આજે દિવાળી... વિક્રમ સંવત 2080નો છેલ્લો દિવસ....


  • Published By :
  • Published Date : 2024-10-31 10:44:13

લોકો જે તહેવારની આતુરતાથી રાહ જોતા હતા તે દિવાળીનો તહેવાર આજે છે... આજે વિક્રમ સંવત 2080નો અંતિમ દિવસ છે. આવતી કાલથી નવા વર્ષનો પ્રારંભ થવાનો છે... દિવાળીને ધર્મનો અધર્મ પર, સત્યનો અસત્ય પરનો પર્વ માનવામાં આવે છે... માન્યતા અનુસાર રાવણ પર વિજય મેળવી રામ ભગવાન આ દિવસે અયોધ્યા આવ્યા હતા.. તે વખતે અયોધ્યા વાસીઓએ દિવડા પ્રગટાવ્યા હતા અને ત્યારથી દિવાળીના તહેવારો દરમિયાન દિવડા પ્રગટાવવામાં આવે છે.... 


માતાજીએ દૈત્યનો કર્યો હતો સંહાર

બીજી એક માન્યતા અનુસાર મહાકાળીએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો. રાક્ષસોનો સંહાર થવાથી દેવતાઓ પ્રસન્ન થયા અને માતાજીનું ગુણગાન ગાવા લાગ્યા.. દેવોએ દીવડા પ્રગટાવીને વિજયને વધાવ્યો હતો.. બીજી એક માન્યતા પણ એવી છે કે પાંડવો ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી હસ્તિનાપુર આવ્યા હતા અને તેની ખુશીમાં પ્રજાએ દિવડા પ્રગટાવ્યા હતા.. એવી પણ માન્યતા છે કે માતા લક્ષ્મી આ દિવસે પ્રગટ થયા હતા.. 


રંગોળી કરવામાં આવે છે દિવાળીના તહેવારોમાં 

દિવાળીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. આ દિવસે ચોપડા પૂજન કરી દેવીના આશીર્વાદ લેવામાં આવે છે... માતા સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે.. આ દિવસે માતા લક્ષ્મીની તેમજ ગણપતિજીની પણ પૂજા કરવામાં  આવે છે... તેમના આશીર્વાદ લેવામાં આવે છે.. દિવાળીના દિવસો દરમિયાન રંગોળી પણ કરવામાં આવે છે.. રંગોળીને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે.. રંગોળી સ્વચ્છતાને દર્શાવે છે.. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુતા હોય છે... દિવાળી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના....


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.