આજે જાણીએ Gujaratની એવી બે Loksabha બેઠકોના સમીકરણો વિશે, ભાવનગર અને છોટા ઉદેપુર બેઠક જેને ભાજપનો...


  • Published By :
  • Published Date : 2024-04-02 18:10:35

ગુજરાતની 26 લોકસભા બેઠકો છે. દરેક બેઠકો પર અલગ અલગ સમીકરણો રહેલા છે. અનેક પરિસ્થિતિ, સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. અલગ બેઠકની અલગ રાજનીતિ હોય છે..! ત્યારે આજે બે બેઠકોની ચર્ચા કરીશું. એક બેઠક છે છોટા ઉદેપુરની અને બીજી ભાવનગર લોકસભા બેઠકની.. ભારતીય જનતા પાર્ટીએ 26 બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પરંતુ અનેક બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારની ઘોષણા નથી કરવામાં આવી. 

કોણ છે ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવાર? 

છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો ૧૯૯૯થી આ બેઠક BJPનો ગઢ છે. માત્ર 2004માં કોંગ્રેસના નારણભાઇ રાઠવા ચૂંટાયા જોકે અગાઉ નારણભાઇ ૫ વખત આ બેઠક પરથી ચૂંટાયા હતા. 2009થી BJPના રામસિંહ રાઠવા ચૂંટાતા હતા. અને 2019માં  BJPના ગીતાબેન રાઠવા ચૂંટાયા હતા. અને હવે BJPએ આ વખતે જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે. સામે કોંગ્રેસ પાર્ટીએ સુખરામ રાઠવાને ટિકીટ આપી છે. છોટાઉદેપુર લોકસભામાં 7 વિધાનસભાઓ આવે છે. હાલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઈ, પાદરા, નાંદોદ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJP દ્વારા જીતી લેવાઈ . વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર ૫૪ ટકા આદિવાસી સમાજના લોકો રહે છે. તો હવે જોઈએ છોટાઉદેપુર લોકસભાની જનતા આ પાણીપતના યુદ્ધમાં કોની જોડે જશે?  


આ બેઠકને માનવામાં આવે છે બીજેપીનો ગઢ

તે ઉપરાંત આજે ભાવનગર લોકસભા બેઠકની પણ ચર્ચા કરીએ. એક એવી લોકસભાની વાત કરીશું કે જે આઝાદી પહેલા એક દેશી રજવાડું હતું, અને રાજા કૃષ્ણકુમારસિંહજીએ આખા ભારતમાં સૌપ્રથમ તેને ભારત સાથે જોડી દીધું તે છે ભાવનગર લોકસભા બેઠક. આ બેઠક 1991થી BJPનો ગઢ છે કોંગ્રેસ આ પછી એક પણ વાર જીતી નથી શકી. 1991માં મહાવીરસિંહ ગોહિલ ચૂંટાયા, આ પછી ૨૦૦૯ સુધી રાજેન્દ્રસિંહ રાણા સાંસદ રહ્યા. 2014માં ભારતીબેન શિયાળ ચૂંટાયા પણ હવે BJPએ આ વખતે નિમુબેન બામભણીયાને ટિકિટ આપી છે.


ઉમેશ મકવાણા છે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર 

તો સામે INDIA ગઠબંધન માંથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ઉમેદવાર છે. આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ તળાજા, પાલીતાણા , ભાવનગર ગ્રામીણ, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર બોટાદ બેઠક આમ આદમી પાર્ટી દ્વારા જીતાઈ બાકીની બેઠકો BJP દ્વારા જીતાઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની આ બેઠક પર કોળી, બ્રાહ્મણ , દલિત ,પાટીદાર સમજ નિર્ણાયક બને છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.