આજે Swami Vivekanandaની જન્મ જયંતી જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવાય છે, શિકાગોમાં તેમણે આપેલા પ્રવચનને વાંચો..


  • Published By :
  • Published Date : 2024-01-12 18:14:54

"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" 


આ શબ્દો નરેન્દ્રનાથ દત્તના જેમને આપણે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. આજે સ્વામી વિવેકાનંદને એટલે યાદ કરવા છે કારણ કે આજે તેમની જન્મ જયંતી છે. તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશને તો પ્રતિદિન યાદ કરવા જોઈએ પરંતુ દરેક વસ્તુની જેમ આવા ઉદ્દેશય આપનાર મહાનપુરૂષોને આપણે કદાચ એક-બે દિવસો પૂરતા સિમીત કરી દીધા છે, એમાં અમે લોકો પણ આવી ગયા! આવા વ્યક્તિત્વ વિશે ચર્ચા મુખ્યત્વે ત્યારે કરવામાં આવે છે જ્યારે તેમની જન્મ જયંતી હોય કે પછી તેમની મરણ તિથી હોય. ત્યારે આજે થોડું જાણીએ સ્વામી વિવેકાનંદના જીવન વિશે. 

કઠિન મુશ્કેલીઓ વચ્ચે પણ દક્ષિણેશ્વરના ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ આ રીતે  બન્યા મહાન વિચારક | With This Things And Motivation Power Ram Krishna  Paramhans became Sant

રામ કૃષ્ણ પરમહંસને નરેન્દ્ર દત્તે બનાવ્યા આધ્યાતિમક ગુરૂ!

સ્વામી વિવેકાનંદજીનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પરિવાર વિશે વાત કરીએ તો તેમની માતા અને એક બહેન હતી. તેમના પિતાનું અવસાન તે નાના હતા ત્યારે થઈ ગયું હતું. વર્ષ 1881માં રામકૃષ્ણ પરમહંસ સાથે નરેન્દ્રદત્તની મુલાકાત થઈ અને તેમનું જીવન બદલાઈ ગયું. નરેન્દ્રદત્તે રામ કૃષ્ણ પરમહંસને પોતાના ગુરૂ તરીકે સ્વીકારી લીધા. રામ કૃષ્ણ પરમહંસના અવસાન બાદ તેઓ સન્યાસી બન્યા અને તેમનું નામ નરેન્દ્ર દત્તમાંથી સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાવવા લાગ્યા. 


શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કર્યું હતું ભારતનું પ્રતિનિધિત્વ 

અનેક એવી વાતો, અનેક એવા ઉપદ્દેશ છે જેને લઈ સ્વામી વિવેકાનંદ આપણને યાદ આવતા હોય છે. પરંતુ શિકાગોના ધર્મ પરિષદમાં તેમણે આપેલું પ્રવચન આજે પણ યાદ કરવામાં આવે છે. 11 સપ્ટેમ્બર 1893માં સ્વામી વિવેકાનંદએ ધર્મ પરિષદમાં ભાગ લીધો, તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.પ્રવચનમાં તેમણે કહ્યું હતું.... 

अमेरिका में मेरे भाइयों और बहनों मुझे गर्व है कि मैं एक ऐसे देश से हूं, जिसने इस धरती के सभी देशों और धर्मों के सताए लोगों को शरण में रखा है। मैं आपको अपने देश की प्राचीन संत परंपरा की तरफ से धन्यवाद देता हूं। आपको सभी धर्मों की जननी की तरफ से भी धन्यवाद देता हूं और सभी जाति, संप्रदाय के लाखों, करोड़ों हिंदुओं की तरफ से आभार व्यक्त करता हूं। मेरा धन्यवाद कुछ उन वक्ताओं को भी जिन्होंने इस मंच से यह कहा कि दुनिया में सहनशीलता का विचार सुदूर पूरब के देशों से फैला है। मुझे इस बात का गर्व है कि मैं ऐसे धर्म से हूं जिसने दुनिया को सहिष्णुता और सार्वभौमिक स्वीकृति का पाठ पढ़ाया और हम सभी धर्मों को स्वीकार करते हैं। जिस तरह अलग-अलग जगहों से निकली नदियां, अलग रास्तों से होकर समुद्र में मिलती हैं, ठीक उसी तरह मनुष्य भी अपनी इच्छा से अलग रास्ते चुनता है। ये रास्ते दिखने में भले ही अलग-अलग लगते हैं लेकिन ये सभी ईश्वर तक ही जाते हैं।''


આવો જાણીએ સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવેલા થોડા ઉપદેશય વિશે...

   


(અહીંયા આપેલી માહિતી એકત્રિત કરેલી છે)



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."