આજે છે શીતળા સાતમ, જાણો કેવું છે શીતળા માતાનું રૂપ અને શા માટે એક દિવસ ન ખાવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હોય છે ફાયદાકારક


  • Published By :
  • Published Date : 2023-09-06 14:48:44

ભારત દેશને તહેવારોનો દેશ માનવામાં આવે છે. અમુક તહેવારો તારીખ પ્રમાણે ઉજવાય છે તો અમુક તહેવાર તિથી પ્રમાણે ઉજવવામાં આવે છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો ભગવાન શંકરને સમર્પિત છે. પરંતુ આ મહિના દરમિયાન અનેક તહેવારો આવે છે જેની ઉજવણી ઉલ્લાસ સાથે કરવામાં આવતી હોય છે. ત્યારે આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી રહી છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે, શીતળા સાતમની તૈયારી રાધણ છઠ્ઠથી થતી હોય છે. રાધણ છઠ્ઠના દિવસે જમાવાનું તૈયાર કરવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે. આ દિવસે ચૂલો અથવા તો ગેસ સળગાવવામાં આવતો નથી.    



એક હાથમાં હોય છે સાવરણી અને એક હાથમાં હોય છે પાણી 

હિંદુ ધર્મમાં શીતળા સાતમનું વિશેષ મહત્વ રહેલું છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. પૂજા માટે વિશેષ મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. શીતળા માતાના સ્વરૂપનું વર્ણન સ્કંદપૂરણમાં જોવા મળે છે. માતાના સ્વરૂપની વાત કરી તો માતા ગદર્ભ પર સવારી કરે છે. એક હાથમાં ઠંડુ પાણી હોય છે અને બીજા હાથમાં સાવરણી અને લીમડાના પત્તા રાખે છે. 



વર્ષમાં એકવાર ઠંડુ ખાવાથી થાય છે અનેક ફાયદા 

હિંદુ ધર્મમાં મનાવાતા તહેવારની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટી પણ હોય છે. ન માત્ર ધાર્મિક કારણો પરંતુ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા હોય છે. શીતળા સાતમમાં રાખવામાં આવતા ઉપવાસની વાત  કરીએ તો આ સમયગાળો એવો હોય છે જ્યારે બિમારીઓ વકરતી હોય છે. આ સમય દરમિયાન પાચનશક્તિ નબળી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે આ જ કારણોને લઈ ચતુર્માસના ઉપવાસ કરવામાં આવે છે. વર્ષમાં એકવાર ઠંડુ ખાવાથી પેટ અને પાચનતંત્રને ફાયદો થાય છે. આ સમય દરમિયાન ઘણા લોકોને તાવ તેમજ શરદી, આંખ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે. એવું માનવામાં આવે છે કે શીતળા સાતમના દિવસે વાસી ખોરાક ખાવાથી આ બધા રોગોથી બચી શકાય છે. 



વૈજ્ઞાનિક રીતે પણ ઉપવાસનું હોય છે મહત્વ

મહત્વનું છે કે હાલ વર્ષાઋતુ ચાલી રહી છે. આ સમય દરમિયાન ભોજન અને ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. જો આ સમય દરમિયાન સ્વાસ્થ્યને લઈ યોગ્ય કાળજી રાખવામાં નથી આવતી તો અનેક પ્રકારની બિમારીઓ થઈ જતી હોય છે. તેવી જ રીતે દિવસભર ભૂખ્યા રહેવાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.