આજે દિવાળી... વિક્રમ સંવત 2080નો છેલ્લો દિવસ....


  • Published By :
  • Published Date : 2024-10-31 10:44:13

લોકો જે તહેવારની આતુરતાથી રાહ જોતા હતા તે દિવાળીનો તહેવાર આજે છે... આજે વિક્રમ સંવત 2080નો અંતિમ દિવસ છે. આવતી કાલથી નવા વર્ષનો પ્રારંભ થવાનો છે... દિવાળીને ધર્મનો અધર્મ પર, સત્યનો અસત્ય પરનો પર્વ માનવામાં આવે છે... માન્યતા અનુસાર રાવણ પર વિજય મેળવી રામ ભગવાન આ દિવસે અયોધ્યા આવ્યા હતા.. તે વખતે અયોધ્યા વાસીઓએ દિવડા પ્રગટાવ્યા હતા અને ત્યારથી દિવાળીના તહેવારો દરમિયાન દિવડા પ્રગટાવવામાં આવે છે.... 


માતાજીએ દૈત્યનો કર્યો હતો સંહાર

બીજી એક માન્યતા અનુસાર મહાકાળીએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો. રાક્ષસોનો સંહાર થવાથી દેવતાઓ પ્રસન્ન થયા અને માતાજીનું ગુણગાન ગાવા લાગ્યા.. દેવોએ દીવડા પ્રગટાવીને વિજયને વધાવ્યો હતો.. બીજી એક માન્યતા પણ એવી છે કે પાંડવો ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી હસ્તિનાપુર આવ્યા હતા અને તેની ખુશીમાં પ્રજાએ દિવડા પ્રગટાવ્યા હતા.. એવી પણ માન્યતા છે કે માતા લક્ષ્મી આ દિવસે પ્રગટ થયા હતા.. 


રંગોળી કરવામાં આવે છે દિવાળીના તહેવારોમાં 

દિવાળીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. આ દિવસે ચોપડા પૂજન કરી દેવીના આશીર્વાદ લેવામાં આવે છે... માતા સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે.. આ દિવસે માતા લક્ષ્મીની તેમજ ગણપતિજીની પણ પૂજા કરવામાં  આવે છે... તેમના આશીર્વાદ લેવામાં આવે છે.. દિવાળીના દિવસો દરમિયાન રંગોળી પણ કરવામાં આવે છે.. રંગોળીને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે.. રંગોળી સ્વચ્છતાને દર્શાવે છે.. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુતા હોય છે... દિવાળી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના....


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.