આજે છે સોનલ બીજ, જાણો આઈશ્રી સોનલમાં અને સોનલ ધામ વિશે


  • Published By :
  • Published Date : 2022-12-25 15:53:09

પોષ સુદ બીજ એટલે મા સોનલનો જન્મદિવસ. એવું માનવામાં આવે છે કે સંવત 1980 પોષ સુદ બીજના રોજ જૂનાગઢના કેશોદના મઢડા ગામમાં તેમણે જન્મ લીધો.  હમીરભાઈ મોડ અને રાણાબાઈને ત્યાં પાંચમી પુત્રી બની આઈમાં શ્રી સોનલબાઈએ ભક્તોના કલ્યાણ અર્થે જન્મ લીધો. આ દિવસને સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે. હમીરબાપુને ત્યાં સોનલમાંએ પાંચમી પુત્રીના રૂપમાં તેમણે જન્મ લીધો. પહેલેથી ચાર દિકરીઓ હોવા છતાંય આનંદથી ઉત્સાહથી તેમના પિતાએ અને તેમના પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

 Facebook

તેમના પિતાને આઈશ્રી સોનબાઈમાં ગીયડ સરકડીયા નેશવાળાએ આપેલા આશીર્વાદ યાદ આવ્યા. આઈ સોનબાઈ માં ગીયડે તેમને આશીર્વાદ આપતા કહ્યું હતું કે તારી સેવાથી પ્રસન્ન થઈ છું અને તારા ઘરે પાંચમી દિકરી આવે તેને મારૂ નામ આપજે. હમીરબાપુનેઆ વાત યાદ આવી, પાંચમી પુત્રીનું નામ આઈ સોનલ આપવામાં આવ્યું. એવું પણ કહ્યું કે આ દિકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિંદુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. 

ચારણોમાં એકતા લાવવા તેમજ ચારણ સમાજમાં ચાલતા કુરિવાજોનો અંત લાવવા આઈશ્રી સોનલમાં એ અથાગ પ્રયાસો કર્યા. આખા જગતમાંથી આવતા ચારણોને માએ ચેતવ્યા. પૂરૂષાર્થ કરવા માતાજીએ ચારણોને પ્રેર્યા. અનેક સ્થળો પર જઈ ચારણ સમાજમાં ઘર કરી ગયેલા રીતિરિવાજો, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા વગેરને દુર કરવાનો પ્રયાસ કર્યો. કન્યા કેળવણી, ઈશ્વરની આસ્થા વગેરે વસ્તુઓને પ્રોત્સાહન આપવા લાગ્યા. આઈ સોનલમાંના સ્વરૂપમાં ચારણોને શક્તિના દર્શન થવા લાગ્યા. તેમના આંગણે આવવાથી બધાને સુખ અને શાંતિની અનુભૂતિ થવા લાગી. 

ચારણોની હાજરાહજૂર દેવી માતા આઈ સોનલનો ઇતિહાસ, મહિમા અને માતાનું અનેરું  મહત્વ...!! વાંચો લેખ

મઢડાવાળી સોનલ માતાજીનું મંદિર મઢડા ગામમાં આવેલું છે. જે જૂનાગઢથી 30 કિલોમીટર દૂર છે. મઢડા ગામમાં સોનલ માતાજીનું મંદિર સોનલ ધામથી પ્રખ્યાત છે. આ ગામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સોનલધામના દર્શન કરવા દેશ-વિદેશથી ભક્તો આવે છે. ભક્તો માતા પર અપાર શ્રદ્ધા રાખે છે અને તેમના હુકમ વગર કોઈ પણ કામ કરતા નથી. દર વર્ષે સોનલ માનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવામાં આવે છે. જે ભક્તો અપાર શ્રદ્ધા સાથે માના શરણમાં શીશ ઝૂકાવે છે તેની પર મા સોનલના આશીર્વાદ હમેશાં રહે છે.           




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી