વાત Gujaratની એક એવી શાળાની જ્યાં વિદ્યાર્થીઓ ગુરૂની ફરજ નિભાવે છે! 222 બાળકો વચ્ચે માત્ર 1 જ કાયમી શિક્ષક, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-21 17:05:17

પહેલાના જમાનામાં આપણે ત્યાં ગુરૂકુલ પરંપરા ચાલતી હતી. મતલબ કે સિનિયર વિદ્યાર્થીઓ જૂનિયર વિદ્યાર્થીઓને ભણાવે. આ વર્ષો પહેલાની વાત હતી. હવે જમાનો બદલાયો છે. પરંતુ આજે પણ અનેક એવી શાળાઓ છે જ્યાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની પોતાના પાછલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવે છે. અમે વાત કરી રહ્યા છીએ વલસાડ જિલ્લામાં સરકારી અનુદાનથી ધરમપુર જિલ્લામાં આદિવાસી યુવક મંડળ દ્વારા આસુરાની આશ્રમ શાળાની જ્યાં વિદ્યાર્થીઓ પોતે જ શિક્ષક બની ભણાવે છે.       

આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ જ બન્યા ગુરુ  

જ્યારે એવું લાગવા લાગે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે મંત્રીઓ અને બાબુઓ કામગીરી કરી રહ્યા છે બધુ સારુ છે એવો આભાસ કરાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય ત્યારે વિધાનસભામાં શિક્ષણની વ્યવસ્થાની પરિસ્થિતિ પૂછી લેવામાં આવે છે અને ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી જાય છે. વલસાડની એક શાળામાં પણ એવું જ થયું છે આસુરાની આશ્રમ શાળામાં શિક્ષકો નથી તો પહેલા ધોરણથી ત્રીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેનાથી મોટા વિદ્યાર્થીઓને જ શિક્ષક બનાવી દીધા છે અને વિદ્યાર્થીઓ જ નાના ભૂલકાઓને ભણાવી રહ્યા છે. 


ધોરણ 4-5ના વિદ્યાર્થીઓ ભણાવે છે ધો.3 સુધીના વિદ્યાર્થીઓને 

વલસાડ જિલ્લામાં સરકારી અનુદાનથી ધરમપુર જિલ્લામાં આદિવાસી યુવક મંડળ દ્વારા આસુરાની આશ્રમ શાળા ચાલે છે. આ શાળાની સ્થિતિ એટલી ખરાબ છે કે વાત ન પૂછો. આસુરા આશ્રમ શાળામાં ધોરણ 1થી ધોરણ 10માં 222 છોકરાઓ ભણે છે. અને એ બધાને ભણાવવા માટે સરકાર પાસે એક જ કાયમી શિક્ષક છે જે બધા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. જો કે તેમના સિવાય પણ બીજી પણ બે યુવતીઓ ભણાવવા આવે છે પણ એ ઈન્ટર્નશીપ પર આવે છે શિક્ષક નથી. ધોરણ 1થી 3ને ચોથા ધોરણના અને પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ ભણાવી રહ્યા છે. 

આત્મનિર્ભર ભારતના સૂત્રને વિદ્યાર્થીઓએ ગંભીરતાથી લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના સમયમાં એક સૂત્ર આપ્યું હતું આત્મનિર્ભર ભારત, એ જ આત્મનિર્ભર ભારતને આ શાળા દ્વારા ખૂબ ગંભીર રીતે લેવામાં આવ્યું છે. એટલે અહીં બાળકો જ શિક્ષક છે. આમાં શાળામાં રહેલા કાયમી આચાર્યા પણ શું કરે તેના પર કામનો ભારણ જ એટલો છે કે તે જો આવી રીતે ગોઠવણ ન કરે તો શાળાનું પરિણામ આવે અને જો શાળાનું પરિણામ નકારાત્મક આવે તો શિક્ષણ વિભાગ પછી શિક્ષકોનો કાઠલો પકડે. 


શાળામાં શિક્ષકોને નથી મૂકવામાં આવ્યા 

એવું નથી કે શાળામાં શિક્ષકો નથી મૂકાયા. હમણા ત્રણ મહિના પહેલા જ શિક્ષકો મૂકી દેવામાં આવ્યા છે પણ એ જે શિક્ષકો મૂકાયા એની નિમણૂક તો હજુ બાકી બોલે છે તો શિક્ષકો નિમણૂક વગર તો કેમ ભણાવે. સરકાર કે તંત્ર તો શિક્ષકોને વ્યવસ્થા પૂરવાર નથી પાડતી તો શિક્ષકો પછી પોતાની રીતે બાળકોને બીજી શાળામાં ભણાવવા મજબૂર બની રહ્યા છે. 


શાળાની પરિસ્થિતિ અંગે શિક્ષણ વિભાગને થવી જોઈએ જાણ

આ શાળાની પરિસ્થિતિ શિક્ષણ વિભાગને ખબર પડવી જોઈએ અને એના પર કડક પગલા લેવાવા જોઈએ કારણ કે આ ગુજરાત છે અહીં રસ્તા પર ખાડો હશે તો લોકો ચલાવી લેશે પણ જો ભવિષ્યની પેઢી સાથે આવું થશે તો આખી એક પેઢી બોગસ ઉભી થશે. પગલાની આશા રહેશે



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી