આજે જાણો Anand Loksabha Seatના સમીકરણોને જ્યાં ભાજપે વર્તમાન સાંસદને તો કોંગ્રેસે Amit Chavdaને આપી છે ટિકીટ..


  • Published By :
  • Published Date : 2024-03-25 18:08:19

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ભાજપ દ્વારા 26 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ અનેક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ 26 બેઠકોના નામની જાહેરાત નથી કરવામાં આવી. અલગ અલગ બેઠકોના અલગ અલગ સમીકરણો હોય છે. ત્યારે આજે સમજીએ આણંદ લોકસભા બેઠકના સમીકરણોને. આણંદ આખા ભારતમાં મિલ્ક કેપિટલ તરીકે ઓળખાય છે. ૧૯૫૭માં સરદાર સાહેબના દીકરી મણીબેન ચૂંટાયા હતા. 


2024માં ભાજપે સાંસદને કર્યા છે રિપીટ 

આણંદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો ખુબ રોચક મુકાબલો જોવા મળે છે . UPAની સરકાર વખતે ભરતસિંહ સોલંકી અહીંના સાંસદ હતા . 2014માં ભાજપથી દિલીપ પટેલ, ૨૦૧૯માં મિતેષ પટેલ ચૂંટાયા હતા, 2024માં BJPએ મિતેષ પટેલને રિપીટ કર્યા છે. તો સામે કોંગ્રેસે આંકલાવના ૫ વખતના MLA અમિત ચાવડાને ટિકિટ આપી છે. આ આણંદમાં આવે છે ૭ વિધાનસભાઓ. 


શું છે આણંદના જાતીગત સમીકરણો..? 

7 વિધાનસભાની વાત કરીએ તો ખંભાત, બોરસદ, આંકલાવ,ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા. 2022 વિધાનસભામાં આંકલાવ સિવાયની બધી બેઠકો BJPએ જીતી લીધી હતી . જોઈએ જાતિગત સમીકરણો તો ૨,૧૧, ૦૦૦ જેટલા પાટીદાર છે, ૨,૧૦,૦૦૦ જેટલા ઠાકોર , ૫૮૦૦૦ જેટલા મુસ્લિમો છે જ્યારે દલિત સમાજના ૫ ટકા વોટર્સ છે . તો જોઈએ ઇન્ડિયાની મિલ્ક કેપિટલ કયા ઉમેદવારને સંસદમાં મોકલે છે ?



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે