ટામેટા બાદ હવે ડુંગળીએ લોકોને રડાવ્યા, એક વર્ષમાં ભાવ 15 ગણો વધ્યો, સરકારે 40% નિકાસ ડ્યુટી લગાવી


  • Published By :
  • Published Date : 2023-08-20 20:04:18

ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે. દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ડુંગળી 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી. જ્યારે આજે ડુંગળીનો ભાવ 30-40 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. એટલે કે ડુંગળીના ભાવ 15 ગણા વધી ગયા છે. દિલ્હીમાં ડુંગળીનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં રસોડાના બજેટમાં કોઈ રાહત નથી. ડુંગળી ગયા વર્ષના ભાવ કરતાં લગભગ 15 ગણી મોંઘી વેચાઈ રહી છે. દેશમાં ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે મોટો નિર્ણય લેવો પડ્યો છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી છે. જો કે, સરકારે કટોકટીનો સામનો કરવા માટે 3 લાખ ટન ડુંગળીનો સ્ટોક પણ જાળવી રાખ્યો છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.


ડુંગળી પર 40% નિકાસ ડ્યુટી


શનિવારે સરકારે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી લગાવી હતી. આ ડ્યુટી 31 ડિસેમ્બર 2023 સુધી અમલમાં રહેશે. અત્યાર સુધી ડુંગળીની નિકાસ પર કોઈ ટેક્સ લાગતો ન હતો. ડુંગળીની સ્થાનિક પ્રાપ્યતા વધારવા માટે આ ડ્યુટી લાદવામાં આવી છે. સરકારે ડુંગળીની નિકાસ પર આ પ્રતિબંધ એવા સમયે લગાવ્યો છે જ્યારે ડુંગળીની કિંમતો આસમાને પહોંચી જવાની આશંકા હતી. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 4 ઓગસ્ટ વચ્ચે દેશમાંથી 9.75 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. મૂલ્યની દ્રષ્ટિએ, ટોચના ત્રણ આયાત કરનારા દેશો બાંગ્લાદેશ, મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાત છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.