વાત Gujaratની એક એવી શાળાની જ્યાં વિદ્યાર્થીઓ ગુરૂની ફરજ નિભાવે છે! 222 બાળકો વચ્ચે માત્ર 1 જ કાયમી શિક્ષક, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-21 17:05:17

પહેલાના જમાનામાં આપણે ત્યાં ગુરૂકુલ પરંપરા ચાલતી હતી. મતલબ કે સિનિયર વિદ્યાર્થીઓ જૂનિયર વિદ્યાર્થીઓને ભણાવે. આ વર્ષો પહેલાની વાત હતી. હવે જમાનો બદલાયો છે. પરંતુ આજે પણ અનેક એવી શાળાઓ છે જ્યાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની પોતાના પાછલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવે છે. અમે વાત કરી રહ્યા છીએ વલસાડ જિલ્લામાં સરકારી અનુદાનથી ધરમપુર જિલ્લામાં આદિવાસી યુવક મંડળ દ્વારા આસુરાની આશ્રમ શાળાની જ્યાં વિદ્યાર્થીઓ પોતે જ શિક્ષક બની ભણાવે છે.       

આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ જ બન્યા ગુરુ  

જ્યારે એવું લાગવા લાગે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે મંત્રીઓ અને બાબુઓ કામગીરી કરી રહ્યા છે બધુ સારુ છે એવો આભાસ કરાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય ત્યારે વિધાનસભામાં શિક્ષણની વ્યવસ્થાની પરિસ્થિતિ પૂછી લેવામાં આવે છે અને ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી જાય છે. વલસાડની એક શાળામાં પણ એવું જ થયું છે આસુરાની આશ્રમ શાળામાં શિક્ષકો નથી તો પહેલા ધોરણથી ત્રીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેનાથી મોટા વિદ્યાર્થીઓને જ શિક્ષક બનાવી દીધા છે અને વિદ્યાર્થીઓ જ નાના ભૂલકાઓને ભણાવી રહ્યા છે. 


ધોરણ 4-5ના વિદ્યાર્થીઓ ભણાવે છે ધો.3 સુધીના વિદ્યાર્થીઓને 

વલસાડ જિલ્લામાં સરકારી અનુદાનથી ધરમપુર જિલ્લામાં આદિવાસી યુવક મંડળ દ્વારા આસુરાની આશ્રમ શાળા ચાલે છે. આ શાળાની સ્થિતિ એટલી ખરાબ છે કે વાત ન પૂછો. આસુરા આશ્રમ શાળામાં ધોરણ 1થી ધોરણ 10માં 222 છોકરાઓ ભણે છે. અને એ બધાને ભણાવવા માટે સરકાર પાસે એક જ કાયમી શિક્ષક છે જે બધા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. જો કે તેમના સિવાય પણ બીજી પણ બે યુવતીઓ ભણાવવા આવે છે પણ એ ઈન્ટર્નશીપ પર આવે છે શિક્ષક નથી. ધોરણ 1થી 3ને ચોથા ધોરણના અને પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ ભણાવી રહ્યા છે. 

આત્મનિર્ભર ભારતના સૂત્રને વિદ્યાર્થીઓએ ગંભીરતાથી લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના સમયમાં એક સૂત્ર આપ્યું હતું આત્મનિર્ભર ભારત, એ જ આત્મનિર્ભર ભારતને આ શાળા દ્વારા ખૂબ ગંભીર રીતે લેવામાં આવ્યું છે. એટલે અહીં બાળકો જ શિક્ષક છે. આમાં શાળામાં રહેલા કાયમી આચાર્યા પણ શું કરે તેના પર કામનો ભારણ જ એટલો છે કે તે જો આવી રીતે ગોઠવણ ન કરે તો શાળાનું પરિણામ આવે અને જો શાળાનું પરિણામ નકારાત્મક આવે તો શિક્ષણ વિભાગ પછી શિક્ષકોનો કાઠલો પકડે. 


શાળામાં શિક્ષકોને નથી મૂકવામાં આવ્યા 

એવું નથી કે શાળામાં શિક્ષકો નથી મૂકાયા. હમણા ત્રણ મહિના પહેલા જ શિક્ષકો મૂકી દેવામાં આવ્યા છે પણ એ જે શિક્ષકો મૂકાયા એની નિમણૂક તો હજુ બાકી બોલે છે તો શિક્ષકો નિમણૂક વગર તો કેમ ભણાવે. સરકાર કે તંત્ર તો શિક્ષકોને વ્યવસ્થા પૂરવાર નથી પાડતી તો શિક્ષકો પછી પોતાની રીતે બાળકોને બીજી શાળામાં ભણાવવા મજબૂર બની રહ્યા છે. 


શાળાની પરિસ્થિતિ અંગે શિક્ષણ વિભાગને થવી જોઈએ જાણ

આ શાળાની પરિસ્થિતિ શિક્ષણ વિભાગને ખબર પડવી જોઈએ અને એના પર કડક પગલા લેવાવા જોઈએ કારણ કે આ ગુજરાત છે અહીં રસ્તા પર ખાડો હશે તો લોકો ચલાવી લેશે પણ જો ભવિષ્યની પેઢી સાથે આવું થશે તો આખી એક પેઢી બોગસ ઉભી થશે. પગલાની આશા રહેશે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.