આજે દિવાળી... વિક્રમ સંવત 2080નો છેલ્લો દિવસ....


  • Published By :
  • Published Date : 2024-10-31 10:44:13

લોકો જે તહેવારની આતુરતાથી રાહ જોતા હતા તે દિવાળીનો તહેવાર આજે છે... આજે વિક્રમ સંવત 2080નો અંતિમ દિવસ છે. આવતી કાલથી નવા વર્ષનો પ્રારંભ થવાનો છે... દિવાળીને ધર્મનો અધર્મ પર, સત્યનો અસત્ય પરનો પર્વ માનવામાં આવે છે... માન્યતા અનુસાર રાવણ પર વિજય મેળવી રામ ભગવાન આ દિવસે અયોધ્યા આવ્યા હતા.. તે વખતે અયોધ્યા વાસીઓએ દિવડા પ્રગટાવ્યા હતા અને ત્યારથી દિવાળીના તહેવારો દરમિયાન દિવડા પ્રગટાવવામાં આવે છે.... 


માતાજીએ દૈત્યનો કર્યો હતો સંહાર

બીજી એક માન્યતા અનુસાર મહાકાળીએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો. રાક્ષસોનો સંહાર થવાથી દેવતાઓ પ્રસન્ન થયા અને માતાજીનું ગુણગાન ગાવા લાગ્યા.. દેવોએ દીવડા પ્રગટાવીને વિજયને વધાવ્યો હતો.. બીજી એક માન્યતા પણ એવી છે કે પાંડવો ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી હસ્તિનાપુર આવ્યા હતા અને તેની ખુશીમાં પ્રજાએ દિવડા પ્રગટાવ્યા હતા.. એવી પણ માન્યતા છે કે માતા લક્ષ્મી આ દિવસે પ્રગટ થયા હતા.. 


રંગોળી કરવામાં આવે છે દિવાળીના તહેવારોમાં 

દિવાળીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. આ દિવસે ચોપડા પૂજન કરી દેવીના આશીર્વાદ લેવામાં આવે છે... માતા સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે.. આ દિવસે માતા લક્ષ્મીની તેમજ ગણપતિજીની પણ પૂજા કરવામાં  આવે છે... તેમના આશીર્વાદ લેવામાં આવે છે.. દિવાળીના દિવસો દરમિયાન રંગોળી પણ કરવામાં આવે છે.. રંગોળીને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે.. રંગોળી સ્વચ્છતાને દર્શાવે છે.. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુતા હોય છે... દિવાળી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના....


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.