આજે છે વિશ્વ માતૃભાષા દિવસ, ધોરણ 10માં Gujarati ભાષામાં દર વર્ષે આટલા વિદ્યાર્થીઓ થાય છે નાપાસ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-21 09:43:15

ભાષા માણસના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એક બીજા સાથે સંવાદ કરવાનું માધ્યમ હોય છે ભાષા... ભાષાની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.... માતૃભાષાને સમર્પિત દિવસ.. દરેકની માતૃભાષા અલગ અલગ હોય છે. સામાન્ય રીતે જે લોકો જે રાજ્યમાં રહેતા હોય છે તે ભાષા તેમની માતૃભાષા બની જતી હોય છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણી માતૃભાષા સામાન્ય રીતે ગુજરાતી હોય છે, જે રાજસ્થાનમાં રહેતા હોય છે તેમની માતૃભાષા સામાન્ય રીતે હિન્દી હોય છે. એવા અનેક પરિવારો રાજ્યોમાં હશે જે ઘરમાં માતૃભાષામાં વાત કરતા હશે. 



માતૃભાષા ગુજરાતી હોવા છતાંય વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચવામાં પડે છે મુશ્કેલી!

વાત અહીંયા ભાષાની કરવી છે પરંતુ વિદ્યાર્થીઓના સંદર્ભમાં... આપણે ત્યાં એક એવી પેઢી છે જેમને ગુજરાતી બોલતા નથી આવડતું, ગુજરાતીના અમુક શબ્દોની તેમને ખબર નથી હોતી. ગુજરાતીમાં આંકડા વિશે ખબર નથી હોતી. ત્યારે એક ચોંકાવનારો રિપોર્ટ પેપરમાં છપાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ધોરણ 10માં દર વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય છે. માતૃભાષા ગુજરાતીમાં હજી સુધી વિદ્યાર્થીઓનો પાયો કાચો છે. અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જેમની માતૃભાષા ગુજરાતી હોવા છતાંય ગુજરાતી સરખી રીતે વાંચતા કે લખતા નથી આવડતી. થોડી થોડી ગુજરાતી તે બોલી લે છે. 



10માં ધોરણમાં ગુજરાતી ભાષામાં દર વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ થાય છે નાપાસ! 

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાતી ભાષામાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગયા વર્ષે ધોરણ 10માં ગુજરાતીની પરીક્ષા આપવા માટે કુલ 6.24 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 96,286 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નપાસ થયા હતા. વર્ષ 2022માં તો આ પરિસ્થિતિ આનાંથી પણ ખરાબ હતી. એ વખતે 6.64 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી જેમાંથી 1.18 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. મહત્વનું છે કે ગુજરાતી ભાષામાં પાયો જ કાચો હશે તો આગળ જઈને આવું જ થવાનું છે. વિદ્યાર્થીનો પાયો કાચો ના રહે તે દિશામાં કામ કરવાની જરૂર છે.



અનેક પરિબળો હોય છે જવાબદાર!

વિદ્યાર્થીનો માતૃભાષામાં પાયો કાચો રહેવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. એક જમાનો હતો જ્યારે માતા પિતા ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા જેને કારણે ભલે વિદ્યાર્થી ઈંગ્લિશ મીડિયમમાં હોય તો પણ તેને પાયાનું ગુજરાતી આવડતું હોય છે. પરંતુ હવે તો માતા પિતા પણ ઈંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય છે જેને કારણે બાળકોને એવો પાયો માતૃભાષા માટે નથી મળતો જે મળવો જોઈએ. વડીલો સાથે પણ બાળકો આજકાલ ઓછું રહે છે, જો ઘરમાં વડીલો ગુજરાતીમાં બોલે છે તો બાળકને નવા નવા શબ્દો જાણવા મળે છે જેને કારણે તેની ભાષા સમૃદ્ધ થાય છે અને તેનો પાયો કાચો નથી રહેતો. ત્યારે આપણા ભાવિનો પાયો માતૃભાષામાં કાચો ના રહે તે માટેનું ધ્યાન આપણે રાખવું પડશે... ગુજરાતીમાં જ લખે તેવી વાત નથી પરંતુ ગુજરાતી ભાષાને સમજી શકે તેટલી માતૃભાષા તો આવડવી જોઈએ.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.