આજે છે વિશ્વ સાયકલ દિવસ! જાણો વર્લ્ડ સાયકલ ડેના ઈતિહાસ વિશે અને સાયક્લિંગ કરવાથી થતા ફાયદા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-03 16:46:47

આપણામાંથી અનેક લોકોએ સૌથી પહેલા કોઈ વાહન ચલાવ્યું હશે તે સાયકલ હશે. સાયકલનું સ્થાન આપણા જીવનમાં ઘણું હોય છે. પહેલાના જમાનામાં લોકો પાસે સાયકલ જ હોતી હતી. સાયકલને કારણે આરોગ્ય પણ સારૂ રહેતું હતું અને પર્યાવરણ પણ શુદ્ધ રહેતું હતું. ત્યારે લોકોને સાયકલ ચલાવાથી થતા ફાયદા અંગે જાગૃત કરવા 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ વર્ષ 2018માં 3 જૂનને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.   


2018માં જાહેર કરાયો દિવસ! 

સાયકલ સાથે અનેક લોકોની યાદો જોડાયેલી હશે. સાયકલ ચલાવતી વખતે અનેક વખત પડ્યા હોઈશું અનેક વખત મિત્રો સાથે રેસ પણ લગાવી હશે. આમ તો સાયકલને ઘણા વર્ષો વિતી ગયા છે પરંતુ સમયની સાથે સાથે સાયકલનું મહત્વ ઘટતું જઈ રહ્યું છે. ત્યારે લોકોમાં સાયકલના મહત્વને જીવંત કરવા યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. સાયકલ ચલાવવાથી આરોગ્ય પણ સારૂ રહે છે તેમજ હવામાં પ્રદુષણ પણ ઓછું થાય છે. 


સાયકલનું આપણા જીવનમાં મહત્વ! 

જો સાયકલ ચલાવાથી થતા ફાયદાની વાત કરીએ સૌથી પહેલા તો આવે છે આપણું આરોગ્ય. સારા હેલ્થ માટે ડોક્ટરો પણ હવે સાયકલ ચલાવવાની અપીલ કરતા હોય છે. જો દરરોજ સાયકલિંગ કરવામાં  આવે તો બોડી ફિટ રહે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઉપરાંત પાચનશક્તિ પણ સારી રહે છે. તે સિવાય પ્રદુષણ પણ ઓછું થાય છે. અને અકસ્માતોની સંખ્યા પણ ઓછી થાય. રાહદારીઓની સલામતી પણ સચવાઈ જાય. ત્યારે આ બધી વસ્તુ ભૂલાઈ ન જાય અને સાયકલનું મહત્વ ઘટે નહીં તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.