આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો, કોણ કોને ભારે પડશે, શું છે ભારત સામેના પડકારો? જાણો


  • Published By :
  • Published Date : 2023-11-19 14:59:45

ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ ફાઈનલ મેચ માટે 140 કરોડ લોકોની પ્રાર્થના ટીમ ઈન્ડિયા સાથે છે, જ્યારે અમદાવાદમાં 1 લાખ 32 હજારથી વધુ ફેન્સ પણ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારશે. સતત 10 મેચ જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા પૂરા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.


પ્લેઈંગ ઈલેવનમાં નથી કોઈ ફેરફાર


ભારતીય ટીમ સતત 10 મેચ જીતીને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી છે. ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એવા ઘણા ઓછા પ્રસંગો બન્યા છે જ્યારે કોઈ પણ ટીમે ભારતીય ટીમને જોરદાર ટક્કર આપી હોય. પરંતુ એવું નથી કે ભારતીય ટીમ સામે કોઈ સમસ્યા નથી. ટીમમાં હજુ પણ ઘણી સમસ્યાઓ છે. જેના કારણે ફાઈનલ મેચમાં ટીમ માટે ખતરો ઉભો થઈ શકે છે. ચાલો અમે તેમને તેના વિશે જણાવીએ.


માત્ર 5 બોલિંગ વિકલ્પો


બોલિંગ ભારતીય ટીમની સૌથી મોટી તાકાત છે પરંતુ તે નબળાઈ પણ બની શકે છે. ટીમમાં બોલિંગના માત્ર 5 વિકલ્પ છે. વિરાટ, રોહિત, સૂર્યા અને ગિલે નેધરલેન્ડ સામે બોલિંગ કરી હતી પરંતુ તેઓ દબાણ ઉભી કરનારી  મેચોમાં બોલિંગ કરી શકતા નથી. જો કોઈ એક બોલર નિષ્ફળ જશે તો ભારતને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

 

મિડલ ઓર્ડર ઉણો ઉતરી શકે


કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે ઘણા રન બનાવ્યા છે. પરંતુ ભારતને દરેક મેચમાં સારી શરૂઆત મળી છે. વિરાટ કોહલી કે રોહિત શર્માએ ભારત માટે દરેક મેચમાં અડધી સદી ફટકારી છે. જો બંને વહેલા આઉટ થઈ જાય તો ટીમ ઈન્ડિયા કેવી રીતે દબાણને હેન્ડલ કરશે તે જોવું રહ્યું.


નીચલા ક્રમમાં વિશ્વાસ નથી


ભારતીય ટીમમાં માત્ર એક જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છે. જાડેજા પછી આવેલા કુલદીપ, બુમરાહ, સિરાજ અને શમી પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. જો તે માત્ર વિકેટ બચાવે તો તે પણ પૂરતું છે. આ જ કારણે ભારતીય ટીમ માત્ર 7 બેટ્સમેનો પર જ આધાર રાખીને મેદાનમાં ઉતરે છે.


બંને ટીમો શાનદાર ફોર્મમાં છે


ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની શરૂઆતમાં સતત બે મેચ હારી ગયું હતું. પરંતુ ત્યારબાદ તેણે સતત 8 મેચ જીતી હતી. ભારતે પણ સતત 10 મેચ જીતી છે. આવી સ્થિતિમાં બંને ટીમો લયમાં છે અને આવી સ્થિતિમાં જોરદાર સ્પર્ધા જોવા મળશે.



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.