Parliamentમાં No Confidence Motion પર ચર્ચાનો આજે બીજો દિવસ, Rahul Gandhi આજે સંસદમાં બોલી શકે છે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-09 11:07:44

અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચા થઈ રહી છે. ગઈકાલથી શરૂ થયેલી ચર્ચામાં કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા જે ન્યુઝની હેડલાઈન્સ બની ગયા હતા. મણિપુરમાં ભડકી ઉઠેલી હિંસાને કારણે અનેક લોકોના મોત થયા છે, ત્યારે સંસદમાં આ મુદ્દાને લઈ હોબાળો અનેક વખત થયો છે. અને સંસદની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દાને લઈ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ગઈકાલે આ મુદ્દે ચર્ચાનો પ્રથમ દિવસ હતો અને કોંગ્રેસ દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી આ મુદ્દે પહેલા બોલવાના હતા પરંતુ તેમની બદલીમાં ગૌરવ ગોગોઈએ ચર્ચાની શરૂઆત કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર આજે બાર વાગ્યે સંસદમાં આ મુદ્દે રાહુલ ગાંધી બોલી શકે છે.

   

આવતી કાલે સંસદમાં પીએમ મોદી આપી શકે છે જવાબ

મણિપુર છેલ્લા અનેક મહિનાઓથી બળી રહ્યું છે. વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવેલા ગઠબંધનના સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી. તે પહેલા રાહુલ ગાંધીએ પણ મણિપુરની મુલાકાત લીધી હતી. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હજી સુધી કેમ મણિપુરની મુલાકાત લેવામાં નથી આવી તેવો પ્રશ્ન ગૌરવ ગોગોઈ દ્વારા પૂછવામાં આવ્યો હતો. તે સિવાય મણિપુર વિશે બોલવામાં શા માટે પીએમ મોદીએ આટલો સમય લીધો તે અંગે પણ તેમણે પ્રશ્ન કર્યો હતો. ત્રીજો પ્રશ્ન તેમણે એ પૂછ્યો હતો કે મણિપુરના મુખ્યમંત્રીનું રાજીનામું કેમ નથી લેવામાં આવ્યું. મહત્વનું છે કે અનેક વખત મણિપુરની ચર્ચાઓ જ્યારે સંસદમાં શરૂ થઈ હતી ત્યારે ત્યારે ભારે હોબાળો થયો છે અને કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે પીએમ મોદી સંસદમાં આ મામલે જવાબ આપશે. ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવી અને તેમને સાંસદ પદ પણ પાછું મળ્યું. ત્યારે આજે પ્રથમ વખત સાંસદ પદ મળ્યા બાદ તેઓ સંસદમાં બોલવાના છે. ત્યારે સંસદમાં રાહુલ ગાંધી શું બોલે છે તેની પર સૌ કોઈની નજર છે.      


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.