આજે છે વિશ્વ હિંદી દિવસ, જાણો શા માટે 10 જાન્યુઆરીએ ઉજવાય છે આ દિવસ


  • Published By :
  • Published Date : 2023-01-10 12:48:26

ભારત સહિત સમગ્ર દુનિયામાં 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિંદી ભાષાને વિશ્વ ભાષાની શ્રેણીમાં સ્થાન મળી ગયું છે. વિદેશના અનેક લોકો પણ હિંદી બોલી શક્તા હોય છે. ભારતમાંથી અનેક લોકો વિદેશમાં જઈ વસી રહ્યા છે. ત્યારે વિશ્વભરમાં રહેતા ભારતીયોને એકજૂથ કરવા વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને મનાવા પાછળનો હેતુ એ છે કે ભારતની સાથે સાથે બીજા દેશોમાં રહેતા ભારતીયો પણ એકબીજાના સંપર્કમાં આવે.

world hindi day 2022 history significance national hindi divas difference  આજે 'વિશ્વ હિન્દી દિવસ', જાણો તેનો ઇતિહાસ અને રાષ્ટ્રીય હિન્દી દિવસથી તે કઈ  રીતે અલગ છે – News18 Gujarati


વિશ્વની ભાષામાં હિંદી ભાષાનો સમાવેશ 

ભાષાને એક બીજા સાથે સંવાદ કરવાનું માધ્યમ માનવામાં આવે છે.  ભાષાનો ઉપયોગ કરી લોકો પોતાની વાત સામે વાળા વ્યક્તિને પહોંચાડે છે. ભાષાના માધ્યમથી ન માત્ર દેશના લોકો સાથે સંપર્ક થાય છે પરંતુ દુનિયાના દેશો સાથે વાતચીતનું માધ્યમ માનવામાં આવે છે. હિંદી ભારતની રાષ્ટ્રભાષા છે પરંતુ હવે હિંદી વૈશ્વિક સ્તર પર પ્રસરી રહી છે. 

PM Manmohan singh birthday: 90 વર્ષના થયા પૂર્વ PM મનમોહન સિંહ, આ એક તસવીર  જોઈ લોકોની આંખો થઈ હતી ભીની


ડો.મનમોહન સિંહે કરી હતી શરૂઆત 

10 જાન્યુઆરી 2006થી આ દિવસને વિશ્વ હિંદી દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 14 સપ્ટેમ્બરે હિંદી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે 10 જાન્યુઆરી વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરાય છે. વિશ્વમાં હિંદીના પ્રચાર માટે  પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહે 10 જાન્યુઆરીએ વિશ્વ હિંદી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં ભારતીય દુતાવાસો પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 


વિશ્વમાં રહેતા ભારતીયોને સાથે લાવવા પ્રયાસ 

વૈશ્વિક સ્તરે હિંદી ભાષાનો પ્રચાર પ્રસાર કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક વ્યક્તિને પોતાની ભાષા પ્રત્યે લગાવ હોય છે. પ્રથમ વિશ્વ હિંદી પરિષદ 10 જાન્યુઆરી 1975ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાઈ હતી. દર વર્ષે વિશ્વ હિંદી દિવસની ઉજવણી કરવા ભારત સરકાર દ્વારા વિવિધ થીમ જાહેર કરવામાં આવતી હોય છે. આ વર્ષની થીમ હિંદીને લોક અભિપ્રાયનો હિસ્સો બનાવવો, તેનો અર્થ માતૃભાષાને છોડી દેવાનો નથી તે રાખવામાં આવ્યો હતો. 




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.