આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે ફૂંકાશે બ્યુગલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-28 14:28:05

આજે ગુજરાતમાં બપોરે ૩ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યનું ચૂંટણી પંચ તે માટે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ યોજશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં એટલે વિલંબ થયો કેમ કે , પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીમાં વિલંબના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી . જોકે હવે માર્ગ મોકળો થતા ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે. 

UP gram panchayat election 2021: Rotational formula introduced for  reservation | Latest News India - Hindustan Times

ગુજરાતમાં  ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે એક તરફ આવતા મહિને જૂનના છેલ્લા સપ્તાહમાં કડી અને વિસાવદરની બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે હવે આજે રાજ્યમાં ૮૨૪૦ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે. આજે બપોરે ૩ વાગ્યે તારીખોનું એલાન થાય તેવી શક્યતા છે સાથે જ રાજ્ય ચૂંટણીપંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વિડિઓ કોન્ફરન્સથી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. હવે એ જાણીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? તેનું કારણ એ છે કે , ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત ૧૦ ટકાથી વધારી ૨૭ ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી . આ માટે ગુજરાત સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો . આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહિ થતા ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. 

Shiv Sena Ahead In Maharashtra's Gram Panchayat Polls

આ માટે થોડાક સમય પેહલા જ  રાજ્ય ચૂંટણીપંચે કલેકટરોને પત્ર લખી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રેહવા માટે આદેશ આપી દીધો હતો . આ માટે જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોંગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણીપંચે બેલેટપેપર છપાવવા પ્રિટિંગ પ્રેસ નક્કી કરવા , ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવા જણાવવામાં આવ્યું છે . કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી - મદદનીશ ચૂંટણી અધિકારી - કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયું છે. વાત કરીએ પેટાચૂંટણીની , તો , કડી અને વિસાવદરની પેટાચૂંટણી માટે ગુરુવારે ગાંધીનગરમાં ભાજપની સંસદીય દળની બેઠક મળશે . સાથેજ કોંગ્રેસે પોતાના નિરીક્ષકો ઉમેદવારો નક્કી કરવા માટે ફિલ્ડમાં ઉતારી ચુકી છે . તો આ બાજુ વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ૩૧ તારીખે ઉમેદવારી પત્ર ભરી શકે છે. કોંગ્રેસ અને ભાજપ શુક્રવાર સુધીમાં પોતપોતાના હાઈ કમાન્ડને સંભવિત ઉમેદવારોના નામની પેનલ મોકલશે. 




ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .