આજે છે મહિલા વિરુદ્ધ હિંસા નિવારણ દિવસ Gujaratમાં વધ્યા મહિલા પર થતા બળાત્કારોની ઘટના, આંકડો વાંચી તમે ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-11-25 17:58:42

25 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન મહિલા વિરૂદ્ધ હિંસા નિવારણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનું કારણ એ હતું કે મહિલાઓ સામેની હિંસાની તેમના સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરો અંગે જનજાગૃતિમાં વધારો કરી શકાય. મહિલાઓ પર હિંસાના, બળજબરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહિલાઓ પર એસિડ એકેટ થાય, ગેંગ રેપ જેવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રતિમહિને સરેરાશ 45 જેટલી મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. મહિલાઓ પર એસિડ એટેક કરવામાં આવે છે, હવસનો શિકાર બનાવાય છે. 

સાકીનાકા બળાત્કાર કેસ : પીડિતાનું મૃત્યુ, આરોપી પર કડક કાર્યવાહીની માગ -  BBC News ગુજરાતી

પ્રતિ મહિને સરેરાશ 45 જેટલી મહિલાઓ બને છે બળાત્કારનો ભોગ 

એક સમય એવો હતો જ્યારે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. મહિલાઓ મોડી રાત્રે પણ ઘરની બહાર નીકળે તો તેમના માતા પિતાને ડર રહેતો ન હતો. દીકરીને લઈ માતા પિતા સુરક્ષિત અનુભવ કરી શક્તા હતા પરંતુ જેમ જેમ સમય બદલાયો તેમ તેમ પરિસ્થિતિ પણ બદલાઈ. મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય મનાતું ગુજરાત મહિલાઓ માટે અસુરક્ષિત ધીરે ધીરે બનતું ગયું. મહિલાઓ પર અત્યાચાર વધતા ગયા. મહિલાઓ પર બળાત્કાર કરવાના કિસ્સાઓ વધતા ગયા. એસિડ એટેકનો શિકાર પણ મહિલા બની રહી છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર પ્રતિ મહિને  45 જેટલી મહિલાઓ બળાત્કારનો શિકાર બની રહી છે. એક અહેવાલ અનુસાર વર્ષ 2018થી 2021 દરમિયાન ગુજરાતમાં 2156 મહિલાઓ પર બળાત્કાર થયો હતો. 

Rajkot: Man Physical Relation With Widow Women For 16 Years | રાજકોટઃ વિધવા  યુવતી સાથે સગા ભાઈએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, 16 વર્ષ સુધી કર્યો બળાત્કાર,  સાસરીમાં જઈને ...

નાની બાળકીઓ પણ બળાત્કારનો શિકાર બની રહી છે...!

લોકોની માનસિક્તા એ હદે ખરાબ થઈ ગઈ છે કે નાની બાળકીઓ પણ હવસનો શિકાર બની રહી છે. જે બાળકીઓને બળાત્કાર શબ્દ શું, જબરદસ્તી કોને કહેવાય તેવા શબ્દોની ખબર નથી હોતી તેમની પર બળાત્કાર થાય છે. અનેક કિસ્સાઓમાં તો બળાત્કાર કરનાર વ્યક્તિ તેની આસપાસનો જ હોય છે. એક અહેવાલ મુજબ વર્ષ 2018થી 2021 દરમિયાન ગુજરાતમાં 2156 મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. પ્રતિ વર્ષે સરેરાશ 550 મહિલાઓ પર બળાત્કારના કેસ નોંધાયા છે. 

પૈસા આપી 'પિતાના મિત્રો કરતા રહ્યા બળાત્કાર' : કિશોરીની કરુણ કહાણી - BBC  News ગુજરાતી


ગુજરાતની મહિલાઓ પર થાય છે એસિડનો એટેક!

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં 3762 મહિલાઓ પર અત્યાચાર થયો હોય તેવી ફરિયાદ નોંધાઇ છે. પ્રતિ મહિને સરેરાશ 100 મહિલા પર અત્યાચાર થતો હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર 2018થી 2021 દરમિયાન ૨૨ મહિલાઓ પર એસિડ એટેક થયો હોય તેવી પણ માહિતી પણ સામે આવી છે. મહત્વનું છે કે એક તરફ આપણે મહિલા સુરક્ષાની વાતો કરીએ છીએ, મહિલાઓને પુરૂષોના સમકક્ષ દરજ્જો આપવાની વાત કરીએ છીઓ તો બીજી તરફ આવા કિસ્સાઓ શર્મિંદા કરે છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી