Gyan sahayakના વિરોધમાં AAPની યુવા અધિકાર યાત્રા, TET-TATના ઉમેદવારોના સમર્થનમાં નિકળેલી દાંડીયાત્રા 2.0નો આજે બીજો દિવસ


  • Published By :
  • Published Date : 2023-10-14 13:09:34

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે. ટેટ-ટાટના ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે જ્ઞાન સહાયક પ્રોજેક્ટને રદ્દ કરાવા રજૂઆત કરી પરંતુ તેમના અવાજને સાંભળવામાં આવતો ન હતો. મૃદુ ગણાતી સરકાર પોતાના આ નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોને કોંગ્રેસનો તેમજ આમ આદમી પાર્ટીનો સાથ મળી રહ્યો છે. ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ રેલીનું આયોજન કર્યું હતું. 

દાંડી યાત્રા 2.0નો આજે બીજો દિવસ 

મહાત્મા ગાંધીએ 1930માં સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા કરી હતી જ્યારે મીઠા પર કર લગાવવામાં આવ્યો હતો. ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોએ ઉંઘી દાંડી યાત્રા શરૂ કરી છે. કરાર આધારીત ભરતી નાબુદ થાય તે માટે દાંડીથી ઉમેદવારોએ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલથી ઉમેદવારોના સમર્થનમાં યુવા અધિકાર યાત્રાની શરૂઆત કરી છે. આજે તે યાત્રાનો બીજો દિવસ છે. આ યાત્રામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા ઉપરાંત મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર છે.      


કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યા શિક્ષણ બચાવો ધરણા 

કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય જ અંધકારમય હોય તો તે કેવી રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે? જ્ઞાનસહાયક નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી સિવાય કોંગ્રેસ પણ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે કોંગ્રેસે શિક્ષણ બચાવો ધરણા કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત હતા. તે બાદ જ્ઞાન સહાયકને રદ્દ કરાવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. દાંડી યાત્રા 2.0ની શરૂઆત ગઈકાલથી કરવામાં આવી છે. ત્યારે  ઉમેદવારો દ્વારા કરવામાં આવતું આંદોલન સફળ થાય છે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડશે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.