આજે BAPSનો ભવ્ય "સુવર્ણ કાર્યકર મહોત્સવ" જુઓ શું છે ખાસ ,મોદી સ્ટેડિયમમાં 1 લાખ હરિભક્તોનું મહાઆયોજન!


  • Published By : Payal rathod
  • Published Date : 2024-12-07 13:18:09

अक्षरम् अहं पुरुषोत्तम दासोस्मि 


એનો અર્થ થાય છે , "હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું". આ મંત્ર મહંત સ્વામી મહારાજે આપ્યો હતો.  અને આજે  સ્વામિનારાયણ ભગવાનના જે દાસ છે એટલે કાર્યકર્તાઓ છે એ લોકો માટે BAPSએ "કાર્યકર સુવર્ણ મહોત્સવ"નું આયોજન કર્યું છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે..  


કેમ આટલો ભવ્ય કાર્યક્રમ? 


પ્રમુખસ્વામી મહારાજે 1972ની 7મી ડિસેમ્બરે કાર્યકરો માટે સંગઠિત માળખું તૈયાર કર્યું હતું. આજે 52 વર્ષ પછી તે વિશાળ વટવૃક્ષ બની ગયું અને એ ખુશીમાં  ભારત સહિત 30 દેશના 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. અને મહત્વની વાત એ છે કે 10 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા 3 મહિનાથી આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યાં છે. આ કાર્યકરો પ્રત્યે મહંત સ્વામીને એવી લાગણી છે કે બધા સ્વયં સેવકો છે બધુ પોતાના હાથે કર્યું છે 



કાર્યક્રમમાં શું છે ખાસ? 

મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 5 વાગ્યે મહંત સ્વામીના 20 મિનિટના પ્રવેશોત્સવ બાદ આ વિચારનું બીજ કેવી રીતે રોપાયું, કેવી રીતે આ વૃક્ષ સર્જાયું અને આજે સમગ્ર સમાજને કેવી રીતે તેના ફળ મળી રહ્યાં છે તેની વાતો થશે સાથે જ આકર્ષણનું કેન્દ્રએ છે કે આકાશમાં ઉગતાં ફળો જોવા મળ‌શે, પાણીના એક ટીપામાંથી સમગ્ર સ્ટેડિયમમાં લહેર રચાશે સાથે જ  સેંકડો કલાકાર, લાઇટ, સાઉન્ડ અને પ્રોજેક્ટરના વિઝ્યુઅલ્સ સાથે તાલ મિલાવીને પ્રસ્તુતિઓ આપશે.


તો આ ભવ્ય કાર્યક્રમ તમે જમાવટ પર પણ નિહાળી શકશો ..... 




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."