INDIA Allianceની આજે બેઠક, શિયાળું સત્રનો ઈન્ડિયા ગઠબંધનના સાંસદો કરી શકે છે સંપૂર્ણ બહિષ્કાર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-19 11:10:15

લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધન એક્ટિવ મોડમાં આવ્યું છે. ચૂંટણીને અનુલક્ષીને આજે બેઠક થવાની છે જેમાં સીટોની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવી શકે છે ઉપરાંત સંસદમાં સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોને લઈને પણ ચર્ચા થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. આ બેઠક યોજાય તે પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી કોને બનાવવી તેવી ચર્ચાઓ થઈ શકે છે.  

Assembly Election Result 2023 | india alliances | bjp | congress


હલ્લાબોલને પગલે સાંસદોને કરાયા સસ્પેન્ડ!

સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન સુરક્ષા ચૂક થઈ હતી જેને લઈ વિપક્ષી સાંસદો આક્રામક દેખાઈ રહ્યા છે. સંસદમાં સુરક્ષા ચૂક મામલે અનેક વખત હોબાળો થયો છે જેને કારણે અનેક વખત કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. સત્ર દરમિયાન 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરક્ષા ચૂક મામલે હલ્લાબોલ કરતા સાંસદો વિરૂદ્ધ પગલા લેવામાં આવ્યા છે. એક તરફ સંસદમાંથી વિરોધ પક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો બીજી તરફ આજે ઈન્ડિયા ગઠબંધનની મીટિંગ દિલ્હી ખાતે મળવાની છે. 

શિયાળા સત્રનો ઈન્ડિયા ગઠબંધનના સાંસદો કરી શકે છે બહિષ્કાર! 

દિલ્હી ખાતે મળનારી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચાઓ થઈ શકે છે. ન્યુઝ એએનઆઈ પ્રમાણે આ બેઠકમાં ઈન્ડિયા એલાયન્સમાં સામેલ પાર્ટીઓ બાકી રહેલા શિયાળા સત્રનો બહિષ્કાર પણ કરી શકે છે. આ અંગેનો નિર્ણય આજે લેવામાં આવી શકે છે. આ બેઠકમાં સીટો ફાળવણી અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. મહત્વનું છે કે આ બેઠક થોડા દિવસો પહેલા યોજાવાની હતી પરંતુ તેને કેન્સલ રાખવામાં આવી. રદ્દ કરવામાં આવેલી બેઠક 19 ડિસેમ્બરે યોજાશે તેવી જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે મળનારી બેઠકમાં શું રણનીતિ ઘડવામાં આવે છે અને કેવા નિર્ણય લેવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે