આજે જાણીએ Gujaratની એવી બે Loksabha બેઠકોના સમીકરણો વિશે, ભાવનગર અને છોટા ઉદેપુર બેઠક જેને ભાજપનો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-02 18:10:35

ગુજરાતની 26 લોકસભા બેઠકો છે. દરેક બેઠકો પર અલગ અલગ સમીકરણો રહેલા છે. અનેક પરિસ્થિતિ, સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. અલગ બેઠકની અલગ રાજનીતિ હોય છે..! ત્યારે આજે બે બેઠકોની ચર્ચા કરીશું. એક બેઠક છે છોટા ઉદેપુરની અને બીજી ભાવનગર લોકસભા બેઠકની.. ભારતીય જનતા પાર્ટીએ 26 બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પરંતુ અનેક બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારની ઘોષણા નથી કરવામાં આવી. 

કોણ છે ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવાર? 

છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો ૧૯૯૯થી આ બેઠક BJPનો ગઢ છે. માત્ર 2004માં કોંગ્રેસના નારણભાઇ રાઠવા ચૂંટાયા જોકે અગાઉ નારણભાઇ ૫ વખત આ બેઠક પરથી ચૂંટાયા હતા. 2009થી BJPના રામસિંહ રાઠવા ચૂંટાતા હતા. અને 2019માં  BJPના ગીતાબેન રાઠવા ચૂંટાયા હતા. અને હવે BJPએ આ વખતે જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે. સામે કોંગ્રેસ પાર્ટીએ સુખરામ રાઠવાને ટિકીટ આપી છે. છોટાઉદેપુર લોકસભામાં 7 વિધાનસભાઓ આવે છે. હાલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઈ, પાદરા, નાંદોદ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJP દ્વારા જીતી લેવાઈ . વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર ૫૪ ટકા આદિવાસી સમાજના લોકો રહે છે. તો હવે જોઈએ છોટાઉદેપુર લોકસભાની જનતા આ પાણીપતના યુદ્ધમાં કોની જોડે જશે?  


આ બેઠકને માનવામાં આવે છે બીજેપીનો ગઢ

તે ઉપરાંત આજે ભાવનગર લોકસભા બેઠકની પણ ચર્ચા કરીએ. એક એવી લોકસભાની વાત કરીશું કે જે આઝાદી પહેલા એક દેશી રજવાડું હતું, અને રાજા કૃષ્ણકુમારસિંહજીએ આખા ભારતમાં સૌપ્રથમ તેને ભારત સાથે જોડી દીધું તે છે ભાવનગર લોકસભા બેઠક. આ બેઠક 1991થી BJPનો ગઢ છે કોંગ્રેસ આ પછી એક પણ વાર જીતી નથી શકી. 1991માં મહાવીરસિંહ ગોહિલ ચૂંટાયા, આ પછી ૨૦૦૯ સુધી રાજેન્દ્રસિંહ રાણા સાંસદ રહ્યા. 2014માં ભારતીબેન શિયાળ ચૂંટાયા પણ હવે BJPએ આ વખતે નિમુબેન બામભણીયાને ટિકિટ આપી છે.


ઉમેશ મકવાણા છે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર 

તો સામે INDIA ગઠબંધન માંથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ઉમેદવાર છે. આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ તળાજા, પાલીતાણા , ભાવનગર ગ્રામીણ, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર બોટાદ બેઠક આમ આદમી પાર્ટી દ્વારા જીતાઈ બાકીની બેઠકો BJP દ્વારા જીતાઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની આ બેઠક પર કોળી, બ્રાહ્મણ , દલિત ,પાટીદાર સમજ નિર્ણાયક બને છે.



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.