આસમાને પહોંચેલા ટામેટાંના ભાવથી મળશે રાહત, સરકારે NCCF અને NAFEDને આ ભાવ વેચવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-08-18 21:44:53

આસમાને પહોંચેલા ટામેટાંના ભાવથી તમને મોટી રાહત મળવાની છે. કેન્દ્ર સરકારે રવિવાર, 20 ઓગસ્ટ 2023થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની સૂચના આપી છે. ગ્રાહક વિભાગે NCCF અને NAFEDને 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા કહ્યું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે નેશનલ કોઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF) તથા નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન (NAFED)ને આદેશ કર્યો છે કે 20મી ઓગસ્ટથી છૂટક ગ્રાહકો (Retail Consumers) માટે ટામેટા (Tomato)નું કીલો દીઠ રૂપિયા 40 ભાવથી વેચાણ કરવામાં આવે.


આ શહેરોમાં થાય છે વેચાણ


ટામેટાંના જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયા બાદ ગ્રાહક બાબતો (Department of Consumer Affairs)ના વિભાગ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે NCCF અને NAFED દિલ્હી-NCR, રાજસ્થાનમાં જયપુર અને કોટા, ઉત્તર પ્રદશમાં લખનઉ, કાનપુર, વારાણસી તથા બિહારમાં પટના, મુઝફ્ફરપુર, અરાહ અને બક્સરમાં ટામેટાનું વેચાણ કરી રહ્યા છે.


ટામેટાના ભાવ ઘટી રહ્યા છે


NCCF તથા NAFED દ્વારા પ્રાપ્ત (Procure) કરવામાં આવેલા ટામેટાનું કિલો દીઠ રૂપિયા 90 શરૂઆતી કિંમતથી વેચાણ કરવામાં આવતુ હતું. જથ્થાબંધ ભાવ (Wholesale Price)માં ઘટાડો થતા હવે આ ભાવ ઘટાડવામાં આવ્યા છે. છૂટક કિંમત (Retail Price) 15મી ઓગસ્ટના રોજ ઘટાડીને કિલો દીઠ રૂપિયા 50 કરવામાં આવી છે.


NCCF અને NAFEDએ ટામેટાની કરી ખરીદી


ગ્રાહક બાબતોના વિભાગ તરફથી મળેલા આદેશને પગલે NCCF અને NAFEDએ આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટાની ખરીદી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 14મી જુલાઈના રોજ દિલ્હી-NCRમાં ટામેટાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. NCCF તથા NAFEDએ અત્યાર સુધીમાં આશરે 15 લાખ કિલો ટામેટાની ખરીદી કરી છે, જેનું સતત છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.