આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો, કોણ કોને ભારે પડશે, શું છે ભારત સામેના પડકારો? જાણો


  • Published By :
  • Published Date : 2023-11-19 14:59:45

ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ ફાઈનલ મેચ માટે 140 કરોડ લોકોની પ્રાર્થના ટીમ ઈન્ડિયા સાથે છે, જ્યારે અમદાવાદમાં 1 લાખ 32 હજારથી વધુ ફેન્સ પણ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારશે. સતત 10 મેચ જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા પૂરા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.


પ્લેઈંગ ઈલેવનમાં નથી કોઈ ફેરફાર


ભારતીય ટીમ સતત 10 મેચ જીતીને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી છે. ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એવા ઘણા ઓછા પ્રસંગો બન્યા છે જ્યારે કોઈ પણ ટીમે ભારતીય ટીમને જોરદાર ટક્કર આપી હોય. પરંતુ એવું નથી કે ભારતીય ટીમ સામે કોઈ સમસ્યા નથી. ટીમમાં હજુ પણ ઘણી સમસ્યાઓ છે. જેના કારણે ફાઈનલ મેચમાં ટીમ માટે ખતરો ઉભો થઈ શકે છે. ચાલો અમે તેમને તેના વિશે જણાવીએ.


માત્ર 5 બોલિંગ વિકલ્પો


બોલિંગ ભારતીય ટીમની સૌથી મોટી તાકાત છે પરંતુ તે નબળાઈ પણ બની શકે છે. ટીમમાં બોલિંગના માત્ર 5 વિકલ્પ છે. વિરાટ, રોહિત, સૂર્યા અને ગિલે નેધરલેન્ડ સામે બોલિંગ કરી હતી પરંતુ તેઓ દબાણ ઉભી કરનારી  મેચોમાં બોલિંગ કરી શકતા નથી. જો કોઈ એક બોલર નિષ્ફળ જશે તો ભારતને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

 

મિડલ ઓર્ડર ઉણો ઉતરી શકે


કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે ઘણા રન બનાવ્યા છે. પરંતુ ભારતને દરેક મેચમાં સારી શરૂઆત મળી છે. વિરાટ કોહલી કે રોહિત શર્માએ ભારત માટે દરેક મેચમાં અડધી સદી ફટકારી છે. જો બંને વહેલા આઉટ થઈ જાય તો ટીમ ઈન્ડિયા કેવી રીતે દબાણને હેન્ડલ કરશે તે જોવું રહ્યું.


નીચલા ક્રમમાં વિશ્વાસ નથી


ભારતીય ટીમમાં માત્ર એક જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છે. જાડેજા પછી આવેલા કુલદીપ, બુમરાહ, સિરાજ અને શમી પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. જો તે માત્ર વિકેટ બચાવે તો તે પણ પૂરતું છે. આ જ કારણે ભારતીય ટીમ માત્ર 7 બેટ્સમેનો પર જ આધાર રાખીને મેદાનમાં ઉતરે છે.


બંને ટીમો શાનદાર ફોર્મમાં છે


ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની શરૂઆતમાં સતત બે મેચ હારી ગયું હતું. પરંતુ ત્યારબાદ તેણે સતત 8 મેચ જીતી હતી. ભારતે પણ સતત 10 મેચ જીતી છે. આવી સ્થિતિમાં બંને ટીમો લયમાં છે અને આવી સ્થિતિમાં જોરદાર સ્પર્ધા જોવા મળશે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.