Arvind Kejriwalના Gujarat પ્રવાસનો આજે બીજો દિવસ, Rajpiplaની જેલમાં બંધ MLA Chaitar Vasavaની કરશે મુલાકાત


  • Published By :
  • Published Date : 2024-01-08 10:39:22

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. ગઈકાલે ચૈતર વસાવાના સમર્થનમાં તેમણે નેત્રંગ ખાતે જનસભા સંબોધી હતી. ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા અરવિંદ કેજરીવાલે મંચ પરથી એક મોટી જાહેરાત કરી હતી કે ચૈતર વસાવા ભરૂચની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.  મોટી સંખ્યામાં આદિવાસીઓ ત્યાં ઉપસ્થિત હતા અને આજે અરવિંદ કેજરીવાલ રાજપીપળામાં આવેલી જેલની મુલાકાત લેવાના છે જ્યાં ચૈતર વસાવાને રાખવામાં આવ્યા છે. 

ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી 

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે. વનકર્મીને મારવા અંગે તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. તે બાદ પોલીસથી ફરાર હતા. એક મહિના બાદ તે પોલીસ સમક્ષ હાજર થયા. જ્યારે તે હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા અને આપના નેતાઓ ત્યાં હાજર હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમર્થકો દ્વારા તેમના સમર્થનમાં રેલી નિકાળી રહ્યા છે. એવો સંદેશો ચૈતર વસાવાએ મોકલ્યો કે તે લોકસભા ચૂંટણી લડશે. ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ આવ્યા છે ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી પણ આવ્યા છે. ગઈકાલે નેત્રંગ ખાતે જનસભા સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે ભરૂચની લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. મહત્વનું છે કે જ્યારથી આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી ચૈતર વસાવાના સમર્થકો પ્રચારમાં લાગી ગયા હતા.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે