આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો, કોણ કોને ભારે પડશે, શું છે ભારત સામેના પડકારો? જાણો


  • Published By :
  • Published Date : 2023-11-19 14:59:45

ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ ફાઈનલ મેચ માટે 140 કરોડ લોકોની પ્રાર્થના ટીમ ઈન્ડિયા સાથે છે, જ્યારે અમદાવાદમાં 1 લાખ 32 હજારથી વધુ ફેન્સ પણ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારશે. સતત 10 મેચ જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા પૂરા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.


પ્લેઈંગ ઈલેવનમાં નથી કોઈ ફેરફાર


ભારતીય ટીમ સતત 10 મેચ જીતીને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી છે. ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એવા ઘણા ઓછા પ્રસંગો બન્યા છે જ્યારે કોઈ પણ ટીમે ભારતીય ટીમને જોરદાર ટક્કર આપી હોય. પરંતુ એવું નથી કે ભારતીય ટીમ સામે કોઈ સમસ્યા નથી. ટીમમાં હજુ પણ ઘણી સમસ્યાઓ છે. જેના કારણે ફાઈનલ મેચમાં ટીમ માટે ખતરો ઉભો થઈ શકે છે. ચાલો અમે તેમને તેના વિશે જણાવીએ.


માત્ર 5 બોલિંગ વિકલ્પો


બોલિંગ ભારતીય ટીમની સૌથી મોટી તાકાત છે પરંતુ તે નબળાઈ પણ બની શકે છે. ટીમમાં બોલિંગના માત્ર 5 વિકલ્પ છે. વિરાટ, રોહિત, સૂર્યા અને ગિલે નેધરલેન્ડ સામે બોલિંગ કરી હતી પરંતુ તેઓ દબાણ ઉભી કરનારી  મેચોમાં બોલિંગ કરી શકતા નથી. જો કોઈ એક બોલર નિષ્ફળ જશે તો ભારતને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

 

મિડલ ઓર્ડર ઉણો ઉતરી શકે


કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે ઘણા રન બનાવ્યા છે. પરંતુ ભારતને દરેક મેચમાં સારી શરૂઆત મળી છે. વિરાટ કોહલી કે રોહિત શર્માએ ભારત માટે દરેક મેચમાં અડધી સદી ફટકારી છે. જો બંને વહેલા આઉટ થઈ જાય તો ટીમ ઈન્ડિયા કેવી રીતે દબાણને હેન્ડલ કરશે તે જોવું રહ્યું.


નીચલા ક્રમમાં વિશ્વાસ નથી


ભારતીય ટીમમાં માત્ર એક જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છે. જાડેજા પછી આવેલા કુલદીપ, બુમરાહ, સિરાજ અને શમી પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. જો તે માત્ર વિકેટ બચાવે તો તે પણ પૂરતું છે. આ જ કારણે ભારતીય ટીમ માત્ર 7 બેટ્સમેનો પર જ આધાર રાખીને મેદાનમાં ઉતરે છે.


બંને ટીમો શાનદાર ફોર્મમાં છે


ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની શરૂઆતમાં સતત બે મેચ હારી ગયું હતું. પરંતુ ત્યારબાદ તેણે સતત 8 મેચ જીતી હતી. ભારતે પણ સતત 10 મેચ જીતી છે. આવી સ્થિતિમાં બંને ટીમો લયમાં છે અને આવી સ્થિતિમાં જોરદાર સ્પર્ધા જોવા મળશે.



એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.