આજે વાત 'નલ સે જલ યોજના'ની, માત્ર ચાર વર્ષની અંદર આટલા ઘરોમાં નળથી પહોંચ્યું પાણી, પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-09-06 10:10:35

અનેક યોજનાઓ એવી છે જે પેપર પર તો 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. પેપર પર 100 ટકા પૂર્ણ થઈ ગયેલી યોજનાની જાહેરાતો આખા દેશમાં કરવામાં આવે છે. યોજના શરૂ કરવા પાછળનો હેતુ સારો હતો કે દરેક ઘરમાં નળથી પાણી આવે અને ઘરની મહિલાઓને દૂર પાણી લેવા ન આવવું પડે. આ યોજના પાછળ કરોડો ખર્ચવામાં આવ્યા. આ યોજનામાં સાવ કામ નથી થયું એવું પણ નથી. અનેક અંતરિયાળ વિસ્તારોમાં પાણી નળથી આવે છે. મહિલાઓને પાણી ભરવા માટે દૂર દેગડા લઈને ચાલીને પણ નથી જવું પડતું. 

અનેક જગ્યાઓ પર નળથી આવી રહ્યું છે પાણી  

ગામડાઓમાં પાણી પહોંચ્યું છે, વિકાસના કામો થયા છે પરંતુ જ્યારે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેવી જાહેરાતો કરવામાં આવે છે તેનાથી અમને વાંધો છે. જમાવટની ટીમ જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કરવા જાય છે ત્યારે અનેક એવા લોકો મળે છે જે આજે પણ પાણી ભરવા માટે ચાલીને જાય છે. ગુજરાત સહિત અનેક રાજ્યોથી એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં પાણી ભરવા માટે મહિલાઓને સંઘર્ષ કરવો પડે છે . સરકાર દ્વારા યોજનાઓ તો લાવવામાં આવે છે, અમુક જગ્યાઓ પર તેનું અમલીકરણ પણ સારું થાય છે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં હજી સુધી યોજનાનો લાભ નથી પહોંચ્યો. 

ન માત્ર ગુજરાતમાં પરંતુ અનેક રાજ્યોમાં પરિસ્થિતિ સરખી જોવા મળી!

ગુજરાતમાં અનેક ગામો એવા છે જ્યાં નળ તો પહોંચી ગયા છે પરંતુ પ્રતિક્ષા છે નળમાંથી જળ આવવાની. અનેક જગ્યાઓ પર તો નળ પણ તૂટી ગયા છે. જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ નર્મદા નદીના કિનારે વસેલા ગામોમાં કરવામાં આવ્યું ત્યારે સૌથી વધારે દુખ થયું. દુખ એ વાતનું થયું કે જે નદીથી આખું ગુજરાત ચાલે છે. ગુજરાત માટે જે નદી જીવા દોરી સમાન છે ત્યાંથી એકદમ નજીક રહેતા લોકોને જ પાણી માટે અનેક કિલોમીટર દુર જવું પડે છે. સરકારની યોજનાઓ તો સારી હોય છે પરંતુ અનેક વખત ગાંધીનગર અથવા તો દિલ્હીથી નીકળેલી યોજનાઓ વચ્ચે આવતા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને કારણે લોકો સુધી નથી પહોંચતી જે યોજનાના હકદાર છે. અમે તો ખાલી ગુજરાતના અંતરિયાળ વિસ્તારની વાત કરી પરંતુ દેશના અનેક રાજ્યોની હાલત આવી જ હશે. અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે. 


પીએમ મોદીએ કરી ટ્વિટ 

આજે અચાનક નલ સે જલ યોજનાની વાત એટલા માટે કરવી છે કારણ કે પીએમ મોદીએ એક ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ગજેન્દ્રસિંહ શેખાવતની ટ્વિટને રિ-ટ્વિટ કરી છે. પીએમ મોદીએ જે  ટ્વિટને રિ-ટ્વિટ કરી છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં કેટલા ઘરમાં નળના માધ્યમથી પાણી પહોંચ્યું છે. માત્ર ચાર વર્ષની અંદર ગ્રામીણ ભારતના ઘરોમાં નળ કનેક્શનની સંખ્યા 3થી 13 કરોડ પહોંચી ગઈ છે. પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું છે કે ગ્રામીણ ભારતના મારા પરિવારજનો સુધી પીવા માટે શુદ્ધ પાણી પહોંચે તે માટે જલ જીવન મિશનની શરૂઆત કરી. 



જે દ્રશ્યો ઉપર બતાયા ત્યાંની પરિસ્થિતિ બદલાઈ હોય તેવી આશા 

આ સમાચાર વાંચ્યા પછી અનેક લોકો કહેશે કે નેગેટિવ વસ્તુઓ જ દર્શાવવામાં આવે છે. ના એવું નથી. નેગેટિવ કરતા પણ વાસ્તવિક દ્રશ્યો, વાસ્તવિક હકીકત દર્શાવવામાં આવે છે. જો બધા સારું જ બતાવશે તો એ વસ્તુ કોણ દર્શાવશે કે આ જગ્યાઓ પર કામ નથી થયા. યોજનાઓ હકદાર લોકો સુધી નથી પહોંચી. જે વીડિયો અમે તમને ઉપર બતાવ્યા આશા રાખીએ છીએ કે ત્યાં હમણાંની પરિસ્થિતિ અલગ હોય. તેમના ઘરોમાં પણ નળના માધ્યમથી પાણી આવતું હોય.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.