આજે છે શીતળા સાતમ, જાણો કેવું છે શીતળા માતાનું રૂપ અને શા માટે એક દિવસ ન ખાવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હોય છે ફાયદાકારક


  • Published By :
  • Published Date : 2023-09-06 14:48:44

ભારત દેશને તહેવારોનો દેશ માનવામાં આવે છે. અમુક તહેવારો તારીખ પ્રમાણે ઉજવાય છે તો અમુક તહેવાર તિથી પ્રમાણે ઉજવવામાં આવે છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો ભગવાન શંકરને સમર્પિત છે. પરંતુ આ મહિના દરમિયાન અનેક તહેવારો આવે છે જેની ઉજવણી ઉલ્લાસ સાથે કરવામાં આવતી હોય છે. ત્યારે આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી રહી છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે, શીતળા સાતમની તૈયારી રાધણ છઠ્ઠથી થતી હોય છે. રાધણ છઠ્ઠના દિવસે જમાવાનું તૈયાર કરવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે. આ દિવસે ચૂલો અથવા તો ગેસ સળગાવવામાં આવતો નથી.    



એક હાથમાં હોય છે સાવરણી અને એક હાથમાં હોય છે પાણી 

હિંદુ ધર્મમાં શીતળા સાતમનું વિશેષ મહત્વ રહેલું છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. પૂજા માટે વિશેષ મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. શીતળા માતાના સ્વરૂપનું વર્ણન સ્કંદપૂરણમાં જોવા મળે છે. માતાના સ્વરૂપની વાત કરી તો માતા ગદર્ભ પર સવારી કરે છે. એક હાથમાં ઠંડુ પાણી હોય છે અને બીજા હાથમાં સાવરણી અને લીમડાના પત્તા રાખે છે. 



વર્ષમાં એકવાર ઠંડુ ખાવાથી થાય છે અનેક ફાયદા 

હિંદુ ધર્મમાં મનાવાતા તહેવારની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટી પણ હોય છે. ન માત્ર ધાર્મિક કારણો પરંતુ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા હોય છે. શીતળા સાતમમાં રાખવામાં આવતા ઉપવાસની વાત  કરીએ તો આ સમયગાળો એવો હોય છે જ્યારે બિમારીઓ વકરતી હોય છે. આ સમય દરમિયાન પાચનશક્તિ નબળી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે આ જ કારણોને લઈ ચતુર્માસના ઉપવાસ કરવામાં આવે છે. વર્ષમાં એકવાર ઠંડુ ખાવાથી પેટ અને પાચનતંત્રને ફાયદો થાય છે. આ સમય દરમિયાન ઘણા લોકોને તાવ તેમજ શરદી, આંખ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે. એવું માનવામાં આવે છે કે શીતળા સાતમના દિવસે વાસી ખોરાક ખાવાથી આ બધા રોગોથી બચી શકાય છે. 



વૈજ્ઞાનિક રીતે પણ ઉપવાસનું હોય છે મહત્વ

મહત્વનું છે કે હાલ વર્ષાઋતુ ચાલી રહી છે. આ સમય દરમિયાન ભોજન અને ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. જો આ સમય દરમિયાન સ્વાસ્થ્યને લઈ યોગ્ય કાળજી રાખવામાં નથી આવતી તો અનેક પ્રકારની બિમારીઓ થઈ જતી હોય છે. તેવી જ રીતે દિવસભર ભૂખ્યા રહેવાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.