આજે છે ભાઈ બીજ, જાણો શા માટે મનાવવામાં આવે છે ભાઈ બીજનો તહેવાર?


  • Published By :
  • Published Date : 2024-11-03 16:40:36

આજે ભાઈ બીજનો તહેવાર છે.. ભાઈ બહેનના સંબંધને સમર્પિત આપણે અહીંયા અનેક તહેવારો છે તેમાંથી એક તહેવાર ભાઈ બીજનો છે... આ દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે જ્યાં બહેન ભાઈના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે... આ દિવસે યમુના નદીમાં ન્હાવાનું મહાત્મ્ય છે.. એવું માનવામાં આવે છે કે આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાથી પુણ્યનો ઉદય થાય છે... આ દિવસે યમુનામાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે... 


અનેક વર્ષો બાદ યમને પોતાની બહેન યમુના યાદ આવી

આપણે ત્યાં મનાવામાં આવતા અનેક તહેવારો પાછળ અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી હોય છે.. કોઈ દંતકથા પણ તહેવાર સાથે જોડાયેલી હોય છે. આજના તહેવાર પાછળ જોડાયેલી દંતકથાની વાત કરીએ તો સૂર્યની પત્ની સંજ્ઞાને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ યમ અને પુત્રીનું નામ યમુના હતું. ધીરે ધીરે યમ અને યમુનાનું એક બીજા સાથેનું વર્તન બદલાવવા લાગ્યું.. આ જોઈને યમે પોતાનું અલગ શહેર વસાવ્યું જેને આપણે યમપુરી તરીકે ઓળખીએ છીએ.. લાંબા સમય બાદ યમને પોતાની બહેન યમુના યાદ આવી... બહેનને શોધવા માટે અલગ અલગ જગ્યાઓ પર સંદેશ વાહક મોકલ્યા પરંતુ યમુનાજી ના મળ્યા... 


બહેને પોતાના ઘરે ભાઈને ભોજન કરાવ્યું

બહેન ના મળી તે બાદ પણ યમજીએ અલગ અલગ જગ્યાઓ પર યમુનાજીની શોધખોળ ચાલુ રાખી અને અંતે યમજીને યમુનાજી ગોલોકમાં મળ્યા.. યમુનાજી પોતાના ભાઈને મળીને ખૂબ ખુશ થઈ ગયા... ખુશ થયેલા યમુનાજીએ પોતાના ભાઈને ભોજન કરવાનું જેનાથી યમ એકદમ પ્રસન્ન થઈ ગયા અને પોતાની બહેનને વચન માગવાનું કહ્યું...વચનમાં બહેન યમુનાએ કહ્યું કે આજના દિવસે મારા પાણીમાં બધાએ સ્નાન કરવું જોઈએ... ઉપરાંત એવું પણ કહ્યું કે ભાઈએ પોતાની બહેનના ઘરે ભોજન કરવું જોઈએ.. બહેનનું વચન સાંભળી યમે તેમને વરદાન આપ્યું અને આ તહેવારને આપણે ભાઈ બીજ તરીકે ઉજવીએ છીએ.... 


ભાઈના કપાળ પર તિલક કરી તેમને ભોજન કરાવું જોઈએ.. 

એવું પણ અનેક લોકો માનતા હોય છે કે આજના દિવસે જો કોઈનું મોત થાય છે તો તેને સ્વયં ભગવાન નારાયણ લેવા આવતા હોય છે.. કારણ કે યમ તો તેમના બહેન યમુનાના ઘરે ગયા હોય છે.. આ દિવસે ભાઈના કપાળ પર બહેનને તિલક કરવું જોઈએ.. ભાઈના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભાઈને જમાડવું જોઈએ... આપ સૌને પણ ભાઈ બીજ પર્વની હાર્દિક શુભકામના...



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે.. )



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.