Arvind Kejriwalના Gujarat પ્રવાસનો આજે બીજો દિવસ, Rajpiplaની જેલમાં બંધ MLA Chaitar Vasavaની કરશે મુલાકાત


  • Published By :
  • Published Date : 2024-01-08 10:39:22

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. ગઈકાલે ચૈતર વસાવાના સમર્થનમાં તેમણે નેત્રંગ ખાતે જનસભા સંબોધી હતી. ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા અરવિંદ કેજરીવાલે મંચ પરથી એક મોટી જાહેરાત કરી હતી કે ચૈતર વસાવા ભરૂચની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.  મોટી સંખ્યામાં આદિવાસીઓ ત્યાં ઉપસ્થિત હતા અને આજે અરવિંદ કેજરીવાલ રાજપીપળામાં આવેલી જેલની મુલાકાત લેવાના છે જ્યાં ચૈતર વસાવાને રાખવામાં આવ્યા છે. 

ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી 

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે. વનકર્મીને મારવા અંગે તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. તે બાદ પોલીસથી ફરાર હતા. એક મહિના બાદ તે પોલીસ સમક્ષ હાજર થયા. જ્યારે તે હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા અને આપના નેતાઓ ત્યાં હાજર હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમર્થકો દ્વારા તેમના સમર્થનમાં રેલી નિકાળી રહ્યા છે. એવો સંદેશો ચૈતર વસાવાએ મોકલ્યો કે તે લોકસભા ચૂંટણી લડશે. ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ આવ્યા છે ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી પણ આવ્યા છે. ગઈકાલે નેત્રંગ ખાતે જનસભા સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે ભરૂચની લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. મહત્વનું છે કે જ્યારથી આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી ચૈતર વસાવાના સમર્થકો પ્રચારમાં લાગી ગયા હતા.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.