આજે છે સુસાઈડ પ્રિવેન્શન ડે,જાણો આજના આ દિવસની ખાસ વાતો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 12:46:44

STORY BY - DIMPLE BHATT


પ્રતિદિન વધી રહેલા આત્મહત્યાના કિસ્સાને રોકવા તેમજ જીવનનું મુલ્ય સમજાવા 10 સપ્ટેમ્બરે સુસાઈડ પ્રિવેન્શન ડે ઉજવવામાં આવે છે

2003માં International Association For Suicide Preventionએ World Health Organizationના સહયોગથી આ દિવસના ઉજવણીની શરૂઆત કરાઈ હતી


World Suicide Prevention Day 2022: What Is the Theme? Images, Quotes, and  Posters To Create Awareness and Prevent Suicides


પહેલાના જમાનામાં લોકો મજબૂત મનોબળ ધરાવતા હતા પરંતુ અત્યારે લોકોનું મનોબળ નબળું થઈ ગયું છે. કોરોના બાદ તો લોકોની મનસ્થિતિ એકદમ નબળી થઈ ગઈ છે. લોકો જીવનથી કંટાળીને મોતને વ્હાલું કરવાનું વધારે પસંદ કરે છે. પોતાનું જીવન ટુંકાવવા માટે લોકો અનેક માર્ગ અપનાવતા હોય છે. કોઈ ઉંચી બિલ્ડીંગથી કૂદી જીવન સમાપ્ત કરી દે તો પંખે લટકી જીવનનો અંત લાવે છે. નાની નાની વાતને દિલ પર લઈ લોકો ઉશ્કેરાઈ જાય છે. મહિલાઓ, પુરૂષો તેમજ હવે તો બાળકો પણ ઉશ્કેરાઈ જઈ પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે.

  

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના રિપોર્ટના પ્રમાણે ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં 9.2 ટકાનો વધારો થયો છે. સુરત અને અમદાવાદમાં આત્મહત્યાની સંખ્યા 4 આંકડામાં પહોંચી છે. કૌટુંબીક કારણોસર, પ્રેમ નિષ્ફળ જતા, ઉચ્ચ અધિકારીના ત્રાસથી તેમજ આર્થિક સમસ્યાને કારણે લોકો મોતને વ્હાલું કરે છે. સાબરમતી નદીમાં ઝંપલાવી પોતાના જીવનને ટુંકાવવાની ઘટનામાં અનેક ઘણો વધારો થયો છે. શિક્ષક, પોલીસ કર્મી, વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યવસાય ધરાવતા લોકો હોય જીવન જીવવા કરતા મોતને ગળે લગાવવાનું પસંદ કરે છે

Download suicide images for free

નીટની પરીક્ષામાં નિષ્ફળતા મળવાને કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. અમદાવાદમાં પોલીસે સપિવાર આપઘાત કર્યો હતો. સિનિયરોના ત્રાસથી પોલીસ પણ કંટાળી મોતને વ્હાલું કરે છે. જેનું ઉદાહરણ થોડા દિવસો પહેલા જ જોયું. વ્યાજ ખોરોનો ત્રાસ પણ વધતો જઈ રહ્યો છે. મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. આર્થિક રીતે કંટાળી ગયેલા લોકો જીવન ટુંકાવવાનું વધારો પસંદ કરે છે. શિક્ષકો પણ આત્મહત્યા કરી રહ્યા છે તો વિદ્યાર્થીઓ પણ નાપાસ થવાના ડરથી જીવનનો અંત લાવતા હોય છે.        


આજના લોકો ખૂબ જ ઝડપથી હતાશા પામી રહ્યા છે. ત્યારે એટલું જ કહેવું છે કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે, મરવાથી કંઈ નહીં મળે. એક વ્યક્તિ તો આત્મહત્યા કરી દુનિયાથી વિદાય લઈ લે છે પણ પોતાની પાછળ પોતાના પરિવારને રડતો મૂકી જાય છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.