Gyan Sahayakના વિરોધમાં નીકળેલી દાંડી યાત્રા 2.0નો આજે ચોથો દિવસ, જાણો ક્યાં પહોંચી યાત્રા? TET-TATના ઉમેદવારો આક્રામક દેખાયા


  • Published By :
  • Published Date : 2023-10-16 12:58:57

જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઘણા સમયથી ગુજરાતના ભાવી શિક્ષકો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને પોતાની માગની રજૂઆત ઉમેદવારોએ અનેક વખત કરી પરંતુ સરકાર મક્કમતાથી પોતાના નિર્ણય પર અડગ છે. જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટીઓ આવી છે. કોંગ્રેસે દ્વારા અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ધરણા કમ રેલી યોજવામાં આવે છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રા નિકાળવામાં આવી છે. દાંડીથી શરૂ થયેલી યાત્રાને આજે ચોથો દિવસ છે. આ યાત્રા આજે ક્યાં જશે તેનો મેપ યુવરાજસિંહ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે.

   

આમ આદમી પાર્ટીએ કર્યું છે દાંડીયાત્રા 2.0નું આયોજન 

ગુજરાતમાં જ્ઞાન સહાયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે TET-TAT પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારે તેમની વાત ન સાંભળી પરંતુ વિપક્ષોએ તેમને સમર્થન આપ્યું છે. વિપક્ષ દ્વારા ઉમેદવારોને સમર્થન આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ અનેક જગ્યાઓ પર જ્ઞાન સહાયકનો વિરોધ કર્યો છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી સહિત અનેક ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરવા દાંડીથી રેલી યોજી નિકળ્યા છે. આપ દ્વારા શરૂ કરવામાં આવેલી યુવા અધિકાર રેલીનો આજે ચોથો દિવસ છે.   


અલગ અલગ રીતે પોતાની વાત પહોંચાડવાનો કર્યો છે પ્રયત્ન 

મહત્વનું છે કે અલગ અલગ રીતે સરકાર સુધી પોતાની માગને પહોંચાડવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પ્રયત્ન કર્યો છે. અનેક વખત ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો તો કોઈ વખત પીએમ મોદીને પત્ર લખી પોતાની વાતને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દરેક વખત તેમની આશા નિષ્ફળ નીવડી છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલી લડાઈ કોઈ અંજામ પર પહોંચે છે?  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.