આજે દિવાળી... વિક્રમ સંવત 2080નો છેલ્લો દિવસ....


  • Published By :
  • Published Date : 2024-10-31 10:44:13

લોકો જે તહેવારની આતુરતાથી રાહ જોતા હતા તે દિવાળીનો તહેવાર આજે છે... આજે વિક્રમ સંવત 2080નો અંતિમ દિવસ છે. આવતી કાલથી નવા વર્ષનો પ્રારંભ થવાનો છે... દિવાળીને ધર્મનો અધર્મ પર, સત્યનો અસત્ય પરનો પર્વ માનવામાં આવે છે... માન્યતા અનુસાર રાવણ પર વિજય મેળવી રામ ભગવાન આ દિવસે અયોધ્યા આવ્યા હતા.. તે વખતે અયોધ્યા વાસીઓએ દિવડા પ્રગટાવ્યા હતા અને ત્યારથી દિવાળીના તહેવારો દરમિયાન દિવડા પ્રગટાવવામાં આવે છે.... 


માતાજીએ દૈત્યનો કર્યો હતો સંહાર

બીજી એક માન્યતા અનુસાર મહાકાળીએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો. રાક્ષસોનો સંહાર થવાથી દેવતાઓ પ્રસન્ન થયા અને માતાજીનું ગુણગાન ગાવા લાગ્યા.. દેવોએ દીવડા પ્રગટાવીને વિજયને વધાવ્યો હતો.. બીજી એક માન્યતા પણ એવી છે કે પાંડવો ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી હસ્તિનાપુર આવ્યા હતા અને તેની ખુશીમાં પ્રજાએ દિવડા પ્રગટાવ્યા હતા.. એવી પણ માન્યતા છે કે માતા લક્ષ્મી આ દિવસે પ્રગટ થયા હતા.. 


રંગોળી કરવામાં આવે છે દિવાળીના તહેવારોમાં 

દિવાળીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. આ દિવસે ચોપડા પૂજન કરી દેવીના આશીર્વાદ લેવામાં આવે છે... માતા સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે.. આ દિવસે માતા લક્ષ્મીની તેમજ ગણપતિજીની પણ પૂજા કરવામાં  આવે છે... તેમના આશીર્વાદ લેવામાં આવે છે.. દિવાળીના દિવસો દરમિયાન રંગોળી પણ કરવામાં આવે છે.. રંગોળીને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે.. રંગોળી સ્વચ્છતાને દર્શાવે છે.. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુતા હોય છે... દિવાળી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના....


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."