ટામેટાં હજુ વધુ રડાવશે, 300 રૂપિયા સુધી જઈ શકે છે ભાવ, 2 મહિના સુધી નહીં મળે રાહત


  • Published By :
  • Published Date : 2023-07-14 23:24:05

આસમાને પહોંચેલા ભાવના કારણે રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. દેશમાં ઘણી જગ્યાએ ટામેટાં 200 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે અડધા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. પરંતુ લોકોને જલ્દી રાહત મળે તેવી આશા નથી. જાણકારોના મતે આગામી દિવસોમાં ટામેટાના ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. મિડીયા રિપોર્ટ અનુસાર ટામેટાના ભાવમાં હજુ વધારો થઈ શકે છે. આગામી 2 મહિના સુધી ગ્રાહકોને રાહત મળવાની નથી.


શા માટે કિંમતો વધી રહી છે?


દેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે. ટામેટાના ભાવમાં 300 ટકાનો વધારો થયો છે. અવિરત વરસાદને કારણે નવા પાકનું વાવેતર પણ થઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં, ભાવ ટૂંક સમયમાં નીચે આવવાની શક્યતા ઓછી છે.


ટામેટાંનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?   


ટામેટાનું 91 ટકા  ઉત્પાદન મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઓડિશા, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં થાય છે. આ વખતે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાયરસને કારણે ટામેટાંનો પાક ખરાબ રીતે નાશ પામ્યો હતો.


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.