આજે છે વિશ્વ માતૃભાષા દિવસ, ધોરણ 10માં Gujarati ભાષામાં દર વર્ષે આટલા વિદ્યાર્થીઓ થાય છે નાપાસ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-21 09:43:15

ભાષા માણસના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એક બીજા સાથે સંવાદ કરવાનું માધ્યમ હોય છે ભાષા... ભાષાની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.... માતૃભાષાને સમર્પિત દિવસ.. દરેકની માતૃભાષા અલગ અલગ હોય છે. સામાન્ય રીતે જે લોકો જે રાજ્યમાં રહેતા હોય છે તે ભાષા તેમની માતૃભાષા બની જતી હોય છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણી માતૃભાષા સામાન્ય રીતે ગુજરાતી હોય છે, જે રાજસ્થાનમાં રહેતા હોય છે તેમની માતૃભાષા સામાન્ય રીતે હિન્દી હોય છે. એવા અનેક પરિવારો રાજ્યોમાં હશે જે ઘરમાં માતૃભાષામાં વાત કરતા હશે. 



માતૃભાષા ગુજરાતી હોવા છતાંય વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચવામાં પડે છે મુશ્કેલી!

વાત અહીંયા ભાષાની કરવી છે પરંતુ વિદ્યાર્થીઓના સંદર્ભમાં... આપણે ત્યાં એક એવી પેઢી છે જેમને ગુજરાતી બોલતા નથી આવડતું, ગુજરાતીના અમુક શબ્દોની તેમને ખબર નથી હોતી. ગુજરાતીમાં આંકડા વિશે ખબર નથી હોતી. ત્યારે એક ચોંકાવનારો રિપોર્ટ પેપરમાં છપાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ધોરણ 10માં દર વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય છે. માતૃભાષા ગુજરાતીમાં હજી સુધી વિદ્યાર્થીઓનો પાયો કાચો છે. અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જેમની માતૃભાષા ગુજરાતી હોવા છતાંય ગુજરાતી સરખી રીતે વાંચતા કે લખતા નથી આવડતી. થોડી થોડી ગુજરાતી તે બોલી લે છે. 



10માં ધોરણમાં ગુજરાતી ભાષામાં દર વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ થાય છે નાપાસ! 

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાતી ભાષામાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગયા વર્ષે ધોરણ 10માં ગુજરાતીની પરીક્ષા આપવા માટે કુલ 6.24 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 96,286 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નપાસ થયા હતા. વર્ષ 2022માં તો આ પરિસ્થિતિ આનાંથી પણ ખરાબ હતી. એ વખતે 6.64 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી જેમાંથી 1.18 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. મહત્વનું છે કે ગુજરાતી ભાષામાં પાયો જ કાચો હશે તો આગળ જઈને આવું જ થવાનું છે. વિદ્યાર્થીનો પાયો કાચો ના રહે તે દિશામાં કામ કરવાની જરૂર છે.



અનેક પરિબળો હોય છે જવાબદાર!

વિદ્યાર્થીનો માતૃભાષામાં પાયો કાચો રહેવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. એક જમાનો હતો જ્યારે માતા પિતા ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા જેને કારણે ભલે વિદ્યાર્થી ઈંગ્લિશ મીડિયમમાં હોય તો પણ તેને પાયાનું ગુજરાતી આવડતું હોય છે. પરંતુ હવે તો માતા પિતા પણ ઈંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય છે જેને કારણે બાળકોને એવો પાયો માતૃભાષા માટે નથી મળતો જે મળવો જોઈએ. વડીલો સાથે પણ બાળકો આજકાલ ઓછું રહે છે, જો ઘરમાં વડીલો ગુજરાતીમાં બોલે છે તો બાળકને નવા નવા શબ્દો જાણવા મળે છે જેને કારણે તેની ભાષા સમૃદ્ધ થાય છે અને તેનો પાયો કાચો નથી રહેતો. ત્યારે આપણા ભાવિનો પાયો માતૃભાષામાં કાચો ના રહે તે માટેનું ધ્યાન આપણે રાખવું પડશે... ગુજરાતીમાં જ લખે તેવી વાત નથી પરંતુ ગુજરાતી ભાષાને સમજી શકે તેટલી માતૃભાષા તો આવડવી જોઈએ.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.