શેરબજારમાં બોલાયો કડાકો, સેન્સેક્સ 1628 પોઈન્ટ જ્યારે નિફ્ટી 460 પોઈન્ટ તૂટ્યો, રૂ. 4.7 લાખ કરોડ સ્વાહા


  • Published By :
  • Published Date : 2024-01-17 18:08:11

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. એશિયન બજારોના નબળા વલણ અને બેંક શેરોમાં ભારે વેચવાલીથી શેરબજારમાં સવારથી જ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 1,371.23 પોઈન્ટ ઘટીને 71,757.54 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 395.35 પોઈન્ટના ઘટાડા સાથે 21,636.95 પર ટ્રેડ કરી રહ્યો હતો.


આ શેર્સ છે ટોપ ગેનર અને લુઝર્સ 


આજના શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ભારતી એરટેલ, ઈન્ફોસિસ, નેસ્લે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, આઈટીસી નિફ્ટીના શેરો ટોપ ગેઇનર્સમાં સામેલ રહ્યા હતા, જ્યારે HDFC બેન્ક, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક અને બજાજ ઓટોને ભારે નુકસાન સહન કરવું પડ્યું થયું હતું.  


આ કારણે શેર માર્કેટમાં થયો કડાકો


શેરબજારમાં આજે આવેલા આ કડાકાનું મુખ્ય કારણ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેની તંગદીલી છે. બંને દેશો વચ્ચેના સંબંધો વણસવાની અસર શેરબજાર પર જોવા મળી હતી. ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ પાકિસ્તાને ઈરાન પર તેના એરસ્પેસના ઉલ્લંઘનનો આરોપ લગાવી તેના આ કૃત્યની આકરી નિંદા કરી છે અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. જેની અસર શેરબજાર પર જોવા મળી રહી હતી.


રોકાણકારોને રૂ. 4.7 લાખ કરોડનું નુકસાન  


બીએસઈ માર્કેટ કેપ અનુસાર, છેલ્લા સત્ર દરમિયાન રોકાણકારોની સંપત્તિ રૂ. 374.95 લાખ કરોડ નોંધાઈ હતી. બુધવારે તે રૂ. 4.69 લાખ કરોડ ઘટીને રૂ. 370.25 લાખ કરોડ થયો હતો.




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.