નામાંકન ભરવાનો આજે અંતિમ દિવસ, હર્ષ સંઘવી, કુમાર કાનાણીએ ભર્યા ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-14 15:15:36

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસ હોવાને કારણે ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. હર્ષ સંઘવીએ પણ સુરતની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.  

Gujarat Assembly Election 2022:: Gujarat Minister Harsh Sanghavi to file nomination papers from Surat's Majura Gujarat Assembly Election 2022: ‘આપડે સુરતને સિંગાપોર નહીં પરંતુ સિંગાપોરને સુરત જેવું બનતા જોઈશું’: હર્ષ સંઘવી


મજૂરા બેઠક માટે હર્ષ સંઘવીએ ભર્યું ઉમેદવારી ફોર્મ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. દરેક જગ્યા પર ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જઈ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે સુરત ખાતે પણ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સુરતની મજૂરા બેઠક ખાતેથી હર્ષ સંઘવી ચૂંટણી લડવાના છે. ભાજપના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા તેમણે કાર્યકરો સાથે બેઠક કરી હતી. 

કુમાર કાનાણીએ રેલીમાં ઘોડી સવારી કરી હતી.

ભાજપની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી

કુમાર કાનાણીએ પણ નોંધાવી દાવેદારી  

હર્ષ સંઘવી ઉપરાંત કામરેજ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રફૂલ પાનસેરિયા રેલી યોજી પોતાના સમર્થકોની સાથે જઈ ઉમેદવારી નોંધાવી હતી. ઉપરાંત વરાછા બેઠક પર કુમાર કાનાણીએ પોતાની દાવેદારી નોંધાવી છે. કાનાણી ઘોડે સવારી કરી પણ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉપરાંત કોંગ્રેસના કરંજ બેઠકના ઉમેદવાર ભારતી પટેલે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.