આજે વાત 'નલ સે જલ યોજના'ની, માત્ર ચાર વર્ષની અંદર આટલા ઘરોમાં નળથી પહોંચ્યું પાણી, પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-09-06 10:10:35

અનેક યોજનાઓ એવી છે જે પેપર પર તો 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. પેપર પર 100 ટકા પૂર્ણ થઈ ગયેલી યોજનાની જાહેરાતો આખા દેશમાં કરવામાં આવે છે. યોજના શરૂ કરવા પાછળનો હેતુ સારો હતો કે દરેક ઘરમાં નળથી પાણી આવે અને ઘરની મહિલાઓને દૂર પાણી લેવા ન આવવું પડે. આ યોજના પાછળ કરોડો ખર્ચવામાં આવ્યા. આ યોજનામાં સાવ કામ નથી થયું એવું પણ નથી. અનેક અંતરિયાળ વિસ્તારોમાં પાણી નળથી આવે છે. મહિલાઓને પાણી ભરવા માટે દૂર દેગડા લઈને ચાલીને પણ નથી જવું પડતું. 

અનેક જગ્યાઓ પર નળથી આવી રહ્યું છે પાણી  

ગામડાઓમાં પાણી પહોંચ્યું છે, વિકાસના કામો થયા છે પરંતુ જ્યારે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેવી જાહેરાતો કરવામાં આવે છે તેનાથી અમને વાંધો છે. જમાવટની ટીમ જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કરવા જાય છે ત્યારે અનેક એવા લોકો મળે છે જે આજે પણ પાણી ભરવા માટે ચાલીને જાય છે. ગુજરાત સહિત અનેક રાજ્યોથી એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં પાણી ભરવા માટે મહિલાઓને સંઘર્ષ કરવો પડે છે . સરકાર દ્વારા યોજનાઓ તો લાવવામાં આવે છે, અમુક જગ્યાઓ પર તેનું અમલીકરણ પણ સારું થાય છે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં હજી સુધી યોજનાનો લાભ નથી પહોંચ્યો. 

ન માત્ર ગુજરાતમાં પરંતુ અનેક રાજ્યોમાં પરિસ્થિતિ સરખી જોવા મળી!

ગુજરાતમાં અનેક ગામો એવા છે જ્યાં નળ તો પહોંચી ગયા છે પરંતુ પ્રતિક્ષા છે નળમાંથી જળ આવવાની. અનેક જગ્યાઓ પર તો નળ પણ તૂટી ગયા છે. જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ નર્મદા નદીના કિનારે વસેલા ગામોમાં કરવામાં આવ્યું ત્યારે સૌથી વધારે દુખ થયું. દુખ એ વાતનું થયું કે જે નદીથી આખું ગુજરાત ચાલે છે. ગુજરાત માટે જે નદી જીવા દોરી સમાન છે ત્યાંથી એકદમ નજીક રહેતા લોકોને જ પાણી માટે અનેક કિલોમીટર દુર જવું પડે છે. સરકારની યોજનાઓ તો સારી હોય છે પરંતુ અનેક વખત ગાંધીનગર અથવા તો દિલ્હીથી નીકળેલી યોજનાઓ વચ્ચે આવતા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને કારણે લોકો સુધી નથી પહોંચતી જે યોજનાના હકદાર છે. અમે તો ખાલી ગુજરાતના અંતરિયાળ વિસ્તારની વાત કરી પરંતુ દેશના અનેક રાજ્યોની હાલત આવી જ હશે. અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે. 


પીએમ મોદીએ કરી ટ્વિટ 

આજે અચાનક નલ સે જલ યોજનાની વાત એટલા માટે કરવી છે કારણ કે પીએમ મોદીએ એક ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ગજેન્દ્રસિંહ શેખાવતની ટ્વિટને રિ-ટ્વિટ કરી છે. પીએમ મોદીએ જે  ટ્વિટને રિ-ટ્વિટ કરી છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં કેટલા ઘરમાં નળના માધ્યમથી પાણી પહોંચ્યું છે. માત્ર ચાર વર્ષની અંદર ગ્રામીણ ભારતના ઘરોમાં નળ કનેક્શનની સંખ્યા 3થી 13 કરોડ પહોંચી ગઈ છે. પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું છે કે ગ્રામીણ ભારતના મારા પરિવારજનો સુધી પીવા માટે શુદ્ધ પાણી પહોંચે તે માટે જલ જીવન મિશનની શરૂઆત કરી. 



જે દ્રશ્યો ઉપર બતાયા ત્યાંની પરિસ્થિતિ બદલાઈ હોય તેવી આશા 

આ સમાચાર વાંચ્યા પછી અનેક લોકો કહેશે કે નેગેટિવ વસ્તુઓ જ દર્શાવવામાં આવે છે. ના એવું નથી. નેગેટિવ કરતા પણ વાસ્તવિક દ્રશ્યો, વાસ્તવિક હકીકત દર્શાવવામાં આવે છે. જો બધા સારું જ બતાવશે તો એ વસ્તુ કોણ દર્શાવશે કે આ જગ્યાઓ પર કામ નથી થયા. યોજનાઓ હકદાર લોકો સુધી નથી પહોંચી. જે વીડિયો અમે તમને ઉપર બતાવ્યા આશા રાખીએ છીએ કે ત્યાં હમણાંની પરિસ્થિતિ અલગ હોય. તેમના ઘરોમાં પણ નળના માધ્યમથી પાણી આવતું હોય.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે