નામાંકન ભરવાનો આજે અંતિમ દિવસ, હર્ષ સંઘવી, કુમાર કાનાણીએ ભર્યા ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-14 15:15:36

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસ હોવાને કારણે ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. હર્ષ સંઘવીએ પણ સુરતની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.  

Gujarat Assembly Election 2022:: Gujarat Minister Harsh Sanghavi to file nomination papers from Surat's Majura Gujarat Assembly Election 2022: ‘આપડે સુરતને સિંગાપોર નહીં પરંતુ સિંગાપોરને સુરત જેવું બનતા જોઈશું’: હર્ષ સંઘવી


મજૂરા બેઠક માટે હર્ષ સંઘવીએ ભર્યું ઉમેદવારી ફોર્મ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. દરેક જગ્યા પર ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જઈ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે સુરત ખાતે પણ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સુરતની મજૂરા બેઠક ખાતેથી હર્ષ સંઘવી ચૂંટણી લડવાના છે. ભાજપના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા તેમણે કાર્યકરો સાથે બેઠક કરી હતી. 

કુમાર કાનાણીએ રેલીમાં ઘોડી સવારી કરી હતી.

ભાજપની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી

કુમાર કાનાણીએ પણ નોંધાવી દાવેદારી  

હર્ષ સંઘવી ઉપરાંત કામરેજ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રફૂલ પાનસેરિયા રેલી યોજી પોતાના સમર્થકોની સાથે જઈ ઉમેદવારી નોંધાવી હતી. ઉપરાંત વરાછા બેઠક પર કુમાર કાનાણીએ પોતાની દાવેદારી નોંધાવી છે. કાનાણી ઘોડે સવારી કરી પણ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉપરાંત કોંગ્રેસના કરંજ બેઠકના ઉમેદવાર ભારતી પટેલે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.