ટામેટાના ભાવ લાલચોળ થયા પણ ગૃહિણી સિવાય કોઈને શું લેવાદેવા?


  • Published By : Payal rathod
  • Published Date : 2023-06-30 17:41:34

ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં દીપિકા પાદુકોણે કહ્યું હતું કે "એક ચૂટકી સિંદુર કી કિંમત તુમ કયા જાનો રમેશ બાબુ?" અને મારે તમને પૂછવું છે કે "એક ટમાટર કી કિમત તુમ કયા જાનો .. બાબુ?" ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને આ લાલ લાલ ટામેટાએ ગૃહિણીના પાકીટ લાલ કરી દીધા છે 



છેલ્લા અઠવાડિયામાં , દેશભરના અનેક શહેરોમાં ટામેટાની છૂટક કિંમત ₹ 60 પ્રતિ કિલોને વટાવી ગઈ છે, મંગળવારે કેટલાક સ્થળોએ ટામેટાના ભાવ ₹ 100/ કિલોએ પહોંચી ગયા હતા.ત્યારે ઘરમાં તો ગૃહિણીઓ આ જ વાતથી જીવ બાળતી હોય છે, તો આજે અમે કઈંક અલગ કર્યું. આજે અમે યુવાનોને જઈને પૂછી લીધું કે ‘ભાઈ તમને ખ્યાલ છે કે ટામેટાના ભાવ શું ચાલે છે? ક્યારેય તમે શાકભાજી લેવા ગયા છો ખરી?’ આ સવાલ યુવાનોને કરવાનું એક મોટું કારણ એ હતું કે યુવાધન આમ "ધન" વિશે બહુ ના વિચારે. ક્યાંથી પૈસા આવ્યા? ક્યાં ગયા? દેશમાં શું ચાલે છે? વગેરે વગેરે. તેથી અમે નક્કી કર્યુ કે આ વખતે ટામેટાને લઈને અમારે ગૃહણીઓને નહીં પરંતુ યુવા વિદ્યાર્થીઓને સવાલ કરવા છે અને અમે જે સવાલો કર્યા પછી અમને તો જે યુવાનો તરફથી જવાબ મળ્યા છે, એ જવાબો અને એમના તર્ક સાંભળીને અમે પણ દંગ રહી ગયા!


"ભાવ વધે તો અમને શું ફરક પડે"

અમે એક છોકરા સાથે વાત કરી એ એકદમ હળવા અંદાજમાં જવાબ આપી રહ્યો હતો. એના મગજમાં એમ હતું કે ટામેટાનો ભાવ 25-30 રૂપીયાથી વધારે નહીં હોય, પછી જ્યારે અમે એને કહ્યું કે ભાવ 100 સુધી પહોંચ્યો છે તો તેણે કહ્યું કે," શું ફરક પડે છે ભાવ વધાર હશે તો નહીં ખાઈએ, સસ્તા થશે ત્યારે ખાઈશુ. મને તો કંઈ ફરક નથી પડતો ભાવ વધે કે ઘટે. સરકાર જે ફાર્મર્સ લો (કૃષિ કાયદો) લાવવાની હતી તે ઠીક હતું, જો તે લાગુ થઈ જાત તો આ બધી સમસ્યા ન થાત" પણ શું તે છોકરાએ ક્યારે પણ ખેડૂતની જગ્યાએ રહીને વિચાર્યું હશે કે ખેડૂતો માટે તેમની ખેતી કેટલી મહત્વની છે અને તેમાં કેટલી મહેનત લાગે છે? શું તેને ખ્યાલ પણ હશે કે ખેડૂતને બિયારણથી લઈને પાક વેચવા સુધી કેટલી તકલીફ પડે છે? ઘરમાં AC વાળા રૂમમાં બેસીને અને અમદાવાદની ટોપક્લાસ કોલેજમાં ભણવાવાળા યુવાનો એ સમજી નહીં શકે! 


ખેડૂતોના પૈસા કોણ ખાઈ જાય છે?

એક યુવાનને જ્યારે અમે એમ કહ્યું કે, ટામેટાનો ભાવ 100 પ્રતિ કિલો છે, તો તેને ધ્રાસકો પડ્યો. અમે એને બીજો સવાલ કર્યો કે મધ્યમવર્ગ આટલી મોંઘી શાકભાજી લે છે પણ ખેડૂતોને તો પૈસા નથી જ મળતા તો પૈસા જાય છે ક્યાં? તો તે છોકરાએ જવાબ આપ્યો કે, વચ્ચેના લોકો એ પૈસા ખાઈ છે. ખેડૂત આટલી બધી મેહનત કરે, પરસેવો પાડે તો પણ તેને પોતાના પ્રોડક્ટના પૈસા નથી મળતા અને ટામેટાના ભાવ વધવાને કારણે અમારે તો હવે હોસ્ટેલમાં ટામેટાનું સલાડ પણ નહીં મળે! બીજું શું? 


યુવાનો કેમ દેશના અર્થતંત્ર અને મોંઘવારી જેવા મુદ્દા પર વાત નથી કરતાં? 

પ્રશ્ન એ છે કે યુવાનો બધી જ વાતને એવી રીતે લઈ લે છે કે અમારે શું? અમને શું ફરક પડવાનો છે "એનાથી અમારે શું?" પણ યુવાનો આ દેશનું ભવિષ્ય છે અને આપણા અર્થતંત્ર પર દેશ ટકેલો છે! જો તમને દેશની ગરીબી કે ભષ્ટ્રાચાર કે પછી મોંઘવારી જેવા મુદ્દા પર ફરક નથી પડતો તો કઈંક તો ખોટું છે! અને જે દિવસે આ દેશના લોકોને ફરક પડવાનું બંધ થઈ જશે ત્યારથી દેશના ભવિષ્યની કલ્પના કરવી અઘરી બની જશે!



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.