આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે ફૂંકાશે બ્યુગલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-28 14:28:05

આજે ગુજરાતમાં બપોરે ૩ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યનું ચૂંટણી પંચ તે માટે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ યોજશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં એટલે વિલંબ થયો કેમ કે , પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીમાં વિલંબના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી . જોકે હવે માર્ગ મોકળો થતા ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે. 

UP gram panchayat election 2021: Rotational formula introduced for  reservation | Latest News India - Hindustan Times

ગુજરાતમાં  ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે એક તરફ આવતા મહિને જૂનના છેલ્લા સપ્તાહમાં કડી અને વિસાવદરની બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે હવે આજે રાજ્યમાં ૮૨૪૦ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે. આજે બપોરે ૩ વાગ્યે તારીખોનું એલાન થાય તેવી શક્યતા છે સાથે જ રાજ્ય ચૂંટણીપંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વિડિઓ કોન્ફરન્સથી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. હવે એ જાણીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? તેનું કારણ એ છે કે , ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત ૧૦ ટકાથી વધારી ૨૭ ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી . આ માટે ગુજરાત સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો . આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહિ થતા ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. 

Shiv Sena Ahead In Maharashtra's Gram Panchayat Polls

આ માટે થોડાક સમય પેહલા જ  રાજ્ય ચૂંટણીપંચે કલેકટરોને પત્ર લખી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રેહવા માટે આદેશ આપી દીધો હતો . આ માટે જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોંગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણીપંચે બેલેટપેપર છપાવવા પ્રિટિંગ પ્રેસ નક્કી કરવા , ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવા જણાવવામાં આવ્યું છે . કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી - મદદનીશ ચૂંટણી અધિકારી - કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયું છે. વાત કરીએ પેટાચૂંટણીની , તો , કડી અને વિસાવદરની પેટાચૂંટણી માટે ગુરુવારે ગાંધીનગરમાં ભાજપની સંસદીય દળની બેઠક મળશે . સાથેજ કોંગ્રેસે પોતાના નિરીક્ષકો ઉમેદવારો નક્કી કરવા માટે ફિલ્ડમાં ઉતારી ચુકી છે . તો આ બાજુ વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ૩૧ તારીખે ઉમેદવારી પત્ર ભરી શકે છે. કોંગ્રેસ અને ભાજપ શુક્રવાર સુધીમાં પોતપોતાના હાઈ કમાન્ડને સંભવિત ઉમેદવારોના નામની પેનલ મોકલશે. 




ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.