આજે છે વિશ્વ માતૃભાષા દિવસ, ધોરણ 10માં Gujarati ભાષામાં દર વર્ષે આટલા વિદ્યાર્થીઓ થાય છે નાપાસ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-21 09:43:15

ભાષા માણસના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એક બીજા સાથે સંવાદ કરવાનું માધ્યમ હોય છે ભાષા... ભાષાની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.... માતૃભાષાને સમર્પિત દિવસ.. દરેકની માતૃભાષા અલગ અલગ હોય છે. સામાન્ય રીતે જે લોકો જે રાજ્યમાં રહેતા હોય છે તે ભાષા તેમની માતૃભાષા બની જતી હોય છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણી માતૃભાષા સામાન્ય રીતે ગુજરાતી હોય છે, જે રાજસ્થાનમાં રહેતા હોય છે તેમની માતૃભાષા સામાન્ય રીતે હિન્દી હોય છે. એવા અનેક પરિવારો રાજ્યોમાં હશે જે ઘરમાં માતૃભાષામાં વાત કરતા હશે. 



માતૃભાષા ગુજરાતી હોવા છતાંય વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચવામાં પડે છે મુશ્કેલી!

વાત અહીંયા ભાષાની કરવી છે પરંતુ વિદ્યાર્થીઓના સંદર્ભમાં... આપણે ત્યાં એક એવી પેઢી છે જેમને ગુજરાતી બોલતા નથી આવડતું, ગુજરાતીના અમુક શબ્દોની તેમને ખબર નથી હોતી. ગુજરાતીમાં આંકડા વિશે ખબર નથી હોતી. ત્યારે એક ચોંકાવનારો રિપોર્ટ પેપરમાં છપાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ધોરણ 10માં દર વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય છે. માતૃભાષા ગુજરાતીમાં હજી સુધી વિદ્યાર્થીઓનો પાયો કાચો છે. અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જેમની માતૃભાષા ગુજરાતી હોવા છતાંય ગુજરાતી સરખી રીતે વાંચતા કે લખતા નથી આવડતી. થોડી થોડી ગુજરાતી તે બોલી લે છે. 



10માં ધોરણમાં ગુજરાતી ભાષામાં દર વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ થાય છે નાપાસ! 

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાતી ભાષામાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગયા વર્ષે ધોરણ 10માં ગુજરાતીની પરીક્ષા આપવા માટે કુલ 6.24 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 96,286 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નપાસ થયા હતા. વર્ષ 2022માં તો આ પરિસ્થિતિ આનાંથી પણ ખરાબ હતી. એ વખતે 6.64 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી જેમાંથી 1.18 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. મહત્વનું છે કે ગુજરાતી ભાષામાં પાયો જ કાચો હશે તો આગળ જઈને આવું જ થવાનું છે. વિદ્યાર્થીનો પાયો કાચો ના રહે તે દિશામાં કામ કરવાની જરૂર છે.



અનેક પરિબળો હોય છે જવાબદાર!

વિદ્યાર્થીનો માતૃભાષામાં પાયો કાચો રહેવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. એક જમાનો હતો જ્યારે માતા પિતા ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા જેને કારણે ભલે વિદ્યાર્થી ઈંગ્લિશ મીડિયમમાં હોય તો પણ તેને પાયાનું ગુજરાતી આવડતું હોય છે. પરંતુ હવે તો માતા પિતા પણ ઈંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય છે જેને કારણે બાળકોને એવો પાયો માતૃભાષા માટે નથી મળતો જે મળવો જોઈએ. વડીલો સાથે પણ બાળકો આજકાલ ઓછું રહે છે, જો ઘરમાં વડીલો ગુજરાતીમાં બોલે છે તો બાળકને નવા નવા શબ્દો જાણવા મળે છે જેને કારણે તેની ભાષા સમૃદ્ધ થાય છે અને તેનો પાયો કાચો નથી રહેતો. ત્યારે આપણા ભાવિનો પાયો માતૃભાષામાં કાચો ના રહે તે માટેનું ધ્યાન આપણે રાખવું પડશે... ગુજરાતીમાં જ લખે તેવી વાત નથી પરંતુ ગુજરાતી ભાષાને સમજી શકે તેટલી માતૃભાષા તો આવડવી જોઈએ.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.