આજે છે સુસાઈડ પ્રિવેન્શન ડે,જાણો આજના આ દિવસની ખાસ વાતો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 12:46:44

STORY BY - DIMPLE BHATT


પ્રતિદિન વધી રહેલા આત્મહત્યાના કિસ્સાને રોકવા તેમજ જીવનનું મુલ્ય સમજાવા 10 સપ્ટેમ્બરે સુસાઈડ પ્રિવેન્શન ડે ઉજવવામાં આવે છે

2003માં International Association For Suicide Preventionએ World Health Organizationના સહયોગથી આ દિવસના ઉજવણીની શરૂઆત કરાઈ હતી


World Suicide Prevention Day 2022: What Is the Theme? Images, Quotes, and  Posters To Create Awareness and Prevent Suicides


પહેલાના જમાનામાં લોકો મજબૂત મનોબળ ધરાવતા હતા પરંતુ અત્યારે લોકોનું મનોબળ નબળું થઈ ગયું છે. કોરોના બાદ તો લોકોની મનસ્થિતિ એકદમ નબળી થઈ ગઈ છે. લોકો જીવનથી કંટાળીને મોતને વ્હાલું કરવાનું વધારે પસંદ કરે છે. પોતાનું જીવન ટુંકાવવા માટે લોકો અનેક માર્ગ અપનાવતા હોય છે. કોઈ ઉંચી બિલ્ડીંગથી કૂદી જીવન સમાપ્ત કરી દે તો પંખે લટકી જીવનનો અંત લાવે છે. નાની નાની વાતને દિલ પર લઈ લોકો ઉશ્કેરાઈ જાય છે. મહિલાઓ, પુરૂષો તેમજ હવે તો બાળકો પણ ઉશ્કેરાઈ જઈ પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે.

  

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના રિપોર્ટના પ્રમાણે ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં 9.2 ટકાનો વધારો થયો છે. સુરત અને અમદાવાદમાં આત્મહત્યાની સંખ્યા 4 આંકડામાં પહોંચી છે. કૌટુંબીક કારણોસર, પ્રેમ નિષ્ફળ જતા, ઉચ્ચ અધિકારીના ત્રાસથી તેમજ આર્થિક સમસ્યાને કારણે લોકો મોતને વ્હાલું કરે છે. સાબરમતી નદીમાં ઝંપલાવી પોતાના જીવનને ટુંકાવવાની ઘટનામાં અનેક ઘણો વધારો થયો છે. શિક્ષક, પોલીસ કર્મી, વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યવસાય ધરાવતા લોકો હોય જીવન જીવવા કરતા મોતને ગળે લગાવવાનું પસંદ કરે છે

Download suicide images for free

નીટની પરીક્ષામાં નિષ્ફળતા મળવાને કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. અમદાવાદમાં પોલીસે સપિવાર આપઘાત કર્યો હતો. સિનિયરોના ત્રાસથી પોલીસ પણ કંટાળી મોતને વ્હાલું કરે છે. જેનું ઉદાહરણ થોડા દિવસો પહેલા જ જોયું. વ્યાજ ખોરોનો ત્રાસ પણ વધતો જઈ રહ્યો છે. મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. આર્થિક રીતે કંટાળી ગયેલા લોકો જીવન ટુંકાવવાનું વધારો પસંદ કરે છે. શિક્ષકો પણ આત્મહત્યા કરી રહ્યા છે તો વિદ્યાર્થીઓ પણ નાપાસ થવાના ડરથી જીવનનો અંત લાવતા હોય છે.        


આજના લોકો ખૂબ જ ઝડપથી હતાશા પામી રહ્યા છે. ત્યારે એટલું જ કહેવું છે કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે, મરવાથી કંઈ નહીં મળે. એક વ્યક્તિ તો આત્મહત્યા કરી દુનિયાથી વિદાય લઈ લે છે પણ પોતાની પાછળ પોતાના પરિવારને રડતો મૂકી જાય છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.