાઈ બીજ, જાણો શા માટે મનાવવામાં આવે છે ભાઈ બીજનો તહેવાર?


  • Published By :
  • Published Date : 2024-11-03 16:40:36

આજે ભાઈ બીજનો તહેવાર છે.. ભાઈ બહેનના સંબંધને સમર્પિત આપણે અહીંયા અનેક તહેવારો છે તેમાંથી એક તહેવાર ભાઈ બીજનો છે... આ દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે જ્યાં બહેન ભાઈના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે... આ દિવસે યમુના નદીમાં ન્હાવાનું મહાત્મ્ય છે.. એવું માનવામાં આવે છે કે આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાથી પુણ્યનો ઉદય થાય છે... આ દિવસે યમુનામાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે... 


અનેક વર્ષો બાદ યમને પોતાની બહેન યમુના યાદ આવી

આપણે ત્યાં મનાવામાં આવતા અનેક તહેવારો પાછળ અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી હોય છે.. કોઈ દંતકથા પણ તહેવાર સાથે જોડાયેલી હોય છે. આજના તહેવાર પાછળ જોડાયેલી દંતકથાની વાત કરીએ તો સૂર્યની પત્ની સંજ્ઞાને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ યમ અને પુત્રીનું નામ યમુના હતું. ધીરે ધીરે યમ અને યમુનાનું એક બીજા સાથેનું વર્તન બદલાવવા લાગ્યું.. આ જોઈને યમે પોતાનું અલગ શહેર વસાવ્યું જેને આપણે યમપુરી તરીકે ઓળખીએ છીએ.. લાંબા સમય બાદ યમને પોતાની બહેન યમુના યાદ આવી... બહેનને શોધવા માટે અલગ અલગ જગ્યાઓ પર સંદેશ વાહક મોકલ્યા પરંતુ યમુનાજી ના મળ્યા... 


બહેને પોતાના ઘરે ભાઈને ભોજન કરાવ્યું

બહેન ના મળી તે બાદ પણ યમજીએ અલગ અલગ જગ્યાઓ પર યમુનાજીની શોધખોળ ચાલુ રાખી અને અંતે યમજીને યમુનાજી ગોલોકમાં મળ્યા.. યમુનાજી પોતાના ભાઈને મળીને ખૂબ ખુશ થઈ ગયા... ખુશ થયેલા યમુનાજીએ પોતાના ભાઈને ભોજન કરવાનું જેનાથી યમ એકદમ પ્રસન્ન થઈ ગયા અને પોતાની બહેનને વચન માગવાનું કહ્યું...વચનમાં બહેન યમુનાએ કહ્યું કે આજના દિવસે મારા પાણીમાં બધાએ સ્નાન કરવું જોઈએ... ઉપરાંત એવું પણ કહ્યું કે ભાઈએ પોતાની બહેનના ઘરે ભોજન કરવું જોઈએ.. બહેનનું વચન સાંભળી યમે તેમને વરદાન આપ્યું અને આ તહેવારને આપણે ભાઈ બીજ તરીકે ઉજવીએ છીએ.... 


ભાઈના કપાળ પર તિલક કરી તેમને ભોજન કરાવું જોઈએ.. 

એવું પણ અનેક લોકો માનતા હોય છે કે આજના દિવસે જો કોઈનું મોત થાય છે તો તેને સ્વયં ભગવાન નારાયણ લેવા આવતા હોય છે.. કારણ કે યમ તો તેમના બહેન યમુનાના ઘરે ગયા હોય છે.. આ દિવસે ભાઈના કપાળ પર બહેનને તિલક કરવું જોઈએ.. ભાઈના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભાઈને જમાડવું જોઈએ... આપ સૌને પણ ભાઈ બીજ પર્વની હાર્દિક શુભકામના...



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે.. )



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.