વાત Gujaratની એક એવી શાળાની જ્યાં વિદ્યાર્થીઓ ગુરૂની ફરજ નિભાવે છે! 222 બાળકો વચ્ચે માત્ર 1 જ કાયમી શિક્ષક, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-21 17:05:17

પહેલાના જમાનામાં આપણે ત્યાં ગુરૂકુલ પરંપરા ચાલતી હતી. મતલબ કે સિનિયર વિદ્યાર્થીઓ જૂનિયર વિદ્યાર્થીઓને ભણાવે. આ વર્ષો પહેલાની વાત હતી. હવે જમાનો બદલાયો છે. પરંતુ આજે પણ અનેક એવી શાળાઓ છે જ્યાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની પોતાના પાછલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવે છે. અમે વાત કરી રહ્યા છીએ વલસાડ જિલ્લામાં સરકારી અનુદાનથી ધરમપુર જિલ્લામાં આદિવાસી યુવક મંડળ દ્વારા આસુરાની આશ્રમ શાળાની જ્યાં વિદ્યાર્થીઓ પોતે જ શિક્ષક બની ભણાવે છે.       

આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ જ બન્યા ગુરુ  

જ્યારે એવું લાગવા લાગે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે મંત્રીઓ અને બાબુઓ કામગીરી કરી રહ્યા છે બધુ સારુ છે એવો આભાસ કરાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય ત્યારે વિધાનસભામાં શિક્ષણની વ્યવસ્થાની પરિસ્થિતિ પૂછી લેવામાં આવે છે અને ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી જાય છે. વલસાડની એક શાળામાં પણ એવું જ થયું છે આસુરાની આશ્રમ શાળામાં શિક્ષકો નથી તો પહેલા ધોરણથી ત્રીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેનાથી મોટા વિદ્યાર્થીઓને જ શિક્ષક બનાવી દીધા છે અને વિદ્યાર્થીઓ જ નાના ભૂલકાઓને ભણાવી રહ્યા છે. 


ધોરણ 4-5ના વિદ્યાર્થીઓ ભણાવે છે ધો.3 સુધીના વિદ્યાર્થીઓને 

વલસાડ જિલ્લામાં સરકારી અનુદાનથી ધરમપુર જિલ્લામાં આદિવાસી યુવક મંડળ દ્વારા આસુરાની આશ્રમ શાળા ચાલે છે. આ શાળાની સ્થિતિ એટલી ખરાબ છે કે વાત ન પૂછો. આસુરા આશ્રમ શાળામાં ધોરણ 1થી ધોરણ 10માં 222 છોકરાઓ ભણે છે. અને એ બધાને ભણાવવા માટે સરકાર પાસે એક જ કાયમી શિક્ષક છે જે બધા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. જો કે તેમના સિવાય પણ બીજી પણ બે યુવતીઓ ભણાવવા આવે છે પણ એ ઈન્ટર્નશીપ પર આવે છે શિક્ષક નથી. ધોરણ 1થી 3ને ચોથા ધોરણના અને પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ ભણાવી રહ્યા છે. 

આત્મનિર્ભર ભારતના સૂત્રને વિદ્યાર્થીઓએ ગંભીરતાથી લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના સમયમાં એક સૂત્ર આપ્યું હતું આત્મનિર્ભર ભારત, એ જ આત્મનિર્ભર ભારતને આ શાળા દ્વારા ખૂબ ગંભીર રીતે લેવામાં આવ્યું છે. એટલે અહીં બાળકો જ શિક્ષક છે. આમાં શાળામાં રહેલા કાયમી આચાર્યા પણ શું કરે તેના પર કામનો ભારણ જ એટલો છે કે તે જો આવી રીતે ગોઠવણ ન કરે તો શાળાનું પરિણામ આવે અને જો શાળાનું પરિણામ નકારાત્મક આવે તો શિક્ષણ વિભાગ પછી શિક્ષકોનો કાઠલો પકડે. 


શાળામાં શિક્ષકોને નથી મૂકવામાં આવ્યા 

એવું નથી કે શાળામાં શિક્ષકો નથી મૂકાયા. હમણા ત્રણ મહિના પહેલા જ શિક્ષકો મૂકી દેવામાં આવ્યા છે પણ એ જે શિક્ષકો મૂકાયા એની નિમણૂક તો હજુ બાકી બોલે છે તો શિક્ષકો નિમણૂક વગર તો કેમ ભણાવે. સરકાર કે તંત્ર તો શિક્ષકોને વ્યવસ્થા પૂરવાર નથી પાડતી તો શિક્ષકો પછી પોતાની રીતે બાળકોને બીજી શાળામાં ભણાવવા મજબૂર બની રહ્યા છે. 


શાળાની પરિસ્થિતિ અંગે શિક્ષણ વિભાગને થવી જોઈએ જાણ

આ શાળાની પરિસ્થિતિ શિક્ષણ વિભાગને ખબર પડવી જોઈએ અને એના પર કડક પગલા લેવાવા જોઈએ કારણ કે આ ગુજરાત છે અહીં રસ્તા પર ખાડો હશે તો લોકો ચલાવી લેશે પણ જો ભવિષ્યની પેઢી સાથે આવું થશે તો આખી એક પેઢી બોગસ ઉભી થશે. પગલાની આશા રહેશે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.