Gyan Sahayakના વિરોધમાં નીકળેલી દાંડી યાત્રા 2.0નો આજે ચોથો દિવસ, જાણો ક્યાં પહોંચી યાત્રા? TET-TATના ઉમેદવારો આક્રામક દેખાયા


  • Published By :
  • Published Date : 2023-10-16 12:58:57

જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઘણા સમયથી ગુજરાતના ભાવી શિક્ષકો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને પોતાની માગની રજૂઆત ઉમેદવારોએ અનેક વખત કરી પરંતુ સરકાર મક્કમતાથી પોતાના નિર્ણય પર અડગ છે. જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટીઓ આવી છે. કોંગ્રેસે દ્વારા અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ધરણા કમ રેલી યોજવામાં આવે છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રા નિકાળવામાં આવી છે. દાંડીથી શરૂ થયેલી યાત્રાને આજે ચોથો દિવસ છે. આ યાત્રા આજે ક્યાં જશે તેનો મેપ યુવરાજસિંહ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે.

   

આમ આદમી પાર્ટીએ કર્યું છે દાંડીયાત્રા 2.0નું આયોજન 

ગુજરાતમાં જ્ઞાન સહાયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે TET-TAT પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારે તેમની વાત ન સાંભળી પરંતુ વિપક્ષોએ તેમને સમર્થન આપ્યું છે. વિપક્ષ દ્વારા ઉમેદવારોને સમર્થન આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ અનેક જગ્યાઓ પર જ્ઞાન સહાયકનો વિરોધ કર્યો છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી સહિત અનેક ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરવા દાંડીથી રેલી યોજી નિકળ્યા છે. આપ દ્વારા શરૂ કરવામાં આવેલી યુવા અધિકાર રેલીનો આજે ચોથો દિવસ છે.   


અલગ અલગ રીતે પોતાની વાત પહોંચાડવાનો કર્યો છે પ્રયત્ન 

મહત્વનું છે કે અલગ અલગ રીતે સરકાર સુધી પોતાની માગને પહોંચાડવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પ્રયત્ન કર્યો છે. અનેક વખત ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો તો કોઈ વખત પીએમ મોદીને પત્ર લખી પોતાની વાતને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દરેક વખત તેમની આશા નિષ્ફળ નીવડી છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલી લડાઈ કોઈ અંજામ પર પહોંચે છે?  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.