આજે છે વિશ્વ હિંદી દિવસ, જાણો શા માટે 10 જાન્યુઆરીએ ઉજવાય છે આ દિવસ


  • Published By :
  • Published Date : 2023-01-10 12:48:26

ભારત સહિત સમગ્ર દુનિયામાં 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિંદી ભાષાને વિશ્વ ભાષાની શ્રેણીમાં સ્થાન મળી ગયું છે. વિદેશના અનેક લોકો પણ હિંદી બોલી શક્તા હોય છે. ભારતમાંથી અનેક લોકો વિદેશમાં જઈ વસી રહ્યા છે. ત્યારે વિશ્વભરમાં રહેતા ભારતીયોને એકજૂથ કરવા વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને મનાવા પાછળનો હેતુ એ છે કે ભારતની સાથે સાથે બીજા દેશોમાં રહેતા ભારતીયો પણ એકબીજાના સંપર્કમાં આવે.

world hindi day 2022 history significance national hindi divas difference  આજે 'વિશ્વ હિન્દી દિવસ', જાણો તેનો ઇતિહાસ અને રાષ્ટ્રીય હિન્દી દિવસથી તે કઈ  રીતે અલગ છે – News18 Gujarati


વિશ્વની ભાષામાં હિંદી ભાષાનો સમાવેશ 

ભાષાને એક બીજા સાથે સંવાદ કરવાનું માધ્યમ માનવામાં આવે છે.  ભાષાનો ઉપયોગ કરી લોકો પોતાની વાત સામે વાળા વ્યક્તિને પહોંચાડે છે. ભાષાના માધ્યમથી ન માત્ર દેશના લોકો સાથે સંપર્ક થાય છે પરંતુ દુનિયાના દેશો સાથે વાતચીતનું માધ્યમ માનવામાં આવે છે. હિંદી ભારતની રાષ્ટ્રભાષા છે પરંતુ હવે હિંદી વૈશ્વિક સ્તર પર પ્રસરી રહી છે. 

PM Manmohan singh birthday: 90 વર્ષના થયા પૂર્વ PM મનમોહન સિંહ, આ એક તસવીર  જોઈ લોકોની આંખો થઈ હતી ભીની


ડો.મનમોહન સિંહે કરી હતી શરૂઆત 

10 જાન્યુઆરી 2006થી આ દિવસને વિશ્વ હિંદી દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 14 સપ્ટેમ્બરે હિંદી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે 10 જાન્યુઆરી વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરાય છે. વિશ્વમાં હિંદીના પ્રચાર માટે  પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહે 10 જાન્યુઆરીએ વિશ્વ હિંદી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં ભારતીય દુતાવાસો પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 


વિશ્વમાં રહેતા ભારતીયોને સાથે લાવવા પ્રયાસ 

વૈશ્વિક સ્તરે હિંદી ભાષાનો પ્રચાર પ્રસાર કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક વ્યક્તિને પોતાની ભાષા પ્રત્યે લગાવ હોય છે. પ્રથમ વિશ્વ હિંદી પરિષદ 10 જાન્યુઆરી 1975ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાઈ હતી. દર વર્ષે વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવા ભારત સરકાર દ્વારા વિવિધ થીમ જાહેર કરવામાં આવતી હોય છે. આ વર્ષની થીમ હિંદીને લોક અભિપ્રાયનો હિસ્સો બનાવવો, તેનો અર્થ માતૃભાષાને છોડી દેવાનો નથી તે રાખવામાં આવ્યો હતો. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.