આજે છે મહિલા વિરુદ્ધ હિંસા નિવારણ દિવસ Gujaratમાં વધ્યા મહિલા પર થતા બળાત્કારોની ઘટના, આંકડો વાંચી તમે ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-11-25 17:58:42

25 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન મહિલા વિરૂદ્ધ હિંસા નિવારણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનું કારણ એ હતું કે મહિલાઓ સામેની હિંસાની તેમના સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરો અંગે જનજાગૃતિમાં વધારો કરી શકાય. મહિલાઓ પર હિંસાના, બળજબરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહિલાઓ પર એસિડ એકેટ થાય, ગેંગ રેપ જેવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રતિમહિને સરેરાશ 45 જેટલી મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. મહિલાઓ પર એસિડ એટેક કરવામાં આવે છે, હવસનો શિકાર બનાવાય છે. 

સાકીનાકા બળાત્કાર કેસ : પીડિતાનું મૃત્યુ, આરોપી પર કડક કાર્યવાહીની માગ -  BBC News ગુજરાતી

પ્રતિ મહિને સરેરાશ 45 જેટલી મહિલાઓ બને છે બળાત્કારનો ભોગ 

એક સમય એવો હતો જ્યારે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. મહિલાઓ મોડી રાત્રે પણ ઘરની બહાર નીકળે તો તેમના માતા પિતાને ડર રહેતો ન હતો. દીકરીને લઈ માતા પિતા સુરક્ષિત અનુભવ કરી શક્તા હતા પરંતુ જેમ જેમ સમય બદલાયો તેમ તેમ પરિસ્થિતિ પણ બદલાઈ. મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય મનાતું ગુજરાત મહિલાઓ માટે અસુરક્ષિત ધીરે ધીરે બનતું ગયું. મહિલાઓ પર અત્યાચાર વધતા ગયા. મહિલાઓ પર બળાત્કાર કરવાના કિસ્સાઓ વધતા ગયા. એસિડ એટેકનો શિકાર પણ મહિલા બની રહી છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર પ્રતિ મહિને  45 જેટલી મહિલાઓ બળાત્કારનો શિકાર બની રહી છે. એક અહેવાલ અનુસાર વર્ષ 2018થી 2021 દરમિયાન ગુજરાતમાં 2156 મહિલાઓ પર બળાત્કાર થયો હતો. 

Rajkot: Man Physical Relation With Widow Women For 16 Years | રાજકોટઃ વિધવા  યુવતી સાથે સગા ભાઈએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, 16 વર્ષ સુધી કર્યો બળાત્કાર,  સાસરીમાં જઈને ...

નાની બાળકીઓ પણ બળાત્કારનો શિકાર બની રહી છે...!

લોકોની માનસિક્તા એ હદે ખરાબ થઈ ગઈ છે કે નાની બાળકીઓ પણ હવસનો શિકાર બની રહી છે. જે બાળકીઓને બળાત્કાર શબ્દ શું, જબરદસ્તી કોને કહેવાય તેવા શબ્દોની ખબર નથી હોતી તેમની પર બળાત્કાર થાય છે. અનેક કિસ્સાઓમાં તો બળાત્કાર કરનાર વ્યક્તિ તેની આસપાસનો જ હોય છે. એક અહેવાલ મુજબ વર્ષ 2018થી 2021 દરમિયાન ગુજરાતમાં 2156 મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. પ્રતિ વર્ષે સરેરાશ 550 મહિલાઓ પર બળાત્કારના કેસ નોંધાયા છે. 

પૈસા આપી 'પિતાના મિત્રો કરતા રહ્યા બળાત્કાર' : કિશોરીની કરુણ કહાણી - BBC  News ગુજરાતી


ગુજરાતની મહિલાઓ પર થાય છે એસિડનો એટેક!

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં 3762 મહિલાઓ પર અત્યાચાર થયો હોય તેવી ફરિયાદ નોંધાઇ છે. પ્રતિ મહિને સરેરાશ 100 મહિલા પર અત્યાચાર થતો હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર 2018થી 2021 દરમિયાન ૨૨ મહિલાઓ પર એસિડ એટેક થયો હોય તેવી પણ માહિતી પણ સામે આવી છે. મહત્વનું છે કે એક તરફ આપણે મહિલા સુરક્ષાની વાતો કરીએ છીએ, મહિલાઓને પુરૂષોના સમકક્ષ દરજ્જો આપવાની વાત કરીએ છીઓ તો બીજી તરફ આવા કિસ્સાઓ શર્મિંદા કરે છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.