Dharm : આજે ચૈત્રી Navratriની આઠમ, આઠમા નોરતે થાય છે મહાગૌરીની આરાધના, જાણો કયા મંત્રથી તેમજ કયું નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2024-04-16 18:51:37

આપણા ધર્મમાં અનેક તિથીઓનું વિશેષ મહત્વ હોય છે. અનેક તિથીઓ અનેક દેવી દેવતાઓને સમર્પિત હોય છે. માતાજીની પૂજા કરવા માટે આઠમની તિથી શ્રેષ્ઠ માનવામાં આવે અને તેમાં પણ જો આઠમ નવરાત્રીની હોય તો તેનું મહત્વ વધારે વધી જાય છે.. ત્યારે આજે ચૈત્ર નવરાત્રીની આઠમ છે. નવરાત્રીનું આજે આઠમુ નોરતું છે અને આઠમા નોરતે નવ દુર્ગાના આઠમા સ્વરૂપ એવા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે...  માતા મહાગૌરી વૃષભ પર સવારી કરે છે. 


આઠમા નોરતે થાય છે માતા મહાગૌરીની પૂજા 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીની આઠમનું વિશેષ મહત્વ રહેલું છે. આઠમા નોરતે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતા મહાગૌરી વૃષભ પર સવારી કરે છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજી ત્રિશુળ ધારણ કરે છે, બીજા હાથમાં તે ડમરૂ ધારણ કરે છે. ત્રીજા હાથમાં અભય મુદ્રા ધારણ કરી છે ચોથા હાથથી માતાજી ભક્તો પર આશીર્વાદ વરસાવી રહ્યા છે. માતા સુખ તેમજ સમૃદ્ધિ વધારનારા છે. 


શ્વેત વર્ણ હોવાને કારણે મહાગૌરી નામથી ઓળખાયા હોવાની માન્યતા 

માન્યતા અનુસાર ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે માતાજીએ કઠોર તપ કર્યું જેને કારણે તેમનો વર્ણ શ્યામ થઈ ગયો. તપસ્યાથી ભગવાન શંકર જ્યારે પ્રસન્ન થયા અને માતાજીનો સ્વીકાર કર્યો તે સમયે માતા પાર્વતી પર અભિષેક કરવામાં આવ્યો હતો જે બાદ માતા પાર્વતીજીને કાંતિમય સ્વરૂપની પ્રાપ્તિ થઈ.. માતાજીનું વર્ણ શ્વેત હોવાને કારણે તેઓ મહાગૌરી નામે ઓળખાયા... શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે તેમની પૂજા કરવાથી ગ્રહપીડા દૂર થાય અને ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની આરાધના કરે છે તે ભક્ત પર માતાજીની અસીમ કૃપા રહે છે...


કયા મંત્રથી કરવી જોઈએ આરાધના? 

દરેક દેવી દેવતાને સમર્પિત અનેક મંત્રો હોય છે. એ મંત્રોના ઉચ્ચારણથી માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. નવરાત્રી દરમિયાન ચંડીપાઠ શક્ય હોય તો કરવો જોઈએ, અને તેમાં પણ આઠમના દિવસે ચંડીપાઠ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે.. માતા મહાગૌરીના મંત્રની વાત કરીએ તો આ મંત્રથી માતાજીનો જપ કરવો જોઈએ - 


श्वेत वृषे समारूढा श्वेतामबरधरा शुचि|

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा||  

Tantravastu remedies to remove Vastudosha | Sandesh

આ નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ 

આ મંત્રના અર્થની વાત કરીએ તો માતા સફેદ વૃષભ પર સવાર છે, જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. નવરાત્રીના અલગ અલગ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ ભોગ અર્પણ કરવામાં આવે છે. નવરાત્રીના આઠમા નોરતે માતાજી સમક્ષ શ્રીફળ અર્પણ કરવું જોઈએ...      


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.