આજે મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ, પીએમ મોદી-સોનિયા સહિત અનેક નેતાઓએ રાજઘાટ પર આપી શ્રદ્ધાંજલિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 09:08:18

પીએમ મોદી ઉપરાંત કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ જગદીપ ખનખરે પણ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.


આજે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં બાપુની સ્મૃતિમાં કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.


પીએમ મોદી સિવાય પણ ઘણા નેતાઓ રાજઘાટ પર પહોંચ્યા હતા. આ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ જગદીપ ખનખરે પણ બાપુને નમન કર્યા હતા. રાજઘાટ ખાતે બાપુની સ્મૃતિમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.



સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાંધી જયંતિ નિમિત્તે બાપુને યાદ કરતાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર, આપણે મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને બધા દ્વારા વહેંચાયેલા શાંતિ, સન્માન અને આવશ્યક ગૌરવના મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. આપણે મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવીને અને વિવિધ સંસ્કૃતિઓમાં કામ કરીને આજના પડકારોને હરાવી શકીએ છીએ.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.