વાવ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો કાલે અંતિમ દિવસ, ભાજપ અને કોંગ્રેસના કોણ હશે ઉમેદવાર? Suspense યથાવત


  • Published By :
  • Published Date : 2024-10-24 17:37:08

વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે. જાતીય સમીકરણો રાજકીય કારકિર્દીને બધુ આ ચુંટણીમાં ખૂલીને દેખસે આધુરમાં પૂરું ગેનીબેનના કાકાએ આ ચુંટણીમાં ફોર્મ ભર્યું છે. 

કોંગ્રેસ અને ભાજપમાંથી કોણ હશે ઉમેદવાર?

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પરંતુ ભાજપ કે કોંગ્રેસ એમ બેમાંથી એકપણ પક્ષે હજુ સુધી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી . કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ ફાઇનલ હોવાનું મનાઇ રહ્યું છે. બીજીતરફ ભાજપમાં હજુપણ ઉમેદવાર અંગે મંથન ચાલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે.. .આ વિષય પર ગઈકાલે મિટિંગ પણ થઇ ઠાકોર સમાજના પ્રભુત્વવાળી આ બેઠક પર ભાજપ ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારશે કે પછી બ્રાહ્મણ ચહેરા પર દાવ અજમાવશે તેની ચર્ચા થઇ રહી છે.. કારણ કે ટિકિટ મેળવવા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. 50 દાવેદારોએ ટિકિટની માગણી કરી છે  છેલ્લી 2 ટર્મથી આ બેઠક પર મહિલા ઉમેદવાર એટલે કે ગેનીબેન ઠાકોરની જીત થતાં ભાજપમાંથી ઘણા મહિલા દાવેદારો પણ આગળ આવ્યા છે 


ભાજપ બ્રાહ્મણ ચહેરાને ઉતારી શકે છે ઉમેદવાર તરીકે

ભાજપમાંથી જે નામોની સૌથી વધારે ચર્ચા થઇ રહી છે એ છે એક સમયે ગેનીબેન ઠાકોરનો જમણો હાથ ગણાતા અમીરામ આશલ જો કોંગ્રેસ ઠાકોર-ચૌધરી સિવાય અન્ય ચહેરો ઉતારે તો ભાજપ પણ બ્રાહ્મણ ઉમેદવારનો પ્રયોગ કરી શકે છે. અને પહેલું નામ રેસમાં અમીરામ આશલનું ચાલે છે જોકે વાતતો પરબત પટેલના દીકરા શૈલેષ પટેલને ટિકિટ આપવાની પણ થઇ રહી છે અને જો જાતિગત સમીકરણ જોઈને ટિકિટ આપે છે તો ઠાકોર ઉમેદવારો તો છેજ જેમાં સ્વરૂપજી ઠાકોર , મુકેશ ઠાકોર આ બધા નામ તો ચાલી જ રહ્યા છે 


અપક્ષ તરીકે આમને નોંધાવી દાવેદારી

આ બધાની વચ્ચે ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. અને એના કારણે પણ ભાજપને સીધો ફાયદો થતો દેખાય છે એટલે બધા પક્ષ પોત પોતાની રીતે વાવ જીતવા માટે શામ દામ દંડ ભેદની નીતિ આપવાની રહ્યા છે 


કોણ હોઈ શકે છે કોંગ્રેસના ઉમેદવાર?

હવે વાત કોંગ્રેસની કરીએ તો વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી. ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. જેમાં ગુલાબસિંહનું નામ ઓલ્મોસ્ટ ફાઇનલ જેવુ છે આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.