આસમાને પહોંચેલા ટામેટાંના ભાવથી મળશે રાહત, સરકારે NCCF અને NAFEDને આ ભાવ વેચવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-08-18 21:44:53

આસમાને પહોંચેલા ટામેટાંના ભાવથી તમને મોટી રાહત મળવાની છે. કેન્દ્ર સરકારે રવિવાર, 20 ઓગસ્ટ 2023થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની સૂચના આપી છે. ગ્રાહક વિભાગે NCCF અને NAFEDને 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા કહ્યું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે નેશનલ કોઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF) તથા નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન (NAFED)ને આદેશ કર્યો છે કે 20મી ઓગસ્ટથી છૂટક ગ્રાહકો (Retail Consumers) માટે ટામેટા (Tomato)નું કીલો દીઠ રૂપિયા 40 ભાવથી વેચાણ કરવામાં આવે.


આ શહેરોમાં થાય છે વેચાણ


ટામેટાંના જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયા બાદ ગ્રાહક બાબતો (Department of Consumer Affairs)ના વિભાગ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે NCCF અને NAFED દિલ્હી-NCR, રાજસ્થાનમાં જયપુર અને કોટા, ઉત્તર પ્રદશમાં લખનઉ, કાનપુર, વારાણસી તથા બિહારમાં પટના, મુઝફ્ફરપુર, અરાહ અને બક્સરમાં ટામેટાનું વેચાણ કરી રહ્યા છે.


ટામેટાના ભાવ ઘટી રહ્યા છે


NCCF તથા NAFED દ્વારા પ્રાપ્ત (Procure) કરવામાં આવેલા ટામેટાનું કિલો દીઠ રૂપિયા 90 શરૂઆતી કિંમતથી વેચાણ કરવામાં આવતુ હતું. જથ્થાબંધ ભાવ (Wholesale Price)માં ઘટાડો થતા હવે આ ભાવ ઘટાડવામાં આવ્યા છે. છૂટક કિંમત (Retail Price) 15મી ઓગસ્ટના રોજ ઘટાડીને કિલો દીઠ રૂપિયા 50 કરવામાં આવી છે.


NCCF અને NAFEDએ ટામેટાની કરી ખરીદી


ગ્રાહક બાબતોના વિભાગ તરફથી મળેલા આદેશને પગલે NCCF અને NAFEDએ આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટાની ખરીદી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 14મી જુલાઈના રોજ દિલ્હી-NCRમાં ટામેટાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. NCCF તથા NAFEDએ અત્યાર સુધીમાં આશરે 15 લાખ કિલો ટામેટાની ખરીદી કરી છે, જેનું સતત છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.