આજે જાણો Anand Loksabha Seatના સમીકરણોને જ્યાં ભાજપે વર્તમાન સાંસદને તો કોંગ્રેસે Amit Chavdaને આપી છે ટિકીટ..


  • Published By :
  • Published Date : 2024-03-25 18:08:19

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ભાજપ દ્વારા 26 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ અનેક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ 26 બેઠકોના નામની જાહેરાત નથી કરવામાં આવી. અલગ અલગ બેઠકોના અલગ અલગ સમીકરણો હોય છે. ત્યારે આજે સમજીએ આણંદ લોકસભા બેઠકના સમીકરણોને. આણંદ આખા ભારતમાં મિલ્ક કેપિટલ તરીકે ઓળખાય છે. ૧૯૫૭માં સરદાર સાહેબના દીકરી મણીબેન ચૂંટાયા હતા. 


2024માં ભાજપે સાંસદને કર્યા છે રિપીટ 

આણંદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો ખુબ રોચક મુકાબલો જોવા મળે છે . UPAની સરકાર વખતે ભરતસિંહ સોલંકી અહીંના સાંસદ હતા . 2014માં ભાજપથી દિલીપ પટેલ, ૨૦૧૯માં મિતેષ પટેલ ચૂંટાયા હતા, 2024માં BJPએ મિતેષ પટેલને રિપીટ કર્યા છે. તો સામે કોંગ્રેસે આંકલાવના ૫ વખતના MLA અમિત ચાવડાને ટિકિટ આપી છે. આ આણંદમાં આવે છે ૭ વિધાનસભાઓ. 


શું છે આણંદના જાતીગત સમીકરણો..? 

7 વિધાનસભાની વાત કરીએ તો ખંભાત, બોરસદ, આંકલાવ,ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા. 2022 વિધાનસભામાં આંકલાવ સિવાયની બધી બેઠકો BJPએ જીતી લીધી હતી . જોઈએ જાતિગત સમીકરણો તો ૨,૧૧, ૦૦૦ જેટલા પાટીદાર છે, ૨,૧૦,૦૦૦ જેટલા ઠાકોર , ૫૮૦૦૦ જેટલા મુસ્લિમો છે જ્યારે દલિત સમાજના ૫ ટકા વોટર્સ છે . તો જોઈએ ઇન્ડિયાની મિલ્ક કેપિટલ કયા ઉમેદવારને સંસદમાં મોકલે છે ?



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.