આજે છે વિશ્વ સાયકલ દિવસ! જાણો વર્લ્ડ સાયકલ ડેના ઈતિહાસ વિશે અને સાયક્લિંગ કરવાથી થતા ફાયદા


  • Published By :
  • Published Date : 2023-06-03 16:46:47

આપણામાંથી અનેક લોકોએ સૌથી પહેલા કોઈ વાહન ચલાવ્યું હશે તે સાયકલ હશે. સાયકલનું સ્થાન આપણા જીવનમાં ઘણું હોય છે. પહેલાના જમાનામાં લોકો પાસે સાયકલ જ હોતી હતી. સાયકલને કારણે આરોગ્ય પણ સારૂ રહેતું હતું અને પર્યાવરણ પણ શુદ્ધ રહેતું હતું. ત્યારે લોકોને સાયકલ ચલાવાથી થતા ફાયદા અંગે જાગૃત કરવા 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ વર્ષ 2018માં 3 જૂનને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.   


2018માં જાહેર કરાયો દિવસ! 

સાયકલ સાથે અનેક લોકોની યાદો જોડાયેલી હશે. સાયકલ ચલાવતી વખતે અનેક વખત પડ્યા હોઈશું અનેક વખત મિત્રો સાથે રેસ પણ લગાવી હશે. આમ તો સાયકલને ઘણા વર્ષો વિતી ગયા છે પરંતુ સમયની સાથે સાથે સાયકલનું મહત્વ ઘટતું જઈ રહ્યું છે. ત્યારે લોકોમાં સાયકલના મહત્વને જીવંત કરવા યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. સાયકલ ચલાવવાથી આરોગ્ય પણ સારૂ રહે છે તેમજ હવામાં પ્રદુષણ પણ ઓછું થાય છે. 


સાયકલનું આપણા જીવનમાં મહત્વ! 

જો સાયકલ ચલાવાથી થતા ફાયદાની વાત કરીએ સૌથી પહેલા તો આવે છે આપણું આરોગ્ય. સારા હેલ્થ માટે ડોક્ટરો પણ હવે સાયકલ ચલાવવાની અપીલ કરતા હોય છે. જો દરરોજ સાયકલિંગ કરવામાં  આવે તો બોડી ફિટ રહે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઉપરાંત પાચનશક્તિ પણ સારી રહે છે. તે સિવાય પ્રદુષણ પણ ઓછું થાય છે. અને અકસ્માતોની સંખ્યા પણ ઓછી થાય. રાહદારીઓની સલામતી પણ સચવાઈ જાય. ત્યારે આ બધી વસ્તુ ભૂલાઈ ન જાય અને સાયકલનું મહત્વ ઘટે નહીં તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .