આજે છે સોનલ બીજ, જાણો આઈશ્રી સોનલમાં અને સોનલ ધામ વિશે


  • Published By :
  • Published Date : 2022-12-25 15:53:09

પોષ સુદ બીજ એટલે મા સોનલનો જન્મદિવસ. એવું માનવામાં આવે છે કે સંવત 1980 પોષ સુદ બીજના રોજ જૂનાગઢના કેશોદના મઢડા ગામમાં તેમણે જન્મ લીધો.  હમીરભાઈ મોડ અને રાણાબાઈને ત્યાં પાંચમી પુત્રી બની આઈમાં શ્રી સોનલબાઈએ ભક્તોના કલ્યાણ અર્થે જન્મ લીધો. આ દિવસને સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે. હમીરબાપુને ત્યાં સોનલમાંએ પાંચમી પુત્રીના રૂપમાં તેમણે જન્મ લીધો. પહેલેથી ચાર દિકરીઓ હોવા છતાંય આનંદથી ઉત્સાહથી તેમના પિતાએ અને તેમના પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

 Facebook

તેમના પિતાને આઈશ્રી સોનબાઈમાં ગીયડ સરકડીયા નેશવાળાએ આપેલા આશીર્વાદ યાદ આવ્યા. આઈ સોનબાઈ માં ગીયડે તેમને આશીર્વાદ આપતા કહ્યું હતું કે તારી સેવાથી પ્રસન્ન થઈ છું અને તારા ઘરે પાંચમી દિકરી આવે તેને મારૂ નામ આપજે. હમીરબાપુનેઆ વાત યાદ આવી, પાંચમી પુત્રીનું નામ આઈ સોનલ આપવામાં આવ્યું. એવું પણ કહ્યું કે આ દિકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિંદુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. 

ચારણોમાં એકતા લાવવા તેમજ ચારણ સમાજમાં ચાલતા કુરિવાજોનો અંત લાવવા આઈશ્રી સોનલમાં એ અથાગ પ્રયાસો કર્યા. આખા જગતમાંથી આવતા ચારણોને માએ ચેતવ્યા. પૂરૂષાર્થ કરવા માતાજીએ ચારણોને પ્રેર્યા. અનેક સ્થળો પર જઈ ચારણ સમાજમાં ઘર કરી ગયેલા રીતિરિવાજો, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા વગેરને દુર કરવાનો પ્રયાસ કર્યો. કન્યા કેળવણી, ઈશ્વરની આસ્થા વગેરે વસ્તુઓને પ્રોત્સાહન આપવા લાગ્યા. આઈ સોનલમાંના સ્વરૂપમાં ચારણોને શક્તિના દર્શન થવા લાગ્યા. તેમના આંગણે આવવાથી બધાને સુખ અને શાંતિની અનુભૂતિ થવા લાગી. 

ચારણોની હાજરાહજૂર દેવી માતા આઈ સોનલનો ઇતિહાસ, મહિમા અને માતાનું અનેરું  મહત્વ...!! વાંચો લેખ

મઢડાવાળી સોનલ માતાજીનું મંદિર મઢડા ગામમાં આવેલું છે. જે જૂનાગઢથી 30 કિલોમીટર દૂર છે. મઢડા ગામમાં સોનલ માતાજીનું મંદિર સોનલ ધામથી પ્રખ્યાત છે. આ ગામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સોનલધામના દર્શન કરવા દેશ-વિદેશથી ભક્તો આવે છે. ભક્તો માતા પર અપાર શ્રદ્ધા રાખે છે અને તેમના હુકમ વગર કોઈ પણ કામ કરતા નથી. દર વર્ષે સોનલ માનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવામાં આવે છે. જે ભક્તો અપાર શ્રદ્ધા સાથે માના શરણમાં શીશ ઝૂકાવે છે તેની પર મા સોનલના આશીર્વાદ હમેશાં રહે છે.           




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.