2000ની નોટને બેન્કમાં જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ, જો આજે નોટ નહીં બદલાવો તો...


  • Published By :
  • Published Date : 2023-10-07 12:57:45

જો તમારી પાસે 2 હજારની નોટ હોય અને બેંકમાં જમા ન કરાવી હોય તો આજે જ કરાવી આવજો કારણ કે 2 હજારની નોટ જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. ભારતની રિઝર્વ બેંકે મે મહિનાની 19 તારીખે 2 હજાર રૂપિયાની નોટ બજારમાંથી ખેંચી લીધી હતી અને જમા કરાવવા માટે લોકોને કહી દીધું હતું. રિઝર્વ બેંકે આદેશ આપ્યો હતો કે 30 સપ્ટેમ્બર 2023 સુધી તમે બેંકમાંથી 2 હજાર રૂપિયાની નોટ બદલાવી શકો છો અને બીજી નોટ 2 હજારની જગ્યાએ લઈ શકો છો. જો કે એ નિર્ણયની સામે આરબીઆઈએ ફરી જાહેરાત કરીને કહ્યું હતું કે એક અઠવાડિયા માટે અમે સમયગાળો વધારીએ છીએ કારણ કે અમે ધાર્યું તું એટલી 2 હજારની નોટ બજારમાંથી બેંકમાં જમા નથી થઈ. એ 2 હજારની નોટનો દિવસ પણ આજે છેલ્લો છે. 

આટલી 2 હજારની નોટો બજારમાં ફરી રહી છે

આજે બે હજારની નોટ જમા કરાવાનો છેલ્લો દિવસ છે પણ હજુ પણ આપણા બજારમાં 12,000 કરોડની 2 હજારની નોટ ફરી રહી છે. RBIનું માનવું હતું કે 3.56 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ બજારમાંથી આવી જશે. પણ તકલીફ અહીં એ થઈ કે હજુ પણ બજારમાંથી 12 હજાર કરોડ રૂપિયાની 2 હજારની નોટ નથી આવી. એટલે આટલી નોટ હજુ પણ બજારમાં ફરી રહી છે. 


શક્તિકાંત દાસે જણાવ્યું કે.... 

આજે 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો અથવા નોટ બદલાવવાનો છેલ્લો દિવસ છે. આ પહેલાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2000 રૂપિયાની 96%થી વધુ નોટો બેંકમાં પાછી આવી છે, જેની કિંમત 3.43 લાખ કરોડ રૂપિયા છે. એમાંથી 87% નોટ બેંકમાં જમા થઈ ગઈ છે. બાકીની નોટો અન્ય નોટો માટે બદલી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાલમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે, જે પરત આવવાની બાકી છે. આરબીઆઈએ અઠવાડિયા પહેલાના ગયા શનિવારે જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બર સુધી 3.42 લાખ કરોડ રૂપિયાની નોટો પાછી આવી ગઈ છે અને 14,000 કરોડ રૂપિયા પરત કરવાના બાકી છે. સેન્ટ્રલ બેંકે પણ નોટો પરત કરવાની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવી હતી, જે આજે 7 ઓક્ટોબરે પૂરી થઈ રહી છે.


29મેંના રોજ 2 હજારની નોટને પાછી ખેંચવાની કરી જાહેરાત 

2000 રૂપિયાની ગુલાબી નોટ પરત કરવાની આજે છેલ્લી તારીખ તો આજે જ નોટ બદલી દો. બાકી 2 હજારની નોટ તમારા માટે કાગળનો ટુકડો થઈ જશે. અત્યાર સુધી ઘણા લોકોએ 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરાવી નથી. જો તમે પણ એમાં હો તો 2 હજાર રૂપિયાની નોટ બદલાવી દેજો. ભારતીય રિઝર્વ બેંકએ 29 મે 2023ના રોજ બજારમાંથી ગુલાબી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી, બેંકે તેને પરત કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખી હતી, જે વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી.

આરબીઆઈ એમપીસીની બેઠક આજથી, જાણો વ્યાજદરોમાં કેટલા વધારાની છે શક્યતા -  rbi-mpc-meeting-to-start-from-today-experts-expect-a-25-bps-rate-hike/ |  The Economic Times Gujarati

News & Views :: બે હજારની નોટ બંધ થવા અંગે સરકારે કરી સ્પષ્ટતા

8 ઓક્ટોબરથી બેંકમાં નહીં બદલાવાઈ શકાય 2 હજારની નોટ 

તો આજનો દિવસ છેલ્લો છે જેમાં આપણે બેંકથી 2 હજાર રૂપિયાની નોટ બદલાવી શકીશું પછી  2000 રૂપિયાની નોટ બદલાવવી હોય તો ખાલી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કાર્યાલયમાં જ બદલી શકાશે. 8 ઓક્ટોબરથી બેંક શાખાઓમાં નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા બંધ થઈ જશે. આ પછી લોકોએ નોટો બદલવા માટે આરબીઆઈની હાલની 19 ઓફિસમાં જવું પડશે. તો આજના દિવસે નક્કી કરી લો તમારે બેંકમાં રૂપિયા બદલાવવા છે કે આરબીઆઈમાં. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.