આજે છે મહિલા વિરુદ્ધ હિંસા નિવારણ દિવસ Gujaratમાં વધ્યા મહિલા પર થતા બળાત્કારોની ઘટના, આંકડો વાંચી તમે ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-11-25 17:58:42

25 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન મહિલા વિરૂદ્ધ હિંસા નિવારણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનું કારણ એ હતું કે મહિલાઓ સામેની હિંસાની તેમના સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરો અંગે જનજાગૃતિમાં વધારો કરી શકાય. મહિલાઓ પર હિંસાના, બળજબરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહિલાઓ પર એસિડ એકેટ થાય, ગેંગ રેપ જેવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રતિમહિને સરેરાશ 45 જેટલી મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. મહિલાઓ પર એસિડ એટેક કરવામાં આવે છે, હવસનો શિકાર બનાવાય છે. 

સાકીનાકા બળાત્કાર કેસ : પીડિતાનું મૃત્યુ, આરોપી પર કડક કાર્યવાહીની માગ -  BBC News ગુજરાતી

પ્રતિ મહિને સરેરાશ 45 જેટલી મહિલાઓ બને છે બળાત્કારનો ભોગ 

એક સમય એવો હતો જ્યારે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. મહિલાઓ મોડી રાત્રે પણ ઘરની બહાર નીકળે તો તેમના માતા પિતાને ડર રહેતો ન હતો. દીકરીને લઈ માતા પિતા સુરક્ષિત અનુભવ કરી શક્તા હતા પરંતુ જેમ જેમ સમય બદલાયો તેમ તેમ પરિસ્થિતિ પણ બદલાઈ. મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય મનાતું ગુજરાત મહિલાઓ માટે અસુરક્ષિત ધીરે ધીરે બનતું ગયું. મહિલાઓ પર અત્યાચાર વધતા ગયા. મહિલાઓ પર બળાત્કાર કરવાના કિસ્સાઓ વધતા ગયા. એસિડ એટેકનો શિકાર પણ મહિલા બની રહી છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર પ્રતિ મહિને  45 જેટલી મહિલાઓ બળાત્કારનો શિકાર બની રહી છે. એક અહેવાલ અનુસાર વર્ષ 2018થી 2021 દરમિયાન ગુજરાતમાં 2156 મહિલાઓ પર બળાત્કાર થયો હતો. 

Rajkot: Man Physical Relation With Widow Women For 16 Years | રાજકોટઃ વિધવા  યુવતી સાથે સગા ભાઈએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, 16 વર્ષ સુધી કર્યો બળાત્કાર,  સાસરીમાં જઈને ...

નાની બાળકીઓ પણ બળાત્કારનો શિકાર બની રહી છે...!

લોકોની માનસિક્તા એ હદે ખરાબ થઈ ગઈ છે કે નાની બાળકીઓ પણ હવસનો શિકાર બની રહી છે. જે બાળકીઓને બળાત્કાર શબ્દ શું, જબરદસ્તી કોને કહેવાય તેવા શબ્દોની ખબર નથી હોતી તેમની પર બળાત્કાર થાય છે. અનેક કિસ્સાઓમાં તો બળાત્કાર કરનાર વ્યક્તિ તેની આસપાસનો જ હોય છે. એક અહેવાલ મુજબ વર્ષ 2018થી 2021 દરમિયાન ગુજરાતમાં 2156 મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. પ્રતિ વર્ષે સરેરાશ 550 મહિલાઓ પર બળાત્કારના કેસ નોંધાયા છે. 

પૈસા આપી 'પિતાના મિત્રો કરતા રહ્યા બળાત્કાર' : કિશોરીની કરુણ કહાણી - BBC  News ગુજરાતી


ગુજરાતની મહિલાઓ પર થાય છે એસિડનો એટેક!

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં 3762 મહિલાઓ પર અત્યાચાર થયો હોય તેવી ફરિયાદ નોંધાઇ છે. પ્રતિ મહિને સરેરાશ 100 મહિલા પર અત્યાચાર થતો હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર 2018થી 2021 દરમિયાન ૨૨ મહિલાઓ પર એસિડ એટેક થયો હોય તેવી પણ માહિતી પણ સામે આવી છે. મહત્વનું છે કે એક તરફ આપણે મહિલા સુરક્ષાની વાતો કરીએ છીએ, મહિલાઓને પુરૂષોના સમકક્ષ દરજ્જો આપવાની વાત કરીએ છીઓ તો બીજી તરફ આવા કિસ્સાઓ શર્મિંદા કરે છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.