આજે જાણો Anand Loksabha Seatના સમીકરણોને જ્યાં ભાજપે વર્તમાન સાંસદને તો કોંગ્રેસે Amit Chavdaને આપી છે ટિકીટ..


  • Published By :
  • Published Date : 2024-03-25 18:08:19

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ભાજપ દ્વારા 26 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ અનેક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ 26 બેઠકોના નામની જાહેરાત નથી કરવામાં આવી. અલગ અલગ બેઠકોના અલગ અલગ સમીકરણો હોય છે. ત્યારે આજે સમજીએ આણંદ લોકસભા બેઠકના સમીકરણોને. આણંદ આખા ભારતમાં મિલ્ક કેપિટલ તરીકે ઓળખાય છે. ૧૯૫૭માં સરદાર સાહેબના દીકરી મણીબેન ચૂંટાયા હતા. 


2024માં ભાજપે સાંસદને કર્યા છે રિપીટ 

આણંદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો ખુબ રોચક મુકાબલો જોવા મળે છે . UPAની સરકાર વખતે ભરતસિંહ સોલંકી અહીંના સાંસદ હતા . 2014માં ભાજપથી દિલીપ પટેલ, ૨૦૧૯માં મિતેષ પટેલ ચૂંટાયા હતા, 2024માં BJPએ મિતેષ પટેલને રિપીટ કર્યા છે. તો સામે કોંગ્રેસે આંકલાવના ૫ વખતના MLA અમિત ચાવડાને ટિકિટ આપી છે. આ આણંદમાં આવે છે ૭ વિધાનસભાઓ. 


શું છે આણંદના જાતીગત સમીકરણો..? 

7 વિધાનસભાની વાત કરીએ તો ખંભાત, બોરસદ, આંકલાવ,ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા. 2022 વિધાનસભામાં આંકલાવ સિવાયની બધી બેઠકો BJPએ જીતી લીધી હતી . જોઈએ જાતિગત સમીકરણો તો ૨,૧૧, ૦૦૦ જેટલા પાટીદાર છે, ૨,૧૦,૦૦૦ જેટલા ઠાકોર , ૫૮૦૦૦ જેટલા મુસ્લિમો છે જ્યારે દલિત સમાજના ૫ ટકા વોટર્સ છે . તો જોઈએ ઇન્ડિયાની મિલ્ક કેપિટલ કયા ઉમેદવારને સંસદમાં મોકલે છે ?



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.