Gyan Sahayakના વિરોધમાં નીકળેલી દાંડી યાત્રા 2.0નો આજે ચોથો દિવસ, જાણો ક્યાં પહોંચી યાત્રા? TET-TATના ઉમેદવારો આક્રામક દેખાયા


  • Published By :
  • Published Date : 2023-10-16 12:58:57

જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઘણા સમયથી ગુજરાતના ભાવી શિક્ષકો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને પોતાની માગની રજૂઆત ઉમેદવારોએ અનેક વખત કરી પરંતુ સરકાર મક્કમતાથી પોતાના નિર્ણય પર અડગ છે. જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટીઓ આવી છે. કોંગ્રેસે દ્વારા અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ધરણા કમ રેલી યોજવામાં આવે છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રા નિકાળવામાં આવી છે. દાંડીથી શરૂ થયેલી યાત્રાને આજે ચોથો દિવસ છે. આ યાત્રા આજે ક્યાં જશે તેનો મેપ યુવરાજસિંહ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે.

   

આમ આદમી પાર્ટીએ કર્યું છે દાંડીયાત્રા 2.0નું આયોજન 

ગુજરાતમાં જ્ઞાન સહાયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે TET-TAT પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારે તેમની વાત ન સાંભળી પરંતુ વિપક્ષોએ તેમને સમર્થન આપ્યું છે. વિપક્ષ દ્વારા ઉમેદવારોને સમર્થન આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ અનેક જગ્યાઓ પર જ્ઞાન સહાયકનો વિરોધ કર્યો છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી સહિત અનેક ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરવા દાંડીથી રેલી યોજી નિકળ્યા છે. આપ દ્વારા શરૂ કરવામાં આવેલી યુવા અધિકાર રેલીનો આજે ચોથો દિવસ છે.   


અલગ અલગ રીતે પોતાની વાત પહોંચાડવાનો કર્યો છે પ્રયત્ન 

મહત્વનું છે કે અલગ અલગ રીતે સરકાર સુધી પોતાની માગને પહોંચાડવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પ્રયત્ન કર્યો છે. અનેક વખત ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો તો કોઈ વખત પીએમ મોદીને પત્ર લખી પોતાની વાતને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દરેક વખત તેમની આશા નિષ્ફળ નીવડી છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલી લડાઈ કોઈ અંજામ પર પહોંચે છે?  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી