આજે છે સુસાઈડ પ્રિવેન્શન ડે,જાણો આજના આ દિવસની ખાસ વાતો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 12:46:44

STORY BY - DIMPLE BHATT


પ્રતિદિન વધી રહેલા આત્મહત્યાના કિસ્સાને રોકવા તેમજ જીવનનું મુલ્ય સમજાવા 10 સપ્ટેમ્બરે સુસાઈડ પ્રિવેન્શન ડે ઉજવવામાં આવે છે

2003માં International Association For Suicide Preventionએ World Health Organizationના સહયોગથી આ દિવસના ઉજવણીની શરૂઆત કરાઈ હતી


World Suicide Prevention Day 2022: What Is the Theme? Images, Quotes, and  Posters To Create Awareness and Prevent Suicides


પહેલાના જમાનામાં લોકો મજબૂત મનોબળ ધરાવતા હતા પરંતુ અત્યારે લોકોનું મનોબળ નબળું થઈ ગયું છે. કોરોના બાદ તો લોકોની મનસ્થિતિ એકદમ નબળી થઈ ગઈ છે. લોકો જીવનથી કંટાળીને મોતને વ્હાલું કરવાનું વધારે પસંદ કરે છે. પોતાનું જીવન ટુંકાવવા માટે લોકો અનેક માર્ગ અપનાવતા હોય છે. કોઈ ઉંચી બિલ્ડીંગથી કૂદી જીવન સમાપ્ત કરી દે તો પંખે લટકી જીવનનો અંત લાવે છે. નાની નાની વાતને દિલ પર લઈ લોકો ઉશ્કેરાઈ જાય છે. મહિલાઓ, પુરૂષો તેમજ હવે તો બાળકો પણ ઉશ્કેરાઈ જઈ પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે.

  

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના રિપોર્ટના પ્રમાણે ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં 9.2 ટકાનો વધારો થયો છે. સુરત અને અમદાવાદમાં આત્મહત્યાની સંખ્યા 4 આંકડામાં પહોંચી છે. કૌટુંબીક કારણોસર, પ્રેમ નિષ્ફળ જતા, ઉચ્ચ અધિકારીના ત્રાસથી તેમજ આર્થિક સમસ્યાને કારણે લોકો મોતને વ્હાલું કરે છે. સાબરમતી નદીમાં ઝંપલાવી પોતાના જીવનને ટુંકાવવાની ઘટનામાં અનેક ઘણો વધારો થયો છે. શિક્ષક, પોલીસ કર્મી, વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યવસાય ધરાવતા લોકો હોય જીવન જીવવા કરતા મોતને ગળે લગાવવાનું પસંદ કરે છે

Download suicide images for free

નીટની પરીક્ષામાં નિષ્ફળતા મળવાને કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. અમદાવાદમાં પોલીસે સપિવાર આપઘાત કર્યો હતો. સિનિયરોના ત્રાસથી પોલીસ પણ કંટાળી મોતને વ્હાલું કરે છે. જેનું ઉદાહરણ થોડા દિવસો પહેલા જ જોયું. વ્યાજ ખોરોનો ત્રાસ પણ વધતો જઈ રહ્યો છે. મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. આર્થિક રીતે કંટાળી ગયેલા લોકો જીવન ટુંકાવવાનું વધારો પસંદ કરે છે. શિક્ષકો પણ આત્મહત્યા કરી રહ્યા છે તો વિદ્યાર્થીઓ પણ નાપાસ થવાના ડરથી જીવનનો અંત લાવતા હોય છે.        


આજના લોકો ખૂબ જ ઝડપથી હતાશા પામી રહ્યા છે. ત્યારે એટલું જ કહેવું છે કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે, મરવાથી કંઈ નહીં મળે. એક વ્યક્તિ તો આત્મહત્યા કરી દુનિયાથી વિદાય લઈ લે છે પણ પોતાની પાછળ પોતાના પરિવારને રડતો મૂકી જાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.