વાવ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો કાલે અંતિમ દિવસ, ભાજપ અને કોંગ્રેસના કોણ હશે ઉમેદવાર? Suspense યથાવત


  • Published By :
  • Published Date : 2024-10-24 17:37:08

વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે. જાતીય સમીકરણો રાજકીય કારકિર્દીને બધુ આ ચુંટણીમાં ખૂલીને દેખસે આધુરમાં પૂરું ગેનીબેનના કાકાએ આ ચુંટણીમાં ફોર્મ ભર્યું છે. 

કોંગ્રેસ અને ભાજપમાંથી કોણ હશે ઉમેદવાર?

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પરંતુ ભાજપ કે કોંગ્રેસ એમ બેમાંથી એકપણ પક્ષે હજુ સુધી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી . કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ ફાઇનલ હોવાનું મનાઇ રહ્યું છે. બીજીતરફ ભાજપમાં હજુપણ ઉમેદવાર અંગે મંથન ચાલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે.. .આ વિષય પર ગઈકાલે મિટિંગ પણ થઇ ઠાકોર સમાજના પ્રભુત્વવાળી આ બેઠક પર ભાજપ ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારશે કે પછી બ્રાહ્મણ ચહેરા પર દાવ અજમાવશે તેની ચર્ચા થઇ રહી છે.. કારણ કે ટિકિટ મેળવવા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. 50 દાવેદારોએ ટિકિટની માગણી કરી છે  છેલ્લી 2 ટર્મથી આ બેઠક પર મહિલા ઉમેદવાર એટલે કે ગેનીબેન ઠાકોરની જીત થતાં ભાજપમાંથી ઘણા મહિલા દાવેદારો પણ આગળ આવ્યા છે 


ભાજપ બ્રાહ્મણ ચહેરાને ઉતારી શકે છે ઉમેદવાર તરીકે

ભાજપમાંથી જે નામોની સૌથી વધારે ચર્ચા થઇ રહી છે એ છે એક સમયે ગેનીબેન ઠાકોરનો જમણો હાથ ગણાતા અમીરામ આશલ જો કોંગ્રેસ ઠાકોર-ચૌધરી સિવાય અન્ય ચહેરો ઉતારે તો ભાજપ પણ બ્રાહ્મણ ઉમેદવારનો પ્રયોગ કરી શકે છે. અને પહેલું નામ રેસમાં અમીરામ આશલનું ચાલે છે જોકે વાતતો પરબત પટેલના દીકરા શૈલેષ પટેલને ટિકિટ આપવાની પણ થઇ રહી છે અને જો જાતિગત સમીકરણ જોઈને ટિકિટ આપે છે તો ઠાકોર ઉમેદવારો તો છેજ જેમાં સ્વરૂપજી ઠાકોર , મુકેશ ઠાકોર આ બધા નામ તો ચાલી જ રહ્યા છે 


અપક્ષ તરીકે આમને નોંધાવી દાવેદારી

આ બધાની વચ્ચે ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. અને એના કારણે પણ ભાજપને સીધો ફાયદો થતો દેખાય છે એટલે બધા પક્ષ પોત પોતાની રીતે વાવ જીતવા માટે શામ દામ દંડ ભેદની નીતિ આપવાની રહ્યા છે 


કોણ હોઈ શકે છે કોંગ્રેસના ઉમેદવાર?

હવે વાત કોંગ્રેસની કરીએ તો વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી. ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. જેમાં ગુલાબસિંહનું નામ ઓલ્મોસ્ટ ફાઇનલ જેવુ છે આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.