શેરબજારમાં બોલાયો કડાકો, સેન્સેક્સ 1628 પોઈન્ટ જ્યારે નિફ્ટી 460 પોઈન્ટ તૂટ્યો, રૂ. 4.7 લાખ કરોડ સ્વાહા


  • Published By :
  • Published Date : 2024-01-17 18:08:11

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. એશિયન બજારોના નબળા વલણ અને બેંક શેરોમાં ભારે વેચવાલીથી શેરબજારમાં સવારથી જ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 1,371.23 પોઈન્ટ ઘટીને 71,757.54 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 395.35 પોઈન્ટના ઘટાડા સાથે 21,636.95 પર ટ્રેડ કરી રહ્યો હતો.


આ શેર્સ છે ટોપ ગેનર અને લુઝર્સ 


આજના શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ભારતી એરટેલ, ઈન્ફોસિસ, નેસ્લે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, આઈટીસી નિફ્ટીના શેરો ટોપ ગેઇનર્સમાં સામેલ રહ્યા હતા, જ્યારે HDFC બેન્ક, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક અને બજાજ ઓટોને ભારે નુકસાન સહન કરવું પડ્યું થયું હતું.  


આ કારણે શેર માર્કેટમાં થયો કડાકો


શેરબજારમાં આજે આવેલા આ કડાકાનું મુખ્ય કારણ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેની તંગદીલી છે. બંને દેશો વચ્ચેના સંબંધો વણસવાની અસર શેરબજાર પર જોવા મળી હતી. ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ પાકિસ્તાને ઈરાન પર તેના એરસ્પેસના ઉલ્લંઘનનો આરોપ લગાવી તેના આ કૃત્યની આકરી નિંદા કરી છે અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. જેની અસર શેરબજાર પર જોવા મળી રહી હતી.


રોકાણકારોને રૂ. 4.7 લાખ કરોડનું નુકસાન  


બીએસઈ માર્કેટ કેપ અનુસાર, છેલ્લા સત્ર દરમિયાન રોકાણકારોની સંપત્તિ રૂ. 374.95 લાખ કરોડ નોંધાઈ હતી. બુધવારે તે રૂ. 4.69 લાખ કરોડ ઘટીને રૂ. 370.25 લાખ કરોડ થયો હતો.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે