2000ની નોટને બેન્કમાં જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ, જો આજે નોટ નહીં બદલાવો તો...


  • Published By :
  • Published Date : 2023-10-07 12:57:45

જો તમારી પાસે 2 હજારની નોટ હોય અને બેંકમાં જમા ન કરાવી હોય તો આજે જ કરાવી આવજો કારણ કે 2 હજારની નોટ જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. ભારતની રિઝર્વ બેંકે મે મહિનાની 19 તારીખે 2 હજાર રૂપિયાની નોટ બજારમાંથી ખેંચી લીધી હતી અને જમા કરાવવા માટે લોકોને કહી દીધું હતું. રિઝર્વ બેંકે આદેશ આપ્યો હતો કે 30 સપ્ટેમ્બર 2023 સુધી તમે બેંકમાંથી 2 હજાર રૂપિયાની નોટ બદલાવી શકો છો અને બીજી નોટ 2 હજારની જગ્યાએ લઈ શકો છો. જો કે એ નિર્ણયની સામે આરબીઆઈએ ફરી જાહેરાત કરીને કહ્યું હતું કે એક અઠવાડિયા માટે અમે સમયગાળો વધારીએ છીએ કારણ કે અમે ધાર્યું તું એટલી 2 હજારની નોટ બજારમાંથી બેંકમાં જમા નથી થઈ. એ 2 હજારની નોટનો દિવસ પણ આજે છેલ્લો છે. 

આટલી 2 હજારની નોટો બજારમાં ફરી રહી છે

આજે બે હજારની નોટ જમા કરાવાનો છેલ્લો દિવસ છે પણ હજુ પણ આપણા બજારમાં 12,000 કરોડની 2 હજારની નોટ ફરી રહી છે. RBIનું માનવું હતું કે 3.56 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ બજારમાંથી આવી જશે. પણ તકલીફ અહીં એ થઈ કે હજુ પણ બજારમાંથી 12 હજાર કરોડ રૂપિયાની 2 હજારની નોટ નથી આવી. એટલે આટલી નોટ હજુ પણ બજારમાં ફરી રહી છે. 


શક્તિકાંત દાસે જણાવ્યું કે.... 

આજે 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો અથવા નોટ બદલાવવાનો છેલ્લો દિવસ છે. આ પહેલાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2000 રૂપિયાની 96%થી વધુ નોટો બેંકમાં પાછી આવી છે, જેની કિંમત 3.43 લાખ કરોડ રૂપિયા છે. એમાંથી 87% નોટ બેંકમાં જમા થઈ ગઈ છે. બાકીની નોટો અન્ય નોટો માટે બદલી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાલમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે, જે પરત આવવાની બાકી છે. આરબીઆઈએ અઠવાડિયા પહેલાના ગયા શનિવારે જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બર સુધી 3.42 લાખ કરોડ રૂપિયાની નોટો પાછી આવી ગઈ છે અને 14,000 કરોડ રૂપિયા પરત કરવાના બાકી છે. સેન્ટ્રલ બેંકે પણ નોટો પરત કરવાની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવી હતી, જે આજે 7 ઓક્ટોબરે પૂરી થઈ રહી છે.


29મેંના રોજ 2 હજારની નોટને પાછી ખેંચવાની કરી જાહેરાત 

2000 રૂપિયાની ગુલાબી નોટ પરત કરવાની આજે છેલ્લી તારીખ તો આજે જ નોટ બદલી દો. બાકી 2 હજારની નોટ તમારા માટે કાગળનો ટુકડો થઈ જશે. અત્યાર સુધી ઘણા લોકોએ 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરાવી નથી. જો તમે પણ એમાં હો તો 2 હજાર રૂપિયાની નોટ બદલાવી દેજો. ભારતીય રિઝર્વ બેંકએ 29 મે 2023ના રોજ બજારમાંથી ગુલાબી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી, બેંકે તેને પરત કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખી હતી, જે વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી.

આરબીઆઈ એમપીસીની બેઠક આજથી, જાણો વ્યાજદરોમાં કેટલા વધારાની છે શક્યતા -  rbi-mpc-meeting-to-start-from-today-experts-expect-a-25-bps-rate-hike/ |  The Economic Times Gujarati

News & Views :: બે હજારની નોટ બંધ થવા અંગે સરકારે કરી સ્પષ્ટતા

8 ઓક્ટોબરથી બેંકમાં નહીં બદલાવાઈ શકાય 2 હજારની નોટ 

તો આજનો દિવસ છેલ્લો છે જેમાં આપણે બેંકથી 2 હજાર રૂપિયાની નોટ બદલાવી શકીશું પછી  2000 રૂપિયાની નોટ બદલાવવી હોય તો ખાલી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કાર્યાલયમાં જ બદલી શકાશે. 8 ઓક્ટોબરથી બેંક શાખાઓમાં નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા બંધ થઈ જશે. આ પછી લોકોએ નોટો બદલવા માટે આરબીઆઈની હાલની 19 ઓફિસમાં જવું પડશે. તો આજના દિવસે નક્કી કરી લો તમારે બેંકમાં રૂપિયા બદલાવવા છે કે આરબીઆઈમાં. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.