આજે છે વિશ્વ હિંદી દિવસ, જાણો શા માટે 10 જાન્યુઆરીએ ઉજવાય છે આ દિવસ


  • Published By :
  • Published Date : 2023-01-10 12:48:26

ભારત સહિત સમગ્ર દુનિયામાં 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિંદી ભાષાને વિશ્વ ભાષાની શ્રેણીમાં સ્થાન મળી ગયું છે. વિદેશના અનેક લોકો પણ હિંદી બોલી શક્તા હોય છે. ભારતમાંથી અનેક લોકો વિદેશમાં જઈ વસી રહ્યા છે. ત્યારે વિશ્વભરમાં રહેતા ભારતીયોને એકજૂથ કરવા વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને મનાવા પાછળનો હેતુ એ છે કે ભારતની સાથે સાથે બીજા દેશોમાં રહેતા ભારતીયો પણ એકબીજાના સંપર્કમાં આવે.

world hindi day 2022 history significance national hindi divas difference  આજે 'વિશ્વ હિન્દી દિવસ', જાણો તેનો ઇતિહાસ અને રાષ્ટ્રીય હિન્દી દિવસથી તે કઈ  રીતે અલગ છે – News18 Gujarati


વિશ્વની ભાષામાં હિંદી ભાષાનો સમાવેશ 

ભાષાને એક બીજા સાથે સંવાદ કરવાનું માધ્યમ માનવામાં આવે છે.  ભાષાનો ઉપયોગ કરી લોકો પોતાની વાત સામે વાળા વ્યક્તિને પહોંચાડે છે. ભાષાના માધ્યમથી ન માત્ર દેશના લોકો સાથે સંપર્ક થાય છે પરંતુ દુનિયાના દેશો સાથે વાતચીતનું માધ્યમ માનવામાં આવે છે. હિંદી ભારતની રાષ્ટ્રભાષા છે પરંતુ હવે હિંદી વૈશ્વિક સ્તર પર પ્રસરી રહી છે. 

PM Manmohan singh birthday: 90 વર્ષના થયા પૂર્વ PM મનમોહન સિંહ, આ એક તસવીર  જોઈ લોકોની આંખો થઈ હતી ભીની


ડો.મનમોહન સિંહે કરી હતી શરૂઆત 

10 જાન્યુઆરી 2006થી આ દિવસને વિશ્વ હિંદી દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 14 સપ્ટેમ્બરે હિંદી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે 10 જાન્યુઆરી વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરાય છે. વિશ્વમાં હિંદીના પ્રચાર માટે  પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહે 10 જાન્યુઆરીએ વિશ્વ હિંદી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં ભારતીય દુતાવાસો પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 


વિશ્વમાં રહેતા ભારતીયોને સાથે લાવવા પ્રયાસ 

વૈશ્વિક સ્તરે હિંદી ભાષાનો પ્રચાર પ્રસાર કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક વ્યક્તિને પોતાની ભાષા પ્રત્યે લગાવ હોય છે. પ્રથમ વિશ્વ હિંદી પરિષદ 10 જાન્યુઆરી 1975ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાઈ હતી. દર વર્ષે વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવા ભારત સરકાર દ્વારા વિવિધ થીમ જાહેર કરવામાં આવતી હોય છે. આ વર્ષની થીમ હિંદીને લોક અભિપ્રાયનો હિસ્સો બનાવવો, તેનો અર્થ માતૃભાષાને છોડી દેવાનો નથી તે રાખવામાં આવ્યો હતો. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.