આજે જાણીએ Gujaratની એવી બે Loksabha બેઠકોના સમીકરણો વિશે, ભાવનગર અને છોટા ઉદેપુર બેઠક જેને ભાજપનો...


  • Published By :
  • Published Date : 2024-04-02 18:10:35

ગુજરાતની 26 લોકસભા બેઠકો છે. દરેક બેઠકો પર અલગ અલગ સમીકરણો રહેલા છે. અનેક પરિસ્થિતિ, સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. અલગ બેઠકની અલગ રાજનીતિ હોય છે..! ત્યારે આજે બે બેઠકોની ચર્ચા કરીશું. એક બેઠક છે છોટા ઉદેપુરની અને બીજી ભાવનગર લોકસભા બેઠકની.. ભારતીય જનતા પાર્ટીએ 26 બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પરંતુ અનેક બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારની ઘોષણા નથી કરવામાં આવી. 

કોણ છે ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવાર? 

છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો ૧૯૯૯થી આ બેઠક BJPનો ગઢ છે. માત્ર 2004માં કોંગ્રેસના નારણભાઇ રાઠવા ચૂંટાયા જોકે અગાઉ નારણભાઇ ૫ વખત આ બેઠક પરથી ચૂંટાયા હતા. 2009થી BJPના રામસિંહ રાઠવા ચૂંટાતા હતા. અને 2019માં  BJPના ગીતાબેન રાઠવા ચૂંટાયા હતા. અને હવે BJPએ આ વખતે જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે. સામે કોંગ્રેસ પાર્ટીએ સુખરામ રાઠવાને ટિકીટ આપી છે. છોટાઉદેપુર લોકસભામાં 7 વિધાનસભાઓ આવે છે. હાલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઈ, પાદરા, નાંદોદ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJP દ્વારા જીતી લેવાઈ . વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર ૫૪ ટકા આદિવાસી સમાજના લોકો રહે છે. તો હવે જોઈએ છોટાઉદેપુર લોકસભાની જનતા આ પાણીપતના યુદ્ધમાં કોની જોડે જશે?  


આ બેઠકને માનવામાં આવે છે બીજેપીનો ગઢ

તે ઉપરાંત આજે ભાવનગર લોકસભા બેઠકની પણ ચર્ચા કરીએ. એક એવી લોકસભાની વાત કરીશું કે જે આઝાદી પહેલા એક દેશી રજવાડું હતું, અને રાજા કૃષ્ણકુમારસિંહજીએ આખા ભારતમાં સૌપ્રથમ તેને ભારત સાથે જોડી દીધું તે છે ભાવનગર લોકસભા બેઠક. આ બેઠક 1991થી BJPનો ગઢ છે કોંગ્રેસ આ પછી એક પણ વાર જીતી નથી શકી. 1991માં મહાવીરસિંહ ગોહિલ ચૂંટાયા, આ પછી ૨૦૦૯ સુધી રાજેન્દ્રસિંહ રાણા સાંસદ રહ્યા. 2014માં ભારતીબેન શિયાળ ચૂંટાયા પણ હવે BJPએ આ વખતે નિમુબેન બામભણીયાને ટિકિટ આપી છે.


ઉમેશ મકવાણા છે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર 

તો સામે INDIA ગઠબંધન માંથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ઉમેદવાર છે. આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ તળાજા, પાલીતાણા , ભાવનગર ગ્રામીણ, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર બોટાદ બેઠક આમ આદમી પાર્ટી દ્વારા જીતાઈ બાકીની બેઠકો BJP દ્વારા જીતાઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની આ બેઠક પર કોળી, બ્રાહ્મણ , દલિત ,પાટીદાર સમજ નિર્ણાયક બને છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે