આજે છે વિશ્વ સાયકલ દિવસ! જાણો વર્લ્ડ સાયકલ ડેના ઈતિહાસ વિશે અને સાયક્લિંગ કરવાથી થતા ફાયદા


  • Published By :
  • Published Date : 2023-06-03 16:46:47

આપણામાંથી અનેક લોકોએ સૌથી પહેલા કોઈ વાહન ચલાવ્યું હશે તે સાયકલ હશે. સાયકલનું સ્થાન આપણા જીવનમાં ઘણું હોય છે. પહેલાના જમાનામાં લોકો પાસે સાયકલ જ હોતી હતી. સાયકલને કારણે આરોગ્ય પણ સારૂ રહેતું હતું અને પર્યાવરણ પણ શુદ્ધ રહેતું હતું. ત્યારે લોકોને સાયકલ ચલાવાથી થતા ફાયદા અંગે જાગૃત કરવા 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ વર્ષ 2018માં 3 જૂનને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.   


2018માં જાહેર કરાયો દિવસ! 

સાયકલ સાથે અનેક લોકોની યાદો જોડાયેલી હશે. સાયકલ ચલાવતી વખતે અનેક વખત પડ્યા હોઈશું અનેક વખત મિત્રો સાથે રેસ પણ લગાવી હશે. આમ તો સાયકલને ઘણા વર્ષો વિતી ગયા છે પરંતુ સમયની સાથે સાથે સાયકલનું મહત્વ ઘટતું જઈ રહ્યું છે. ત્યારે લોકોમાં સાયકલના મહત્વને જીવંત કરવા યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. સાયકલ ચલાવવાથી આરોગ્ય પણ સારૂ રહે છે તેમજ હવામાં પ્રદુષણ પણ ઓછું થાય છે. 


સાયકલનું આપણા જીવનમાં મહત્વ! 

જો સાયકલ ચલાવાથી થતા ફાયદાની વાત કરીએ સૌથી પહેલા તો આવે છે આપણું આરોગ્ય. સારા હેલ્થ માટે ડોક્ટરો પણ હવે સાયકલ ચલાવવાની અપીલ કરતા હોય છે. જો દરરોજ સાયકલિંગ કરવામાં  આવે તો બોડી ફિટ રહે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઉપરાંત પાચનશક્તિ પણ સારી રહે છે. તે સિવાય પ્રદુષણ પણ ઓછું થાય છે. અને અકસ્માતોની સંખ્યા પણ ઓછી થાય. રાહદારીઓની સલામતી પણ સચવાઈ જાય. ત્યારે આ બધી વસ્તુ ભૂલાઈ ન જાય અને સાયકલનું મહત્વ ઘટે નહીં તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.