આજે વાત 'નલ સે જલ યોજના'ની, માત્ર ચાર વર્ષની અંદર આટલા ઘરોમાં નળથી પહોંચ્યું પાણી, પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-09-06 10:10:35

અનેક યોજનાઓ એવી છે જે પેપર પર તો 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. પેપર પર 100 ટકા પૂર્ણ થઈ ગયેલી યોજનાની જાહેરાતો આખા દેશમાં કરવામાં આવે છે. યોજના શરૂ કરવા પાછળનો હેતુ સારો હતો કે દરેક ઘરમાં નળથી પાણી આવે અને ઘરની મહિલાઓને દૂર પાણી લેવા ન આવવું પડે. આ યોજના પાછળ કરોડો ખર્ચવામાં આવ્યા. આ યોજનામાં સાવ કામ નથી થયું એવું પણ નથી. અનેક અંતરિયાળ વિસ્તારોમાં પાણી નળથી આવે છે. મહિલાઓને પાણી ભરવા માટે દૂર દેગડા લઈને ચાલીને પણ નથી જવું પડતું. 

અનેક જગ્યાઓ પર નળથી આવી રહ્યું છે પાણી  

ગામડાઓમાં પાણી પહોંચ્યું છે, વિકાસના કામો થયા છે પરંતુ જ્યારે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેવી જાહેરાતો કરવામાં આવે છે તેનાથી અમને વાંધો છે. જમાવટની ટીમ જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કરવા જાય છે ત્યારે અનેક એવા લોકો મળે છે જે આજે પણ પાણી ભરવા માટે ચાલીને જાય છે. ગુજરાત સહિત અનેક રાજ્યોથી એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં પાણી ભરવા માટે મહિલાઓને સંઘર્ષ કરવો પડે છે . સરકાર દ્વારા યોજનાઓ તો લાવવામાં આવે છે, અમુક જગ્યાઓ પર તેનું અમલીકરણ પણ સારું થાય છે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં હજી સુધી યોજનાનો લાભ નથી પહોંચ્યો. 

ન માત્ર ગુજરાતમાં પરંતુ અનેક રાજ્યોમાં પરિસ્થિતિ સરખી જોવા મળી!

ગુજરાતમાં અનેક ગામો એવા છે જ્યાં નળ તો પહોંચી ગયા છે પરંતુ પ્રતિક્ષા છે નળમાંથી જળ આવવાની. અનેક જગ્યાઓ પર તો નળ પણ તૂટી ગયા છે. જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ નર્મદા નદીના કિનારે વસેલા ગામોમાં કરવામાં આવ્યું ત્યારે સૌથી વધારે દુખ થયું. દુખ એ વાતનું થયું કે જે નદીથી આખું ગુજરાત ચાલે છે. ગુજરાત માટે જે નદી જીવા દોરી સમાન છે ત્યાંથી એકદમ નજીક રહેતા લોકોને જ પાણી માટે અનેક કિલોમીટર દુર જવું પડે છે. સરકારની યોજનાઓ તો સારી હોય છે પરંતુ અનેક વખત ગાંધીનગર અથવા તો દિલ્હીથી નીકળેલી યોજનાઓ વચ્ચે આવતા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને કારણે લોકો સુધી નથી પહોંચતી જે યોજનાના હકદાર છે. અમે તો ખાલી ગુજરાતના અંતરિયાળ વિસ્તારની વાત કરી પરંતુ દેશના અનેક રાજ્યોની હાલત આવી જ હશે. અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે. 


પીએમ મોદીએ કરી ટ્વિટ 

આજે અચાનક નલ સે જલ યોજનાની વાત એટલા માટે કરવી છે કારણ કે પીએમ મોદીએ એક ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ગજેન્દ્રસિંહ શેખાવતની ટ્વિટને રિ-ટ્વિટ કરી છે. પીએમ મોદીએ જે  ટ્વિટને રિ-ટ્વિટ કરી છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં કેટલા ઘરમાં નળના માધ્યમથી પાણી પહોંચ્યું છે. માત્ર ચાર વર્ષની અંદર ગ્રામીણ ભારતના ઘરોમાં નળ કનેક્શનની સંખ્યા 3થી 13 કરોડ પહોંચી ગઈ છે. પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું છે કે ગ્રામીણ ભારતના મારા પરિવારજનો સુધી પીવા માટે શુદ્ધ પાણી પહોંચે તે માટે જલ જીવન મિશનની શરૂઆત કરી. 



જે દ્રશ્યો ઉપર બતાયા ત્યાંની પરિસ્થિતિ બદલાઈ હોય તેવી આશા 

આ સમાચાર વાંચ્યા પછી અનેક લોકો કહેશે કે નેગેટિવ વસ્તુઓ જ દર્શાવવામાં આવે છે. ના એવું નથી. નેગેટિવ કરતા પણ વાસ્તવિક દ્રશ્યો, વાસ્તવિક હકીકત દર્શાવવામાં આવે છે. જો બધા સારું જ બતાવશે તો એ વસ્તુ કોણ દર્શાવશે કે આ જગ્યાઓ પર કામ નથી થયા. યોજનાઓ હકદાર લોકો સુધી નથી પહોંચી. જે વીડિયો અમે તમને ઉપર બતાવ્યા આશા રાખીએ છીએ કે ત્યાં હમણાંની પરિસ્થિતિ અલગ હોય. તેમના ઘરોમાં પણ નળના માધ્યમથી પાણી આવતું હોય.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.