આસમાને પહોંચેલા ટામેટાંના ભાવથી મળશે રાહત, સરકારે NCCF અને NAFEDને આ ભાવ વેચવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-08-18 21:44:53

આસમાને પહોંચેલા ટામેટાંના ભાવથી તમને મોટી રાહત મળવાની છે. કેન્દ્ર સરકારે રવિવાર, 20 ઓગસ્ટ 2023થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની સૂચના આપી છે. ગ્રાહક વિભાગે NCCF અને NAFEDને 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા કહ્યું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે નેશનલ કોઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF) તથા નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન (NAFED)ને આદેશ કર્યો છે કે 20મી ઓગસ્ટથી છૂટક ગ્રાહકો (Retail Consumers) માટે ટામેટા (Tomato)નું કીલો દીઠ રૂપિયા 40 ભાવથી વેચાણ કરવામાં આવે.


આ શહેરોમાં થાય છે વેચાણ


ટામેટાંના જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયા બાદ ગ્રાહક બાબતો (Department of Consumer Affairs)ના વિભાગ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે NCCF અને NAFED દિલ્હી-NCR, રાજસ્થાનમાં જયપુર અને કોટા, ઉત્તર પ્રદશમાં લખનઉ, કાનપુર, વારાણસી તથા બિહારમાં પટના, મુઝફ્ફરપુર, અરાહ અને બક્સરમાં ટામેટાનું વેચાણ કરી રહ્યા છે.


ટામેટાના ભાવ ઘટી રહ્યા છે


NCCF તથા NAFED દ્વારા પ્રાપ્ત (Procure) કરવામાં આવેલા ટામેટાનું કિલો દીઠ રૂપિયા 90 શરૂઆતી કિંમતથી વેચાણ કરવામાં આવતુ હતું. જથ્થાબંધ ભાવ (Wholesale Price)માં ઘટાડો થતા હવે આ ભાવ ઘટાડવામાં આવ્યા છે. છૂટક કિંમત (Retail Price) 15મી ઓગસ્ટના રોજ ઘટાડીને કિલો દીઠ રૂપિયા 50 કરવામાં આવી છે.


NCCF અને NAFEDએ ટામેટાની કરી ખરીદી


ગ્રાહક બાબતોના વિભાગ તરફથી મળેલા આદેશને પગલે NCCF અને NAFEDએ આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટાની ખરીદી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 14મી જુલાઈના રોજ દિલ્હી-NCRમાં ટામેટાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. NCCF તથા NAFEDએ અત્યાર સુધીમાં આશરે 15 લાખ કિલો ટામેટાની ખરીદી કરી છે, જેનું સતત છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.