આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે ફૂંકાશે બ્યુગલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-28 14:28:05

આજે ગુજરાતમાં બપોરે ૩ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યનું ચૂંટણી પંચ તે માટે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ યોજશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં એટલે વિલંબ થયો કેમ કે , પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીમાં વિલંબના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી . જોકે હવે માર્ગ મોકળો થતા ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે. 

UP gram panchayat election 2021: Rotational formula introduced for  reservation | Latest News India - Hindustan Times

ગુજરાતમાં  ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે એક તરફ આવતા મહિને જૂનના છેલ્લા સપ્તાહમાં કડી અને વિસાવદરની બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે હવે આજે રાજ્યમાં ૮૨૪૦ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે. આજે બપોરે ૩ વાગ્યે તારીખોનું એલાન થાય તેવી શક્યતા છે સાથે જ રાજ્ય ચૂંટણીપંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વિડિઓ કોન્ફરન્સથી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. હવે એ જાણીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? તેનું કારણ એ છે કે , ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત ૧૦ ટકાથી વધારી ૨૭ ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી . આ માટે ગુજરાત સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો . આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહિ થતા ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. 

Shiv Sena Ahead In Maharashtra's Gram Panchayat Polls

આ માટે થોડાક સમય પેહલા જ  રાજ્ય ચૂંટણીપંચે કલેકટરોને પત્ર લખી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રેહવા માટે આદેશ આપી દીધો હતો . આ માટે જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોંગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણીપંચે બેલેટપેપર છપાવવા પ્રિટિંગ પ્રેસ નક્કી કરવા , ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવા જણાવવામાં આવ્યું છે . કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી - મદદનીશ ચૂંટણી અધિકારી - કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયું છે. વાત કરીએ પેટાચૂંટણીની , તો , કડી અને વિસાવદરની પેટાચૂંટણી માટે ગુરુવારે ગાંધીનગરમાં ભાજપની સંસદીય દળની બેઠક મળશે . સાથેજ કોંગ્રેસે પોતાના નિરીક્ષકો ઉમેદવારો નક્કી કરવા માટે ફિલ્ડમાં ઉતારી ચુકી છે . તો આ બાજુ વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ૩૧ તારીખે ઉમેદવારી પત્ર ભરી શકે છે. કોંગ્રેસ અને ભાજપ શુક્રવાર સુધીમાં પોતપોતાના હાઈ કમાન્ડને સંભવિત ઉમેદવારોના નામની પેનલ મોકલશે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.