રાહુલ ગાંધીના દિલ્હીમાં 'હલ્લા બોલ' બાદ આજે ગુજરાતમાં પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:43:09



કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસ આવવાના છે. રાહુલ ગાંધીની બપોરે 12 કલાકે સાબરમતીના રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના 52 હજાર બુથ લેવલના કાર્યકરોને સંબોધશે. બુથના કાર્યકર્તાઓ સાથે સંકલ્પ સંમેલન કાર્યક્રમમાં ચૂંટણી અગાઉની રણનીતિ મામલે ચર્ચા કરશે અને ચૂંટણીની તૈયારીઓ અંગે ચકાસણી કરશે. રાહુલ ગાંધી બપોરે અઢી વાગ્યા રિવરફ્રન્ટથી અમદાવાદની સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ જવા રવાના થશે. ગાંધી આશ્રમ ખાતે રાહુલ ગાંધી બાપુના આશિર્વાદ લેશે અને આશ્રમના લોકોની મુલાકાત લશે. આશ્રમ મુલાકાત બાદ રાહુલ ગાંધી સીધા દિલ્હી જવા રવાના થશે. 


ત્રણ કાળા કાયદા ખેડૂતો માટે નહીં પણ ઉદ્યોગપતિને લાભ પહોંચાડવાઃ રાહુલ ગાંધી

ગઈકાલે જ રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાન ખાતે મોંઘવારી અને બેરોજગારી સહિતના વિવિધ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી. મોંઘવારીના કારણે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે તે સત્ય છે અને તેનાથી મોં ના ફેરવી શકાય. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, ગત આઠ વર્ષમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે, પરંતુ ભાજપ તેને રોકવાને બદલે લોકોમાં ભય અને હિંસા ફેલાવવાનું કામ કરે છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ત્રણ કાળા કાયદા ખેડૂતો માટે નહીં પરંતુ ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે હતા. પરંતુ ખેડૂતોની એકતા અને આંદોલન જોતા કેન્દ્ર સરકારે ત્રણ કાળા કાયદા પાછા ખેંચ્યા હતા.   


કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોતની ગુજરાત મુલાકાત

અશોક ગેહલો પણ ગુજરાત પ્રવાસે છે. અગાઉ અશોક ગેહલોતે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાથી લઈ ગુજરાતના મોટા નેતાઓ સાથે મળીને ચૂંટણીલક્ષી કાર્યક્રમની વિગતો માગી હતી અને ચૂંટણી પહેલા બુથ લેવલના કાર્યક્રમ માટે જરૂર પડતું માર્ગદર્શન કાર્યકર્તાઓને આપ્યું હતું. 


આગામી 7 સપ્ટેમ્બરથી ભારત જોડો કાર્યક્રમ કરશે રાહુલ 

7 સપ્ટેમ્બરથી ભારત જોડો કાર્યક્રમ અંતર્ગત ભારત જોડો યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. 7 સપ્ટેમ્બરે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોંગ્રેસ ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહી છે.   




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .