આજે છે વિશ્વ માતૃભાષા દિવસ, ધોરણ 10માં Gujarati ભાષામાં દર વર્ષે આટલા વિદ્યાર્થીઓ થાય છે નાપાસ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-21 09:43:15

ભાષા માણસના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એક બીજા સાથે સંવાદ કરવાનું માધ્યમ હોય છે ભાષા... ભાષાની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.... માતૃભાષાને સમર્પિત દિવસ.. દરેકની માતૃભાષા અલગ અલગ હોય છે. સામાન્ય રીતે જે લોકો જે રાજ્યમાં રહેતા હોય છે તે ભાષા તેમની માતૃભાષા બની જતી હોય છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણી માતૃભાષા સામાન્ય રીતે ગુજરાતી હોય છે, જે રાજસ્થાનમાં રહેતા હોય છે તેમની માતૃભાષા સામાન્ય રીતે હિન્દી હોય છે. એવા અનેક પરિવારો રાજ્યોમાં હશે જે ઘરમાં માતૃભાષામાં વાત કરતા હશે. 



માતૃભાષા ગુજરાતી હોવા છતાંય વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચવામાં પડે છે મુશ્કેલી!

વાત અહીંયા ભાષાની કરવી છે પરંતુ વિદ્યાર્થીઓના સંદર્ભમાં... આપણે ત્યાં એક એવી પેઢી છે જેમને ગુજરાતી બોલતા નથી આવડતું, ગુજરાતીના અમુક શબ્દોની તેમને ખબર નથી હોતી. ગુજરાતીમાં આંકડા વિશે ખબર નથી હોતી. ત્યારે એક ચોંકાવનારો રિપોર્ટ પેપરમાં છપાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ધોરણ 10માં દર વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય છે. માતૃભાષા ગુજરાતીમાં હજી સુધી વિદ્યાર્થીઓનો પાયો કાચો છે. અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જેમની માતૃભાષા ગુજરાતી હોવા છતાંય ગુજરાતી સરખી રીતે વાંચતા કે લખતા નથી આવડતી. થોડી થોડી ગુજરાતી તે બોલી લે છે. 



10માં ધોરણમાં ગુજરાતી ભાષામાં દર વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ થાય છે નાપાસ! 

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાતી ભાષામાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગયા વર્ષે ધોરણ 10માં ગુજરાતીની પરીક્ષા આપવા માટે કુલ 6.24 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 96,286 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નપાસ થયા હતા. વર્ષ 2022માં તો આ પરિસ્થિતિ આનાંથી પણ ખરાબ હતી. એ વખતે 6.64 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી જેમાંથી 1.18 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. મહત્વનું છે કે ગુજરાતી ભાષામાં પાયો જ કાચો હશે તો આગળ જઈને આવું જ થવાનું છે. વિદ્યાર્થીનો પાયો કાચો ના રહે તે દિશામાં કામ કરવાની જરૂર છે.



અનેક પરિબળો હોય છે જવાબદાર!

વિદ્યાર્થીનો માતૃભાષામાં પાયો કાચો રહેવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. એક જમાનો હતો જ્યારે માતા પિતા ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા જેને કારણે ભલે વિદ્યાર્થી ઈંગ્લિશ મીડિયમમાં હોય તો પણ તેને પાયાનું ગુજરાતી આવડતું હોય છે. પરંતુ હવે તો માતા પિતા પણ ઈંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય છે જેને કારણે બાળકોને એવો પાયો માતૃભાષા માટે નથી મળતો જે મળવો જોઈએ. વડીલો સાથે પણ બાળકો આજકાલ ઓછું રહે છે, જો ઘરમાં વડીલો ગુજરાતીમાં બોલે છે તો બાળકને નવા નવા શબ્દો જાણવા મળે છે જેને કારણે તેની ભાષા સમૃદ્ધ થાય છે અને તેનો પાયો કાચો નથી રહેતો. ત્યારે આપણા ભાવિનો પાયો માતૃભાષામાં કાચો ના રહે તે માટેનું ધ્યાન આપણે રાખવું પડશે... ગુજરાતીમાં જ લખે તેવી વાત નથી પરંતુ ગુજરાતી ભાષાને સમજી શકે તેટલી માતૃભાષા તો આવડવી જોઈએ.  



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?