વાવ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો કાલે અંતિમ દિવસ, ભાજપ અને કોંગ્રેસના કોણ હશે ઉમેદવાર? Suspense યથાવત


  • Published By :
  • Published Date : 2024-10-24 17:37:08

વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે. જાતીય સમીકરણો રાજકીય કારકિર્દીને બધુ આ ચુંટણીમાં ખૂલીને દેખસે આધુરમાં પૂરું ગેનીબેનના કાકાએ આ ચુંટણીમાં ફોર્મ ભર્યું છે. 

કોંગ્રેસ અને ભાજપમાંથી કોણ હશે ઉમેદવાર?

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પરંતુ ભાજપ કે કોંગ્રેસ એમ બેમાંથી એકપણ પક્ષે હજુ સુધી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી . કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ ફાઇનલ હોવાનું મનાઇ રહ્યું છે. બીજીતરફ ભાજપમાં હજુપણ ઉમેદવાર અંગે મંથન ચાલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે.. .આ વિષય પર ગઈકાલે મિટિંગ પણ થઇ ઠાકોર સમાજના પ્રભુત્વવાળી આ બેઠક પર ભાજપ ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારશે કે પછી બ્રાહ્મણ ચહેરા પર દાવ અજમાવશે તેની ચર્ચા થઇ રહી છે.. કારણ કે ટિકિટ મેળવવા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. 50 દાવેદારોએ ટિકિટની માગણી કરી છે  છેલ્લી 2 ટર્મથી આ બેઠક પર મહિલા ઉમેદવાર એટલે કે ગેનીબેન ઠાકોરની જીત થતાં ભાજપમાંથી ઘણા મહિલા દાવેદારો પણ આગળ આવ્યા છે 


ભાજપ બ્રાહ્મણ ચહેરાને ઉતારી શકે છે ઉમેદવાર તરીકે

ભાજપમાંથી જે નામોની સૌથી વધારે ચર્ચા થઇ રહી છે એ છે એક સમયે ગેનીબેન ઠાકોરનો જમણો હાથ ગણાતા અમીરામ આશલ જો કોંગ્રેસ ઠાકોર-ચૌધરી સિવાય અન્ય ચહેરો ઉતારે તો ભાજપ પણ બ્રાહ્મણ ઉમેદવારનો પ્રયોગ કરી શકે છે. અને પહેલું નામ રેસમાં અમીરામ આશલનું ચાલે છે જોકે વાતતો પરબત પટેલના દીકરા શૈલેષ પટેલને ટિકિટ આપવાની પણ થઇ રહી છે અને જો જાતિગત સમીકરણ જોઈને ટિકિટ આપે છે તો ઠાકોર ઉમેદવારો તો છેજ જેમાં સ્વરૂપજી ઠાકોર , મુકેશ ઠાકોર આ બધા નામ તો ચાલી જ રહ્યા છે 


અપક્ષ તરીકે આમને નોંધાવી દાવેદારી

આ બધાની વચ્ચે ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. અને એના કારણે પણ ભાજપને સીધો ફાયદો થતો દેખાય છે એટલે બધા પક્ષ પોત પોતાની રીતે વાવ જીતવા માટે શામ દામ દંડ ભેદની નીતિ આપવાની રહ્યા છે 


કોણ હોઈ શકે છે કોંગ્રેસના ઉમેદવાર?

હવે વાત કોંગ્રેસની કરીએ તો વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી. ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. જેમાં ગુલાબસિંહનું નામ ઓલ્મોસ્ટ ફાઇનલ જેવુ છે આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.