આજે જાણીએ Gujaratની એવી બે Loksabha બેઠકોના સમીકરણો વિશે, ભાવનગર અને છોટા ઉદેપુર બેઠક જેને ભાજપનો...


  • Published By :
  • Published Date : 2024-04-02 18:10:35

ગુજરાતની 26 લોકસભા બેઠકો છે. દરેક બેઠકો પર અલગ અલગ સમીકરણો રહેલા છે. અનેક પરિસ્થિતિ, સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. અલગ બેઠકની અલગ રાજનીતિ હોય છે..! ત્યારે આજે બે બેઠકોની ચર્ચા કરીશું. એક બેઠક છે છોટા ઉદેપુરની અને બીજી ભાવનગર લોકસભા બેઠકની.. ભારતીય જનતા પાર્ટીએ 26 બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પરંતુ અનેક બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારની ઘોષણા નથી કરવામાં આવી. 

કોણ છે ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવાર? 

છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો ૧૯૯૯થી આ બેઠક BJPનો ગઢ છે. માત્ર 2004માં કોંગ્રેસના નારણભાઇ રાઠવા ચૂંટાયા જોકે અગાઉ નારણભાઇ ૫ વખત આ બેઠક પરથી ચૂંટાયા હતા. 2009થી BJPના રામસિંહ રાઠવા ચૂંટાતા હતા. અને 2019માં  BJPના ગીતાબેન રાઠવા ચૂંટાયા હતા. અને હવે BJPએ આ વખતે જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે. સામે કોંગ્રેસ પાર્ટીએ સુખરામ રાઠવાને ટિકીટ આપી છે. છોટાઉદેપુર લોકસભામાં 7 વિધાનસભાઓ આવે છે. હાલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઈ, પાદરા, નાંદોદ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJP દ્વારા જીતી લેવાઈ . વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર ૫૪ ટકા આદિવાસી સમાજના લોકો રહે છે. તો હવે જોઈએ છોટાઉદેપુર લોકસભાની જનતા આ પાણીપતના યુદ્ધમાં કોની જોડે જશે?  


આ બેઠકને માનવામાં આવે છે બીજેપીનો ગઢ

તે ઉપરાંત આજે ભાવનગર લોકસભા બેઠકની પણ ચર્ચા કરીએ. એક એવી લોકસભાની વાત કરીશું કે જે આઝાદી પહેલા એક દેશી રજવાડું હતું, અને રાજા કૃષ્ણકુમારસિંહજીએ આખા ભારતમાં સૌપ્રથમ તેને ભારત સાથે જોડી દીધું તે છે ભાવનગર લોકસભા બેઠક. આ બેઠક 1991થી BJPનો ગઢ છે કોંગ્રેસ આ પછી એક પણ વાર જીતી નથી શકી. 1991માં મહાવીરસિંહ ગોહિલ ચૂંટાયા, આ પછી ૨૦૦૯ સુધી રાજેન્દ્રસિંહ રાણા સાંસદ રહ્યા. 2014માં ભારતીબેન શિયાળ ચૂંટાયા પણ હવે BJPએ આ વખતે નિમુબેન બામભણીયાને ટિકિટ આપી છે.


ઉમેશ મકવાણા છે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર 

તો સામે INDIA ગઠબંધન માંથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ઉમેદવાર છે. આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ તળાજા, પાલીતાણા , ભાવનગર ગ્રામીણ, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર બોટાદ બેઠક આમ આદમી પાર્ટી દ્વારા જીતાઈ બાકીની બેઠકો BJP દ્વારા જીતાઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની આ બેઠક પર કોળી, બ્રાહ્મણ , દલિત ,પાટીદાર સમજ નિર્ણાયક બને છે.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.