આજે છે સોનલ બીજ, જાણો આઈશ્રી સોનલમાં અને સોનલ ધામ વિશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-25 15:53:09

પોષ સુદ બીજ એટલે મા સોનલનો જન્મદિવસ. એવું માનવામાં આવે છે કે સંવત 1980 પોષ સુદ બીજના રોજ જૂનાગઢના કેશોદના મઢડા ગામમાં તેમણે જન્મ લીધો.  હમીરભાઈ મોડ અને રાણાબાઈને ત્યાં પાંચમી પુત્રી બની આઈમાં શ્રી સોનલબાઈએ ભક્તોના કલ્યાણ અર્થે જન્મ લીધો. આ દિવસને સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે. હમીરબાપુને ત્યાં સોનલમાંએ પાંચમી પુત્રીના રૂપમાં તેમણે જન્મ લીધો. પહેલેથી ચાર દિકરીઓ હોવા છતાંય આનંદથી ઉત્સાહથી તેમના પિતાએ અને તેમના પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

 Facebook

તેમના પિતાને આઈશ્રી સોનબાઈમાં ગીયડ સરકડીયા નેશવાળાએ આપેલા આશીર્વાદ યાદ આવ્યા. આઈ સોનબાઈ માં ગીયડે તેમને આશીર્વાદ આપતા કહ્યું હતું કે તારી સેવાથી પ્રસન્ન થઈ છું અને તારા ઘરે પાંચમી દિકરી આવે તેને મારૂ નામ આપજે. હમીરબાપુનેઆ વાત યાદ આવી, પાંચમી પુત્રીનું નામ આઈ સોનલ આપવામાં આવ્યું. એવું પણ કહ્યું કે આ દિકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિંદુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. 

ચારણોમાં એકતા લાવવા તેમજ ચારણ સમાજમાં ચાલતા કુરિવાજોનો અંત લાવવા આઈશ્રી સોનલમાં એ અથાગ પ્રયાસો કર્યા. આખા જગતમાંથી આવતા ચારણોને માએ ચેતવ્યા. પૂરૂષાર્થ કરવા માતાજીએ ચારણોને પ્રેર્યા. અનેક સ્થળો પર જઈ ચારણ સમાજમાં ઘર કરી ગયેલા રીતિરિવાજો, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા વગેરને દુર કરવાનો પ્રયાસ કર્યો. કન્યા કેળવણી, ઈશ્વરની આસ્થા વગેરે વસ્તુઓને પ્રોત્સાહન આપવા લાગ્યા. આઈ સોનલમાંના સ્વરૂપમાં ચારણોને શક્તિના દર્શન થવા લાગ્યા. તેમના આંગણે આવવાથી બધાને સુખ અને શાંતિની અનુભૂતિ થવા લાગી. 

ચારણોની હાજરાહજૂર દેવી માતા આઈ સોનલનો ઇતિહાસ, મહિમા અને માતાનું અનેરું  મહત્વ...!! વાંચો લેખ

મઢડાવાળી સોનલ માતાજીનું મંદિર મઢડા ગામમાં આવેલું છે. જે જૂનાગઢથી 30 કિલોમીટર દૂર છે. મઢડા ગામમાં સોનલ માતાજીનું મંદિર સોનલ ધામથી પ્રખ્યાત છે. આ ગામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સોનલધામના દર્શન કરવા દેશ-વિદેશથી ભક્તો આવે છે. ભક્તો માતા પર અપાર શ્રદ્ધા રાખે છે અને તેમના હુકમ વગર કોઈ પણ કામ કરતા નથી. દર વર્ષે સોનલ માનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવામાં આવે છે. જે ભક્તો અપાર શ્રદ્ધા સાથે માના શરણમાં શીશ ઝૂકાવે છે તેની પર મા સોનલના આશીર્વાદ હમેશાં રહે છે.           




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.