આજે છે વિશ્વ સાયકલ દિવસ! જાણો વર્લ્ડ સાયકલ ડેના ઈતિહાસ વિશે અને સાયક્લિંગ કરવાથી થતા ફાયદા


  • Published By :
  • Published Date : 2023-06-03 16:46:47

આપણામાંથી અનેક લોકોએ સૌથી પહેલા કોઈ વાહન ચલાવ્યું હશે તે સાયકલ હશે. સાયકલનું સ્થાન આપણા જીવનમાં ઘણું હોય છે. પહેલાના જમાનામાં લોકો પાસે સાયકલ જ હોતી હતી. સાયકલને કારણે આરોગ્ય પણ સારૂ રહેતું હતું અને પર્યાવરણ પણ શુદ્ધ રહેતું હતું. ત્યારે લોકોને સાયકલ ચલાવાથી થતા ફાયદા અંગે જાગૃત કરવા 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ વર્ષ 2018માં 3 જૂનને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.   


2018માં જાહેર કરાયો દિવસ! 

સાયકલ સાથે અનેક લોકોની યાદો જોડાયેલી હશે. સાયકલ ચલાવતી વખતે અનેક વખત પડ્યા હોઈશું અનેક વખત મિત્રો સાથે રેસ પણ લગાવી હશે. આમ તો સાયકલને ઘણા વર્ષો વિતી ગયા છે પરંતુ સમયની સાથે સાથે સાયકલનું મહત્વ ઘટતું જઈ રહ્યું છે. ત્યારે લોકોમાં સાયકલના મહત્વને જીવંત કરવા યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. સાયકલ ચલાવવાથી આરોગ્ય પણ સારૂ રહે છે તેમજ હવામાં પ્રદુષણ પણ ઓછું થાય છે. 


સાયકલનું આપણા જીવનમાં મહત્વ! 

જો સાયકલ ચલાવાથી થતા ફાયદાની વાત કરીએ સૌથી પહેલા તો આવે છે આપણું આરોગ્ય. સારા હેલ્થ માટે ડોક્ટરો પણ હવે સાયકલ ચલાવવાની અપીલ કરતા હોય છે. જો દરરોજ સાયકલિંગ કરવામાં  આવે તો બોડી ફિટ રહે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઉપરાંત પાચનશક્તિ પણ સારી રહે છે. તે સિવાય પ્રદુષણ પણ ઓછું થાય છે. અને અકસ્માતોની સંખ્યા પણ ઓછી થાય. રાહદારીઓની સલામતી પણ સચવાઈ જાય. ત્યારે આ બધી વસ્તુ ભૂલાઈ ન જાય અને સાયકલનું મહત્વ ઘટે નહીં તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .