આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે ફૂંકાશે બ્યુગલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-28 14:28:05

આજે ગુજરાતમાં બપોરે ૩ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યનું ચૂંટણી પંચ તે માટે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ યોજશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં એટલે વિલંબ થયો કેમ કે , પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીમાં વિલંબના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી . જોકે હવે માર્ગ મોકળો થતા ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે. 

UP gram panchayat election 2021: Rotational formula introduced for  reservation | Latest News India - Hindustan Times

ગુજરાતમાં  ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે એક તરફ આવતા મહિને જૂનના છેલ્લા સપ્તાહમાં કડી અને વિસાવદરની બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે હવે આજે રાજ્યમાં ૮૨૪૦ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે. આજે બપોરે ૩ વાગ્યે તારીખોનું એલાન થાય તેવી શક્યતા છે સાથે જ રાજ્ય ચૂંટણીપંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વિડિઓ કોન્ફરન્સથી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. હવે એ જાણીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? તેનું કારણ એ છે કે , ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત ૧૦ ટકાથી વધારી ૨૭ ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી . આ માટે ગુજરાત સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો . આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહિ થતા ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. 

Shiv Sena Ahead In Maharashtra's Gram Panchayat Polls

આ માટે થોડાક સમય પેહલા જ  રાજ્ય ચૂંટણીપંચે કલેકટરોને પત્ર લખી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રેહવા માટે આદેશ આપી દીધો હતો . આ માટે જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોંગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણીપંચે બેલેટપેપર છપાવવા પ્રિટિંગ પ્રેસ નક્કી કરવા , ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવા જણાવવામાં આવ્યું છે . કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી - મદદનીશ ચૂંટણી અધિકારી - કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયું છે. વાત કરીએ પેટાચૂંટણીની , તો , કડી અને વિસાવદરની પેટાચૂંટણી માટે ગુરુવારે ગાંધીનગરમાં ભાજપની સંસદીય દળની બેઠક મળશે . સાથેજ કોંગ્રેસે પોતાના નિરીક્ષકો ઉમેદવારો નક્કી કરવા માટે ફિલ્ડમાં ઉતારી ચુકી છે . તો આ બાજુ વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ૩૧ તારીખે ઉમેદવારી પત્ર ભરી શકે છે. કોંગ્રેસ અને ભાજપ શુક્રવાર સુધીમાં પોતપોતાના હાઈ કમાન્ડને સંભવિત ઉમેદવારોના નામની પેનલ મોકલશે. 




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.