ટામેટાં હજુ વધુ રડાવશે, 300 રૂપિયા સુધી જઈ શકે છે ભાવ, 2 મહિના સુધી નહીં મળે રાહત


  • Published By :
  • Published Date : 2023-07-14 23:24:05

આસમાને પહોંચેલા ભાવના કારણે રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. દેશમાં ઘણી જગ્યાએ ટામેટાં 200 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે અડધા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. પરંતુ લોકોને જલ્દી રાહત મળે તેવી આશા નથી. જાણકારોના મતે આગામી દિવસોમાં ટામેટાના ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. મિડીયા રિપોર્ટ અનુસાર ટામેટાના ભાવમાં હજુ વધારો થઈ શકે છે. આગામી 2 મહિના સુધી ગ્રાહકોને રાહત મળવાની નથી.


શા માટે કિંમતો વધી રહી છે?


દેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે. ટામેટાના ભાવમાં 300 ટકાનો વધારો થયો છે. અવિરત વરસાદને કારણે નવા પાકનું વાવેતર પણ થઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં, ભાવ ટૂંક સમયમાં નીચે આવવાની શક્યતા ઓછી છે.


ટામેટાંનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?   


ટામેટાનું 91 ટકા  ઉત્પાદન મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઓડિશા, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં થાય છે. આ વખતે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાયરસને કારણે ટામેટાંનો પાક ખરાબ રીતે નાશ પામ્યો હતો.


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.