આજે છે World Sight Day : દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે ઉજવાય છે આ દિવસ, જાણો શું છે આ વર્ષની થીમ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-12 13:40:22

વિશ્વભરમાં અલગ અલગ દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. કોઈ વખત આ દિવસની ઉજવણી તો કોઈ દિવસ આની ઉજવણી. પરંતુ શું તમને ખબર છે કે ઓક્ટોબરના બીજા ગુરૂવારે World sight dayની ઉજવણી કરવામાં આવે છે. શરીરના આમ તો દરેક અંગ અગત્યના છે પરંતુ તેમાં શરીરમાં આંખોનું મહત્વ અનેરૂ છે. આખ છે તો જ આપણે દુનિયાને જોઈ શકીએ છીએ, પ્રકૃતિની વિવિધતાને જાણી શકીએ છીએ. આંખ છે તો આ દુનિયાને આપણે જોઈ શકીએ છીએ પરંતુ એવા અનેક લોકો હોય છે જેમની પાસે આંખોની રોશની નથી હોતી. તેમની સામે અંધકાર પસરાયેલો હોય છે. આંખોનું મહત્વને લોકો સમજે તે માટે દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે વર્લ્ડ સાઈટ ડે મનાવવામાં આવે છે. આ વર્ષે 12 ઓક્ટોબરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 

World Sight Day 2022: Theme, Significance, History, Quotes, Wishes, And  Tips For A Better Vision

દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે ઉજવાય છે આ દિવસ 

એક સમય એવો હતો કે ઉંમરલાયક લોકોને જ ચશ્મા આવતા હતા. ઉંમરલાયક લોકો જ ચશ્મા પહેરેલા દેખાતા હતા પરંતુ હવે જમાનો બદલાયો છે. શાળામાં ભણતા બાળકોને ચશ્મા આવી ગયા છે. દૂરનું તેમને નથી દેખાતું. વિશ્વમાં ચશ્મા પહેરાઓની સંખ્યા કદાચ બિલિયનમાં હશે. આંખોની શક્તિ નબળી પડી રહી છે. દૂરનું જોવામાં લોકોને તકલીફ પડી રહી છે. દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે વર્લ્ડ સાઈટ ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે લોકોને આંખોનું મહત્વ સમજાય. 

World Sight Day 2023

આ વર્ષે આ થીમ છે રખાઈ 

અનેક લોકો એવા છે કે તેઓ આંખની કાળજી નથી રાખતા. આંખોનું સ્વાસ્થ્ય સારૂ રહે અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  આ દિવસની ઉજવણી  International Agency for the Prevention of Blindness (IAPB) દ્વારા કરવામાં આવે  છે. આ વર્ષની થીમ છે "કાર્યસ્થળમાં દ્રષ્ટિની જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવું." મહત્વનું છે કે કાર્યસ્થળ પર અનેક કલાકો સુધી કોમ્પ્યુટરની સામે બેસતા હોઈએ છીએ. તે ઉપરાંત મોબાઈલ સામે પણ અનેક કલાકો લોકો વિતાવતા હોય છે. આંખોની કાળજી આપણે લેતા નથી. 


આંખોને સારી રાખવા આ-આ કરવું જોઈએ

આંખોને સારી રાખવા માટે અનેક વસ્તુઓનું નિયમિત પાલન કરવું જોઈએ. બેલેન્સ ડાયટ લેવું જોઈએ, આંખોની નિયમિત તપાસ કરાવી જોઈએ, સનગ્લાસીસ પહેરવા જોઈએ. ધ્રૂમપાન ટાળવું જોઈએ. આરોગ્યની સ્થિતિઓનું સંચાલન કરવું જોઈએ, ડિજિટલ આંખ તાણ જાગૃતિ સહિતના અનેક વિષયો છે જેની પર ધ્યાન રાખવું જોઈએ. તે સિવાય પૂરતી ઉંઘ લેવી જોઈએ.  મહત્વનું છે કે આંખો સારી હશે તો જ દુનિયા દેખાશે. આંખો એકદમ સંવદેનશીલ છે.        



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે