નામાંકન ભરવાનો આજે અંતિમ દિવસ, હર્ષ સંઘવી, કુમાર કાનાણીએ ભર્યા ઉમેદવારી ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-14 15:15:36

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસ હોવાને કારણે ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. હર્ષ સંઘવીએ પણ સુરતની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.  

Gujarat Assembly Election 2022:: Gujarat Minister Harsh Sanghavi to file nomination papers from Surat's Majura Gujarat Assembly Election 2022: ‘આપડે સુરતને સિંગાપોર નહીં પરંતુ સિંગાપોરને સુરત જેવું બનતા જોઈશું’: હર્ષ સંઘવી


મજૂરા બેઠક માટે હર્ષ સંઘવીએ ભર્યું ઉમેદવારી ફોર્મ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. દરેક જગ્યા પર ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જઈ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે સુરત ખાતે પણ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સુરતની મજૂરા બેઠક ખાતેથી હર્ષ સંઘવી ચૂંટણી લડવાના છે. ભાજપના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા તેમણે કાર્યકરો સાથે બેઠક કરી હતી. 

કુમાર કાનાણીએ રેલીમાં ઘોડી સવારી કરી હતી.

ભાજપની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી

કુમાર કાનાણીએ પણ નોંધાવી દાવેદારી  

હર્ષ સંઘવી ઉપરાંત કામરેજ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રફૂલ પાનસેરિયા રેલી યોજી પોતાના સમર્થકોની સાથે જઈ ઉમેદવારી નોંધાવી હતી. ઉપરાંત વરાછા બેઠક પર કુમાર કાનાણીએ પોતાની દાવેદારી નોંધાવી છે. કાનાણી ઘોડે સવારી કરી પણ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉપરાંત કોંગ્રેસના કરંજ બેઠકના ઉમેદવાર ભારતી પટેલે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.