Dharm : આજે ચૈત્રી Navratriની આઠમ, આઠમા નોરતે થાય છે મહાગૌરીની આરાધના, જાણો કયા મંત્રથી તેમજ કયું નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2024-04-16 18:51:37

આપણા ધર્મમાં અનેક તિથીઓનું વિશેષ મહત્વ હોય છે. અનેક તિથીઓ અનેક દેવી દેવતાઓને સમર્પિત હોય છે. માતાજીની પૂજા કરવા માટે આઠમની તિથી શ્રેષ્ઠ માનવામાં આવે અને તેમાં પણ જો આઠમ નવરાત્રીની હોય તો તેનું મહત્વ વધારે વધી જાય છે.. ત્યારે આજે ચૈત્ર નવરાત્રીની આઠમ છે. નવરાત્રીનું આજે આઠમુ નોરતું છે અને આઠમા નોરતે નવ દુર્ગાના આઠમા સ્વરૂપ એવા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે...  માતા મહાગૌરી વૃષભ પર સવારી કરે છે. 


આઠમા નોરતે થાય છે માતા મહાગૌરીની પૂજા 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીની આઠમનું વિશેષ મહત્વ રહેલું છે. આઠમા નોરતે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતા મહાગૌરી વૃષભ પર સવારી કરે છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજી ત્રિશુળ ધારણ કરે છે, બીજા હાથમાં તે ડમરૂ ધારણ કરે છે. ત્રીજા હાથમાં અભય મુદ્રા ધારણ કરી છે ચોથા હાથથી માતાજી ભક્તો પર આશીર્વાદ વરસાવી રહ્યા છે. માતા સુખ તેમજ સમૃદ્ધિ વધારનારા છે. 


શ્વેત વર્ણ હોવાને કારણે મહાગૌરી નામથી ઓળખાયા હોવાની માન્યતા 

માન્યતા અનુસાર ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે માતાજીએ કઠોર તપ કર્યું જેને કારણે તેમનો વર્ણ શ્યામ થઈ ગયો. તપસ્યાથી ભગવાન શંકર જ્યારે પ્રસન્ન થયા અને માતાજીનો સ્વીકાર કર્યો તે સમયે માતા પાર્વતી પર અભિષેક કરવામાં આવ્યો હતો જે બાદ માતા પાર્વતીજીને કાંતિમય સ્વરૂપની પ્રાપ્તિ થઈ.. માતાજીનું વર્ણ શ્વેત હોવાને કારણે તેઓ મહાગૌરી નામે ઓળખાયા... શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે તેમની પૂજા કરવાથી ગ્રહપીડા દૂર થાય અને ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની આરાધના કરે છે તે ભક્ત પર માતાજીની અસીમ કૃપા રહે છે...


કયા મંત્રથી કરવી જોઈએ આરાધના? 

દરેક દેવી દેવતાને સમર્પિત અનેક મંત્રો હોય છે. એ મંત્રોના ઉચ્ચારણથી માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. નવરાત્રી દરમિયાન ચંડીપાઠ શક્ય હોય તો કરવો જોઈએ, અને તેમાં પણ આઠમના દિવસે ચંડીપાઠ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે.. માતા મહાગૌરીના મંત્રની વાત કરીએ તો આ મંત્રથી માતાજીનો જપ કરવો જોઈએ - 


श्वेत वृषे समारूढा श्वेतामबरधरा शुचि|

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा||  

Tantravastu remedies to remove Vastudosha | Sandesh

આ નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ 

આ મંત્રના અર્થની વાત કરીએ તો માતા સફેદ વૃષભ પર સવાર છે, જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. નવરાત્રીના અલગ અલગ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ ભોગ અર્પણ કરવામાં આવે છે. નવરાત્રીના આઠમા નોરતે માતાજી સમક્ષ શ્રીફળ અર્પણ કરવું જોઈએ...      


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.