આજે જાણો Anand Loksabha Seatના સમીકરણોને જ્યાં ભાજપે વર્તમાન સાંસદને તો કોંગ્રેસે Amit Chavdaને આપી છે ટિકીટ..


  • Published By :
  • Published Date : 2024-03-25 18:08:19

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ભાજપ દ્વારા 26 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ અનેક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ 26 બેઠકોના નામની જાહેરાત નથી કરવામાં આવી. અલગ અલગ બેઠકોના અલગ અલગ સમીકરણો હોય છે. ત્યારે આજે સમજીએ આણંદ લોકસભા બેઠકના સમીકરણોને. આણંદ આખા ભારતમાં મિલ્ક કેપિટલ તરીકે ઓળખાય છે. ૧૯૫૭માં સરદાર સાહેબના દીકરી મણીબેન ચૂંટાયા હતા. 


2024માં ભાજપે સાંસદને કર્યા છે રિપીટ 

આણંદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો ખુબ રોચક મુકાબલો જોવા મળે છે . UPAની સરકાર વખતે ભરતસિંહ સોલંકી અહીંના સાંસદ હતા . 2014માં ભાજપથી દિલીપ પટેલ, ૨૦૧૯માં મિતેષ પટેલ ચૂંટાયા હતા, 2024માં BJPએ મિતેષ પટેલને રિપીટ કર્યા છે. તો સામે કોંગ્રેસે આંકલાવના ૫ વખતના MLA અમિત ચાવડાને ટિકિટ આપી છે. આ આણંદમાં આવે છે ૭ વિધાનસભાઓ. 


શું છે આણંદના જાતીગત સમીકરણો..? 

7 વિધાનસભાની વાત કરીએ તો ખંભાત, બોરસદ, આંકલાવ,ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા. 2022 વિધાનસભામાં આંકલાવ સિવાયની બધી બેઠકો BJPએ જીતી લીધી હતી . જોઈએ જાતિગત સમીકરણો તો ૨,૧૧, ૦૦૦ જેટલા પાટીદાર છે, ૨,૧૦,૦૦૦ જેટલા ઠાકોર , ૫૮૦૦૦ જેટલા મુસ્લિમો છે જ્યારે દલિત સમાજના ૫ ટકા વોટર્સ છે . તો જોઈએ ઇન્ડિયાની મિલ્ક કેપિટલ કયા ઉમેદવારને સંસદમાં મોકલે છે ?



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.