શેરબજારમાં બોલાયો કડાકો, સેન્સેક્સ 1628 પોઈન્ટ જ્યારે નિફ્ટી 460 પોઈન્ટ તૂટ્યો, રૂ. 4.7 લાખ કરોડ સ્વાહા


  • Published By :
  • Published Date : 2024-01-17 18:08:11

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. એશિયન બજારોના નબળા વલણ અને બેંક શેરોમાં ભારે વેચવાલીથી શેરબજારમાં સવારથી જ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 1,371.23 પોઈન્ટ ઘટીને 71,757.54 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 395.35 પોઈન્ટના ઘટાડા સાથે 21,636.95 પર ટ્રેડ કરી રહ્યો હતો.


આ શેર્સ છે ટોપ ગેનર અને લુઝર્સ 


આજના શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ભારતી એરટેલ, ઈન્ફોસિસ, નેસ્લે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, આઈટીસી નિફ્ટીના શેરો ટોપ ગેઇનર્સમાં સામેલ રહ્યા હતા, જ્યારે HDFC બેન્ક, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક અને બજાજ ઓટોને ભારે નુકસાન સહન કરવું પડ્યું થયું હતું.  


આ કારણે શેર માર્કેટમાં થયો કડાકો


શેરબજારમાં આજે આવેલા આ કડાકાનું મુખ્ય કારણ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેની તંગદીલી છે. બંને દેશો વચ્ચેના સંબંધો વણસવાની અસર શેરબજાર પર જોવા મળી હતી. ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ પાકિસ્તાને ઈરાન પર તેના એરસ્પેસના ઉલ્લંઘનનો આરોપ લગાવી તેના આ કૃત્યની આકરી નિંદા કરી છે અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. જેની અસર શેરબજાર પર જોવા મળી રહી હતી.


રોકાણકારોને રૂ. 4.7 લાખ કરોડનું નુકસાન  


બીએસઈ માર્કેટ કેપ અનુસાર, છેલ્લા સત્ર દરમિયાન રોકાણકારોની સંપત્તિ રૂ. 374.95 લાખ કરોડ નોંધાઈ હતી. બુધવારે તે રૂ. 4.69 લાખ કરોડ ઘટીને રૂ. 370.25 લાખ કરોડ થયો હતો.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.