તો શું ઈરાનનું ફોરદો પરમાણુ મથક સંપૂર્ણપણે નષ્ટ નથી થયું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-28 16:01:53

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે  તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે. 

Iran's Fordo Nuclear Site Said to Look Severely Damaged, Not Destroyed -  The New York Times3,000 × 1,688

ઈરાન અને તેનું ફોરદો પરમાણુ મથક હાલમાં ખુબ જ ચર્ચામાં છે. ઇઝરાયેલ અને યુએસએ તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . એટલુંજ નહિ અમેરિકાએ તેની પર બી ૨ સ્ટીલ્થ બોમ્બર વિમાનો થકી બૉમ્બ મારો પણ કર્યો છે . તો પછી હવે અહીં એક પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે કે , શું ઈરાનનું ફોરદો પરમાણુ મથક સંપૂર્ણપણે બરબાદ થયું છે કે નહિ? આનો જવાબ આપણને મળે છે યુએસના એક ખાનગી રિપોર્ટમાં . BBC સમાચાર સંસ્થાએ અમેરિકન DIA સંસ્થાનો એક રિપોર્ટ છાપ્યો છે. જેમાં ફોરદો પરમાણુ મથકની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. વાત છે વર્ષ ૨૦૦૯ની તો , ત્યારે યુએસની જાસૂસી સંસ્થાઓને ખબર પડી કે , ઈરાન ફોરદોમાં એક ખુફિયા ન્યુક્લિયર સાઈટ ચલાવી રહ્યું છે. પશ્ચિમી દેશો આ જગ્યાને સતત મોનિટર કરી રહ્યા હતા. પછી ઈઝરાયલે અને અમેરિકાએ તેને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી પરંતુ , DIA સંસ્થાના લીક થયેલા ગુપ્ત રિપોર્ટ મુજબ ફોરદો પરમાણુ મથકને મજબૂત કોન્ક્રીટએ  બચાવી લીધું . પરંતુ હુમલા પછીના તમે ફોરદો પરમાણુ મથકના ફોટોસ જોશો તો તમને મોટા મોટા ખાડા દેખાશે . પરંતુ આ સબૂત પૂરતા નથી કે , તે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે.   DIA ( ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના) ના લીક થયેલા રિપોર્ટ અનુસાર , ઈરાન પરમાણુ કાર્યક્રમના મેઈન કમ્પોનન્ટસ નષ્ટ નથી થયા. અમેરિકી અને ઇસરાઈલી હુમલાઓએ ત્યાં ખાલી થોડાક સમય માટે ડેવલપમેન્ટને રોક્યું છે . તે પણ ખાલી થોડાક મહિનાઓ માટે. DIAના રિપોર્ટ અનુસાર જમીનની નીચે કેટલું નુકશાન થયું તેની ખુબ ઓછી જાણકારી પ્રાપ્ત થાય છે. દેખાવમાં તે ખાડા જેવું દેખાય છે. ફોટોસ મુજબ તો એવું સ્પષ્ટ થાય છે કે , અમેરિકા પરમાણુ મથકના તે મેન હોલ સુધી પહોંચી જ નથી શક્યું. 

Born In The USA: How America Created Iran's Nuclear Program : Parallels :  NPR

બીજી સૌથી મહત્વની વાત એ છે કે , ઈરાને પોતાનું હાઈલી એનરિચ્ડ યુરેનિયમ સ્ટોક અમેરિકન હુમલાઓ પેહલા જ  મોટા ટ્રક વડે બીજે પહોંચાડી દીધું હતું.  ક્યાં પહોંચાડ્યું છે  તેની જાણકારી ના યુએસ પાસે છે ના તો ઇઝરાયેલ પાસે . પરમાણુ કાર્યક્રમને યથાવત રાખવા માટે ન માત્ર યુરેનિયમની જરૂર પડે છે પરંતુ , ખુબ હોંશિયાર વૈજ્ઞાનિકોની જરૂર પણ પડે છે. ઈઝરાઈલે શરૂઆતના હુમલાઓમાં ઇરાનના પરમાણુ વૈજ્ઞાનિકોનો અંત કરી નાખ્યો છે. પરંતુ તે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ક્યાં સુધી રોકી શકશે તે ખુબ મોટો પ્રશ્નાર્થચિન્હ છે . હવે વાત કરીએ કે , પશ્ચિમ એશિયામાં કેમ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી તણાવ વર્તાઈ રહયો છે. પહેલું કારણ છે , ઈરાને સમગ્ર પશ્ચિમ એશિયામાં બનાવ્યું છે , એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ. ( હમાસ , હેઝબોલાહ અને હુથી બળવાખોરો) જે ઇઝરાયેલ અને પશ્ચિમી દેશોને ચેલેન્જ આપતા આપતા રહે છે . બીજું છે , ઈરાન પરમાણુ બૉમ્બ બનાવી સમગ્ર પશ્ચિમ એશિયામાં ન્યુક્લિયર બેલેન્સ છે જે હાલમાં ઇઝરાયેલની તરફેણમાં છે તેને પોતાની તરફ ફેરવવા માંગે છે એટલેકે ઇઝરાયેલનો ન્યુક્લિયર ડિટર્સન્સ પૂરો કરવા માંગે છે .  શક્ય છેકે ,જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જાય તો તે , સાઉદી અરેબિયાને પણ આપી શકે છે . તેનાથી ઇઝરાયેલના અસ્તિત્વને ખતરો છે. હવે વાત કરીએ , હાલમાં કેમ ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે થોડાક સમય માટે યુદ્ધ શાંત થયું તો તેનો જવાબ છે કે , ઈરાનની બેલિસ્ટિક મિસાઈલ્સ જે ઇઝરાયેલની આર્યન ડોમ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. જેના કારણે ઇઝરાયેલના શહેરોમાં ભારે  નુકશાન થયું છે.    




ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.