આજે છે શીતળા સાતમ, જાણો કેવું છે શીતળા માતાનું રૂપ અને શા માટે એક દિવસ ન ખાવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હોય છે ફાયદાકારક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-06 14:48:44

ભારત દેશને તહેવારોનો દેશ માનવામાં આવે છે. અમુક તહેવારો તારીખ પ્રમાણે ઉજવાય છે તો અમુક તહેવાર તિથી પ્રમાણે ઉજવવામાં આવે છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો ભગવાન શંકરને સમર્પિત છે. પરંતુ આ મહિના દરમિયાન અનેક તહેવારો આવે છે જેની ઉજવણી ઉલ્લાસ સાથે કરવામાં આવતી હોય છે. ત્યારે આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી રહી છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે, શીતળા સાતમની તૈયારી રાધણ છઠ્ઠથી થતી હોય છે. રાધણ છઠ્ઠના દિવસે જમાવાનું તૈયાર કરવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે. આ દિવસે ચૂલો અથવા તો ગેસ સળગાવવામાં આવતો નથી.    



એક હાથમાં હોય છે સાવરણી અને એક હાથમાં હોય છે પાણી 

હિંદુ ધર્મમાં શીતળા સાતમનું વિશેષ મહત્વ રહેલું છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. પૂજા માટે વિશેષ મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. શીતળા માતાના સ્વરૂપનું વર્ણન સ્કંદપૂરણમાં જોવા મળે છે. માતાના સ્વરૂપની વાત કરી તો માતા ગદર્ભ પર સવારી કરે છે. એક હાથમાં ઠંડુ પાણી હોય છે અને બીજા હાથમાં સાવરણી અને લીમડાના પત્તા રાખે છે. 



વર્ષમાં એકવાર ઠંડુ ખાવાથી થાય છે અનેક ફાયદા 

હિંદુ ધર્મમાં મનાવાતા તહેવારની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટી પણ હોય છે. ન માત્ર ધાર્મિક કારણો પરંતુ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા હોય છે. શીતળા સાતમમાં રાખવામાં આવતા ઉપવાસની વાત  કરીએ તો આ સમયગાળો એવો હોય છે જ્યારે બિમારીઓ વકરતી હોય છે. આ સમય દરમિયાન પાચનશક્તિ નબળી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે આ જ કારણોને લઈ ચતુર્માસના ઉપવાસ કરવામાં આવે છે. વર્ષમાં એકવાર ઠંડુ ખાવાથી પેટ અને પાચનતંત્રને ફાયદો થાય છે. આ સમય દરમિયાન ઘણા લોકોને તાવ તેમજ શરદી, આંખ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે. એવું માનવામાં આવે છે કે શીતળા સાતમના દિવસે વાસી ખોરાક ખાવાથી આ બધા રોગોથી બચી શકાય છે. 



વૈજ્ઞાનિક રીતે પણ ઉપવાસનું હોય છે મહત્વ

મહત્વનું છે કે હાલ વર્ષાઋતુ ચાલી રહી છે. આ સમય દરમિયાન ભોજન અને ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. જો આ સમય દરમિયાન સ્વાસ્થ્યને લઈ યોગ્ય કાળજી રાખવામાં નથી આવતી તો અનેક પ્રકારની બિમારીઓ થઈ જતી હોય છે. તેવી જ રીતે દિવસભર ભૂખ્યા રહેવાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.