આજે છે World Sight Day : દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે ઉજવાય છે આ દિવસ, જાણો શું છે આ વર્ષની થીમ?


  • Published By :
  • Published Date : 2023-10-12 13:40:22

વિશ્વભરમાં અલગ અલગ દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. કોઈ વખત આ દિવસની ઉજવણી તો કોઈ દિવસ આની ઉજવણી. પરંતુ શું તમને ખબર છે કે ઓક્ટોબરના બીજા ગુરૂવારે World sight dayની ઉજવણી કરવામાં આવે છે. શરીરના આમ તો દરેક અંગ અગત્યના છે પરંતુ તેમાં શરીરમાં આંખોનું મહત્વ અનેરૂ છે. આખ છે તો જ આપણે દુનિયાને જોઈ શકીએ છીએ, પ્રકૃતિની વિવિધતાને જાણી શકીએ છીએ. આંખ છે તો આ દુનિયાને આપણે જોઈ શકીએ છીએ પરંતુ એવા અનેક લોકો હોય છે જેમની પાસે આંખોની રોશની નથી હોતી. તેમની સામે અંધકાર પસરાયેલો હોય છે. આંખોનું મહત્વને લોકો સમજે તે માટે દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે વર્લ્ડ સાઈટ ડે મનાવવામાં આવે છે. આ વર્ષે 12 ઓક્ટોબરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 

World Sight Day 2022: Theme, Significance, History, Quotes, Wishes, And  Tips For A Better Vision

દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે ઉજવાય છે આ દિવસ 

એક સમય એવો હતો કે ઉંમરલાયક લોકોને જ ચશ્મા આવતા હતા. ઉંમરલાયક લોકો જ ચશ્મા પહેરેલા દેખાતા હતા પરંતુ હવે જમાનો બદલાયો છે. શાળામાં ભણતા બાળકોને ચશ્મા આવી ગયા છે. દૂરનું તેમને નથી દેખાતું. વિશ્વમાં ચશ્મા પહેરાઓની સંખ્યા કદાચ બિલિયનમાં હશે. આંખોની શક્તિ નબળી પડી રહી છે. દૂરનું જોવામાં લોકોને તકલીફ પડી રહી છે. દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે વર્લ્ડ સાઈટ ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે લોકોને આંખોનું મહત્વ સમજાય. 

World Sight Day 2023

આ વર્ષે આ થીમ છે રખાઈ 

અનેક લોકો એવા છે કે તેઓ આંખની કાળજી નથી રાખતા. આંખોનું સ્વાસ્થ્ય સારૂ રહે અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  આ દિવસની ઉજવણી  International Agency for the Prevention of Blindness (IAPB) દ્વારા કરવામાં આવે  છે. આ વર્ષની થીમ છે "કાર્યસ્થળમાં દ્રષ્ટિની જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવું." મહત્વનું છે કે કાર્યસ્થળ પર અનેક કલાકો સુધી કોમ્પ્યુટરની સામે બેસતા હોઈએ છીએ. તે ઉપરાંત મોબાઈલ સામે પણ અનેક કલાકો લોકો વિતાવતા હોય છે. આંખોની કાળજી આપણે લેતા નથી. 


આંખોને સારી રાખવા આ-આ કરવું જોઈએ

આંખોને સારી રાખવા માટે અનેક વસ્તુઓનું નિયમિત પાલન કરવું જોઈએ. બેલેન્સ ડાયટ લેવું જોઈએ, આંખોની નિયમિત તપાસ કરાવી જોઈએ, સનગ્લાસીસ પહેરવા જોઈએ. ધ્રૂમપાન ટાળવું જોઈએ. આરોગ્યની સ્થિતિઓનું સંચાલન કરવું જોઈએ, ડિજિટલ આંખ તાણ જાગૃતિ સહિતના અનેક વિષયો છે જેની પર ધ્યાન રાખવું જોઈએ. તે સિવાય પૂરતી ઉંઘ લેવી જોઈએ.  મહત્વનું છે કે આંખો સારી હશે તો જ દુનિયા દેખાશે. આંખો એકદમ સંવદેનશીલ છે.        



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.