ટામેટાના ભાવ લાલચોળ થયા પણ ગૃહિણી સિવાય કોઈને શું લેવાદેવા?


  • Published By : Payal rathod
  • Published Date : 2023-06-30 17:41:34

ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં દીપિકા પાદુકોણે કહ્યું હતું કે "એક ચૂટકી સિંદુર કી કિંમત તુમ કયા જાનો રમેશ બાબુ?" અને મારે તમને પૂછવું છે કે "એક ટમાટર કી કિમત તુમ કયા જાનો .. બાબુ?" ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને આ લાલ લાલ ટામેટાએ ગૃહિણીના પાકીટ લાલ કરી દીધા છે 



છેલ્લા અઠવાડિયામાં , દેશભરના અનેક શહેરોમાં ટામેટાની છૂટક કિંમત ₹ 60 પ્રતિ કિલોને વટાવી ગઈ છે, મંગળવારે કેટલાક સ્થળોએ ટામેટાના ભાવ ₹ 100/ કિલોએ પહોંચી ગયા હતા.ત્યારે ઘરમાં તો ગૃહિણીઓ આ જ વાતથી જીવ બાળતી હોય છે, તો આજે અમે કઈંક અલગ કર્યું. આજે અમે યુવાનોને જઈને પૂછી લીધું કે ‘ભાઈ તમને ખ્યાલ છે કે ટામેટાના ભાવ શું ચાલે છે? ક્યારેય તમે શાકભાજી લેવા ગયા છો ખરી?’ આ સવાલ યુવાનોને કરવાનું એક મોટું કારણ એ હતું કે યુવાધન આમ "ધન" વિશે બહુ ના વિચારે. ક્યાંથી પૈસા આવ્યા? ક્યાં ગયા? દેશમાં શું ચાલે છે? વગેરે વગેરે. તેથી અમે નક્કી કર્યુ કે આ વખતે ટામેટાને લઈને અમારે ગૃહણીઓને નહીં પરંતુ યુવા વિદ્યાર્થીઓને સવાલ કરવા છે અને અમે જે સવાલો કર્યા પછી અમને તો જે યુવાનો તરફથી જવાબ મળ્યા છે, એ જવાબો અને એમના તર્ક સાંભળીને અમે પણ દંગ રહી ગયા!


"ભાવ વધે તો અમને શું ફરક પડે"

અમે એક છોકરા સાથે વાત કરી એ એકદમ હળવા અંદાજમાં જવાબ આપી રહ્યો હતો. એના મગજમાં એમ હતું કે ટામેટાનો ભાવ 25-30 રૂપીયાથી વધારે નહીં હોય, પછી જ્યારે અમે એને કહ્યું કે ભાવ 100 સુધી પહોંચ્યો છે તો તેણે કહ્યું કે," શું ફરક પડે છે ભાવ વધાર હશે તો નહીં ખાઈએ, સસ્તા થશે ત્યારે ખાઈશુ. મને તો કંઈ ફરક નથી પડતો ભાવ વધે કે ઘટે. સરકાર જે ફાર્મર્સ લો (કૃષિ કાયદો) લાવવાની હતી તે ઠીક હતું, જો તે લાગુ થઈ જાત તો આ બધી સમસ્યા ન થાત" પણ શું તે છોકરાએ ક્યારે પણ ખેડૂતની જગ્યાએ રહીને વિચાર્યું હશે કે ખેડૂતો માટે તેમની ખેતી કેટલી મહત્વની છે અને તેમાં કેટલી મહેનત લાગે છે? શું તેને ખ્યાલ પણ હશે કે ખેડૂતને બિયારણથી લઈને પાક વેચવા સુધી કેટલી તકલીફ પડે છે? ઘરમાં AC વાળા રૂમમાં બેસીને અને અમદાવાદની ટોપક્લાસ કોલેજમાં ભણવાવાળા યુવાનો એ સમજી નહીં શકે! 


ખેડૂતોના પૈસા કોણ ખાઈ જાય છે?

એક યુવાનને જ્યારે અમે એમ કહ્યું કે, ટામેટાનો ભાવ 100 પ્રતિ કિલો છે, તો તેને ધ્રાસકો પડ્યો. અમે એને બીજો સવાલ કર્યો કે મધ્યમવર્ગ આટલી મોંઘી શાકભાજી લે છે પણ ખેડૂતોને તો પૈસા નથી જ મળતા તો પૈસા જાય છે ક્યાં? તો તે છોકરાએ જવાબ આપ્યો કે, વચ્ચેના લોકો એ પૈસા ખાઈ છે. ખેડૂત આટલી બધી મેહનત કરે, પરસેવો પાડે તો પણ તેને પોતાના પ્રોડક્ટના પૈસા નથી મળતા અને ટામેટાના ભાવ વધવાને કારણે અમારે તો હવે હોસ્ટેલમાં ટામેટાનું સલાડ પણ નહીં મળે! બીજું શું? 


યુવાનો કેમ દેશના અર્થતંત્ર અને મોંઘવારી જેવા મુદ્દા પર વાત નથી કરતાં? 

પ્રશ્ન એ છે કે યુવાનો બધી જ વાતને એવી રીતે લઈ લે છે કે અમારે શું? અમને શું ફરક પડવાનો છે "એનાથી અમારે શું?" પણ યુવાનો આ દેશનું ભવિષ્ય છે અને આપણા અર્થતંત્ર પર દેશ ટકેલો છે! જો તમને દેશની ગરીબી કે ભષ્ટ્રાચાર કે પછી મોંઘવારી જેવા મુદ્દા પર ફરક નથી પડતો તો કઈંક તો ખોટું છે! અને જે દિવસે આ દેશના લોકોને ફરક પડવાનું બંધ થઈ જશે ત્યારથી દેશના ભવિષ્યની કલ્પના કરવી અઘરી બની જશે!



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.