Gyan sahayakના વિરોધમાં AAPની યુવા અધિકાર યાત્રા, TET-TATના ઉમેદવારોના સમર્થનમાં નિકળેલી દાંડીયાત્રા 2.0નો આજે બીજો દિવસ


  • Published By :
  • Published Date : 2023-10-14 13:09:34

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે. ટેટ-ટાટના ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે જ્ઞાન સહાયક પ્રોજેક્ટને રદ્દ કરાવા રજૂઆત કરી પરંતુ તેમના અવાજને સાંભળવામાં આવતો ન હતો. મૃદુ ગણાતી સરકાર પોતાના આ નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોને કોંગ્રેસનો તેમજ આમ આદમી પાર્ટીનો સાથ મળી રહ્યો છે. ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ રેલીનું આયોજન કર્યું હતું. 

દાંડી યાત્રા 2.0નો આજે બીજો દિવસ 

મહાત્મા ગાંધીએ 1930માં સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા કરી હતી જ્યારે મીઠા પર કર લગાવવામાં આવ્યો હતો. ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોએ ઉંઘી દાંડી યાત્રા શરૂ કરી છે. કરાર આધારીત ભરતી નાબુદ થાય તે માટે દાંડીથી ઉમેદવારોએ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલથી ઉમેદવારોના સમર્થનમાં યુવા અધિકાર યાત્રાની શરૂઆત કરી છે. આજે તે યાત્રાનો બીજો દિવસ છે. આ યાત્રામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા ઉપરાંત મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર છે.      


કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યા શિક્ષણ બચાવો ધરણા 

કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય જ અંધકારમય હોય તો તે કેવી રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે? જ્ઞાનસહાયક નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી સિવાય કોંગ્રેસ પણ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે કોંગ્રેસે શિક્ષણ બચાવો ધરણા કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત હતા. તે બાદ જ્ઞાન સહાયકને રદ્દ કરાવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. દાંડી યાત્રા 2.0ની શરૂઆત ગઈકાલથી કરવામાં આવી છે. ત્યારે  ઉમેદવારો દ્વારા કરવામાં આવતું આંદોલન સફળ થાય છે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડશે... 



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.