આજે Swami Vivekanandaની જન્મ જયંતી જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવાય છે, શિકાગોમાં તેમણે આપેલા પ્રવચનને વાંચો..


  • Published By :
  • Published Date : 2024-01-12 18:14:54

"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" 


આ શબ્દો નરેન્દ્રનાથ દત્તના જેમને આપણે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. આજે સ્વામી વિવેકાનંદને એટલે યાદ કરવા છે કારણ કે આજે તેમની જન્મ જયંતી છે. તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશને તો પ્રતિદિન યાદ કરવા જોઈએ પરંતુ દરેક વસ્તુની જેમ આવા ઉદ્દેશય આપનાર મહાનપુરૂષોને આપણે કદાચ એક-બે દિવસો પૂરતા સિમીત કરી દીધા છે, એમાં અમે લોકો પણ આવી ગયા! આવા વ્યક્તિત્વ વિશે ચર્ચા મુખ્યત્વે ત્યારે કરવામાં આવે છે જ્યારે તેમની જન્મ જયંતી હોય કે પછી તેમની મરણ તિથી હોય. ત્યારે આજે થોડું જાણીએ સ્વામી વિવેકાનંદના જીવન વિશે. 

કઠિન મુશ્કેલીઓ વચ્ચે પણ દક્ષિણેશ્વરના ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ આ રીતે  બન્યા મહાન વિચારક | With This Things And Motivation Power Ram Krishna  Paramhans became Sant

રામ કૃષ્ણ પરમહંસને નરેન્દ્ર દત્તે બનાવ્યા આધ્યાતિમક ગુરૂ!

સ્વામી વિવેકાનંદજીનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પરિવાર વિશે વાત કરીએ તો તેમની માતા અને એક બહેન હતી. તેમના પિતાનું અવસાન તે નાના હતા ત્યારે થઈ ગયું હતું. વર્ષ 1881માં રામકૃષ્ણ પરમહંસ સાથે નરેન્દ્રદત્તની મુલાકાત થઈ અને તેમનું જીવન બદલાઈ ગયું. નરેન્દ્રદત્તે રામ કૃષ્ણ પરમહંસને પોતાના ગુરૂ તરીકે સ્વીકારી લીધા. રામ કૃષ્ણ પરમહંસના અવસાન બાદ તેઓ સન્યાસી બન્યા અને તેમનું નામ નરેન્દ્ર દત્તમાંથી સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાવવા લાગ્યા. 


શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કર્યું હતું ભારતનું પ્રતિનિધિત્વ 

અનેક એવી વાતો, અનેક એવા ઉપદ્દેશ છે જેને લઈ સ્વામી વિવેકાનંદ આપણને યાદ આવતા હોય છે. પરંતુ શિકાગોના ધર્મ પરિષદમાં તેમણે આપેલું પ્રવચન આજે પણ યાદ કરવામાં આવે છે. 11 સપ્ટેમ્બર 1893માં સ્વામી વિવેકાનંદએ ધર્મ પરિષદમાં ભાગ લીધો, તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.પ્રવચનમાં તેમણે કહ્યું હતું.... 

अमेरिका में मेरे भाइयों और बहनों मुझे गर्व है कि मैं एक ऐसे देश से हूं, जिसने इस धरती के सभी देशों और धर्मों के सताए लोगों को शरण में रखा है। मैं आपको अपने देश की प्राचीन संत परंपरा की तरफ से धन्यवाद देता हूं। आपको सभी धर्मों की जननी की तरफ से भी धन्यवाद देता हूं और सभी जाति, संप्रदाय के लाखों, करोड़ों हिंदुओं की तरफ से आभार व्यक्त करता हूं। मेरा धन्यवाद कुछ उन वक्ताओं को भी जिन्होंने इस मंच से यह कहा कि दुनिया में सहनशीलता का विचार सुदूर पूरब के देशों से फैला है। मुझे इस बात का गर्व है कि मैं ऐसे धर्म से हूं जिसने दुनिया को सहिष्णुता और सार्वभौमिक स्वीकृति का पाठ पढ़ाया और हम सभी धर्मों को स्वीकार करते हैं। जिस तरह अलग-अलग जगहों से निकली नदियां, अलग रास्तों से होकर समुद्र में मिलती हैं, ठीक उसी तरह मनुष्य भी अपनी इच्छा से अलग रास्ते चुनता है। ये रास्ते दिखने में भले ही अलग-अलग लगते हैं लेकिन ये सभी ईश्वर तक ही जाते हैं।''


આવો જાણીએ સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવેલા થોડા ઉપદેશય વિશે...

   


(અહીંયા આપેલી માહિતી એકત્રિત કરેલી છે)



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.