2000ની નોટને બેન્કમાં જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ, જો આજે નોટ નહીં બદલાવો તો...


  • Published By :
  • Published Date : 2023-10-07 12:57:45

જો તમારી પાસે 2 હજારની નોટ હોય અને બેંકમાં જમા ન કરાવી હોય તો આજે જ કરાવી આવજો કારણ કે 2 હજારની નોટ જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. ભારતની રિઝર્વ બેંકે મે મહિનાની 19 તારીખે 2 હજાર રૂપિયાની નોટ બજારમાંથી ખેંચી લીધી હતી અને જમા કરાવવા માટે લોકોને કહી દીધું હતું. રિઝર્વ બેંકે આદેશ આપ્યો હતો કે 30 સપ્ટેમ્બર 2023 સુધી તમે બેંકમાંથી 2 હજાર રૂપિયાની નોટ બદલાવી શકો છો અને બીજી નોટ 2 હજારની જગ્યાએ લઈ શકો છો. જો કે એ નિર્ણયની સામે આરબીઆઈએ ફરી જાહેરાત કરીને કહ્યું હતું કે એક અઠવાડિયા માટે અમે સમયગાળો વધારીએ છીએ કારણ કે અમે ધાર્યું તું એટલી 2 હજારની નોટ બજારમાંથી બેંકમાં જમા નથી થઈ. એ 2 હજારની નોટનો દિવસ પણ આજે છેલ્લો છે. 

આટલી 2 હજારની નોટો બજારમાં ફરી રહી છે

આજે બે હજારની નોટ જમા કરાવાનો છેલ્લો દિવસ છે પણ હજુ પણ આપણા બજારમાં 12,000 કરોડની 2 હજારની નોટ ફરી રહી છે. RBIનું માનવું હતું કે 3.56 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ બજારમાંથી આવી જશે. પણ તકલીફ અહીં એ થઈ કે હજુ પણ બજારમાંથી 12 હજાર કરોડ રૂપિયાની 2 હજારની નોટ નથી આવી. એટલે આટલી નોટ હજુ પણ બજારમાં ફરી રહી છે. 


શક્તિકાંત દાસે જણાવ્યું કે.... 

આજે 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો અથવા નોટ બદલાવવાનો છેલ્લો દિવસ છે. આ પહેલાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2000 રૂપિયાની 96%થી વધુ નોટો બેંકમાં પાછી આવી છે, જેની કિંમત 3.43 લાખ કરોડ રૂપિયા છે. એમાંથી 87% નોટ બેંકમાં જમા થઈ ગઈ છે. બાકીની નોટો અન્ય નોટો માટે બદલી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાલમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે, જે પરત આવવાની બાકી છે. આરબીઆઈએ અઠવાડિયા પહેલાના ગયા શનિવારે જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બર સુધી 3.42 લાખ કરોડ રૂપિયાની નોટો પાછી આવી ગઈ છે અને 14,000 કરોડ રૂપિયા પરત કરવાના બાકી છે. સેન્ટ્રલ બેંકે પણ નોટો પરત કરવાની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવી હતી, જે આજે 7 ઓક્ટોબરે પૂરી થઈ રહી છે.


29મેંના રોજ 2 હજારની નોટને પાછી ખેંચવાની કરી જાહેરાત 

2000 રૂપિયાની ગુલાબી નોટ પરત કરવાની આજે છેલ્લી તારીખ તો આજે જ નોટ બદલી દો. બાકી 2 હજારની નોટ તમારા માટે કાગળનો ટુકડો થઈ જશે. અત્યાર સુધી ઘણા લોકોએ 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરાવી નથી. જો તમે પણ એમાં હો તો 2 હજાર રૂપિયાની નોટ બદલાવી દેજો. ભારતીય રિઝર્વ બેંકએ 29 મે 2023ના રોજ બજારમાંથી ગુલાબી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી, બેંકે તેને પરત કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખી હતી, જે વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી.

આરબીઆઈ એમપીસીની બેઠક આજથી, જાણો વ્યાજદરોમાં કેટલા વધારાની છે શક્યતા -  rbi-mpc-meeting-to-start-from-today-experts-expect-a-25-bps-rate-hike/ |  The Economic Times Gujarati

News & Views :: બે હજારની નોટ બંધ થવા અંગે સરકારે કરી સ્પષ્ટતા

8 ઓક્ટોબરથી બેંકમાં નહીં બદલાવાઈ શકાય 2 હજારની નોટ 

તો આજનો દિવસ છેલ્લો છે જેમાં આપણે બેંકથી 2 હજાર રૂપિયાની નોટ બદલાવી શકીશું પછી  2000 રૂપિયાની નોટ બદલાવવી હોય તો ખાલી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કાર્યાલયમાં જ બદલી શકાશે. 8 ઓક્ટોબરથી બેંક શાખાઓમાં નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા બંધ થઈ જશે. આ પછી લોકોએ નોટો બદલવા માટે આરબીઆઈની હાલની 19 ઓફિસમાં જવું પડશે. તો આજના દિવસે નક્કી કરી લો તમારે બેંકમાં રૂપિયા બદલાવવા છે કે આરબીઆઈમાં. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.