તો શું ઈરાનનું ફોરદો પરમાણુ મથક સંપૂર્ણપણે નષ્ટ નથી થયું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-28 16:01:53

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે  તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે. 

Iran's Fordo Nuclear Site Said to Look Severely Damaged, Not Destroyed -  The New York Times3,000 × 1,688

ઈરાન અને તેનું ફોરદો પરમાણુ મથક હાલમાં ખુબ જ ચર્ચામાં છે. ઇઝરાયેલ અને યુએસએ તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . એટલુંજ નહિ અમેરિકાએ તેની પર બી ૨ સ્ટીલ્થ બોમ્બર વિમાનો થકી બૉમ્બ મારો પણ કર્યો છે . તો પછી હવે અહીં એક પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે કે , શું ઈરાનનું ફોરદો પરમાણુ મથક સંપૂર્ણપણે બરબાદ થયું છે કે નહિ? આનો જવાબ આપણને મળે છે યુએસના એક ખાનગી રિપોર્ટમાં . BBC સમાચાર સંસ્થાએ અમેરિકન DIA સંસ્થાનો એક રિપોર્ટ છાપ્યો છે. જેમાં ફોરદો પરમાણુ મથકની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. વાત છે વર્ષ ૨૦૦૯ની તો , ત્યારે યુએસની જાસૂસી સંસ્થાઓને ખબર પડી કે , ઈરાન ફોરદોમાં એક ખુફિયા ન્યુક્લિયર સાઈટ ચલાવી રહ્યું છે. પશ્ચિમી દેશો આ જગ્યાને સતત મોનિટર કરી રહ્યા હતા. પછી ઈઝરાયલે અને અમેરિકાએ તેને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી પરંતુ , DIA સંસ્થાના લીક થયેલા ગુપ્ત રિપોર્ટ મુજબ ફોરદો પરમાણુ મથકને મજબૂત કોન્ક્રીટએ  બચાવી લીધું . પરંતુ હુમલા પછીના તમે ફોરદો પરમાણુ મથકના ફોટોસ જોશો તો તમને મોટા મોટા ખાડા દેખાશે . પરંતુ આ સબૂત પૂરતા નથી કે , તે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે.   DIA ( ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના) ના લીક થયેલા રિપોર્ટ અનુસાર , ઈરાન પરમાણુ કાર્યક્રમના મેઈન કમ્પોનન્ટસ નષ્ટ નથી થયા. અમેરિકી અને ઇસરાઈલી હુમલાઓએ ત્યાં ખાલી થોડાક સમય માટે ડેવલપમેન્ટને રોક્યું છે . તે પણ ખાલી થોડાક મહિનાઓ માટે. DIAના રિપોર્ટ અનુસાર જમીનની નીચે કેટલું નુકશાન થયું તેની ખુબ ઓછી જાણકારી પ્રાપ્ત થાય છે. દેખાવમાં તે ખાડા જેવું દેખાય છે. ફોટોસ મુજબ તો એવું સ્પષ્ટ થાય છે કે , અમેરિકા પરમાણુ મથકના તે મેન હોલ સુધી પહોંચી જ નથી શક્યું. 

Born In The USA: How America Created Iran's Nuclear Program : Parallels :  NPR

બીજી સૌથી મહત્વની વાત એ છે કે , ઈરાને પોતાનું હાઈલી એનરિચ્ડ યુરેનિયમ સ્ટોક અમેરિકન હુમલાઓ પેહલા જ  મોટા ટ્રક વડે બીજે પહોંચાડી દીધું હતું.  ક્યાં પહોંચાડ્યું છે  તેની જાણકારી ના યુએસ પાસે છે ના તો ઇઝરાયેલ પાસે . પરમાણુ કાર્યક્રમને યથાવત રાખવા માટે ન માત્ર યુરેનિયમની જરૂર પડે છે પરંતુ , ખુબ હોંશિયાર વૈજ્ઞાનિકોની જરૂર પણ પડે છે. ઈઝરાઈલે શરૂઆતના હુમલાઓમાં ઇરાનના પરમાણુ વૈજ્ઞાનિકોનો અંત કરી નાખ્યો છે. પરંતુ તે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ક્યાં સુધી રોકી શકશે તે ખુબ મોટો પ્રશ્નાર્થચિન્હ છે . હવે વાત કરીએ કે , પશ્ચિમ એશિયામાં કેમ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી તણાવ વર્તાઈ રહયો છે. પહેલું કારણ છે , ઈરાને સમગ્ર પશ્ચિમ એશિયામાં બનાવ્યું છે , એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ. ( હમાસ , હેઝબોલાહ અને હુથી બળવાખોરો) જે ઇઝરાયેલ અને પશ્ચિમી દેશોને ચેલેન્જ આપતા આપતા રહે છે . બીજું છે , ઈરાન પરમાણુ બૉમ્બ બનાવી સમગ્ર પશ્ચિમ એશિયામાં ન્યુક્લિયર બેલેન્સ છે જે હાલમાં ઇઝરાયેલની તરફેણમાં છે તેને પોતાની તરફ ફેરવવા માંગે છે એટલેકે ઇઝરાયેલનો ન્યુક્લિયર ડિટર્સન્સ પૂરો કરવા માંગે છે .  શક્ય છેકે ,જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જાય તો તે , સાઉદી અરેબિયાને પણ આપી શકે છે . તેનાથી ઇઝરાયેલના અસ્તિત્વને ખતરો છે. હવે વાત કરીએ , હાલમાં કેમ ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે થોડાક સમય માટે યુદ્ધ શાંત થયું તો તેનો જવાબ છે કે , ઈરાનની બેલિસ્ટિક મિસાઈલ્સ જે ઇઝરાયેલની આર્યન ડોમ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. જેના કારણે ઇઝરાયેલના શહેરોમાં ભારે  નુકશાન થયું છે.    




ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી