વાવ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો કાલે અંતિમ દિવસ, ભાજપ અને કોંગ્રેસના કોણ હશે ઉમેદવાર? Suspense યથાવત


  • Published By :
  • Published Date : 2024-10-24 17:37:08

વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે. જાતીય સમીકરણો રાજકીય કારકિર્દીને બધુ આ ચુંટણીમાં ખૂલીને દેખસે આધુરમાં પૂરું ગેનીબેનના કાકાએ આ ચુંટણીમાં ફોર્મ ભર્યું છે. 

કોંગ્રેસ અને ભાજપમાંથી કોણ હશે ઉમેદવાર?

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પરંતુ ભાજપ કે કોંગ્રેસ એમ બેમાંથી એકપણ પક્ષે હજુ સુધી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી . કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ ફાઇનલ હોવાનું મનાઇ રહ્યું છે. બીજીતરફ ભાજપમાં હજુપણ ઉમેદવાર અંગે મંથન ચાલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે.. .આ વિષય પર ગઈકાલે મિટિંગ પણ થઇ ઠાકોર સમાજના પ્રભુત્વવાળી આ બેઠક પર ભાજપ ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારશે કે પછી બ્રાહ્મણ ચહેરા પર દાવ અજમાવશે તેની ચર્ચા થઇ રહી છે.. કારણ કે ટિકિટ મેળવવા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. 50 દાવેદારોએ ટિકિટની માગણી કરી છે  છેલ્લી 2 ટર્મથી આ બેઠક પર મહિલા ઉમેદવાર એટલે કે ગેનીબેન ઠાકોરની જીત થતાં ભાજપમાંથી ઘણા મહિલા દાવેદારો પણ આગળ આવ્યા છે 


ભાજપ બ્રાહ્મણ ચહેરાને ઉતારી શકે છે ઉમેદવાર તરીકે

ભાજપમાંથી જે નામોની સૌથી વધારે ચર્ચા થઇ રહી છે એ છે એક સમયે ગેનીબેન ઠાકોરનો જમણો હાથ ગણાતા અમીરામ આશલ જો કોંગ્રેસ ઠાકોર-ચૌધરી સિવાય અન્ય ચહેરો ઉતારે તો ભાજપ પણ બ્રાહ્મણ ઉમેદવારનો પ્રયોગ કરી શકે છે. અને પહેલું નામ રેસમાં અમીરામ આશલનું ચાલે છે જોકે વાતતો પરબત પટેલના દીકરા શૈલેષ પટેલને ટિકિટ આપવાની પણ થઇ રહી છે અને જો જાતિગત સમીકરણ જોઈને ટિકિટ આપે છે તો ઠાકોર ઉમેદવારો તો છેજ જેમાં સ્વરૂપજી ઠાકોર , મુકેશ ઠાકોર આ બધા નામ તો ચાલી જ રહ્યા છે 


અપક્ષ તરીકે આમને નોંધાવી દાવેદારી

આ બધાની વચ્ચે ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. અને એના કારણે પણ ભાજપને સીધો ફાયદો થતો દેખાય છે એટલે બધા પક્ષ પોત પોતાની રીતે વાવ જીતવા માટે શામ દામ દંડ ભેદની નીતિ આપવાની રહ્યા છે 


કોણ હોઈ શકે છે કોંગ્રેસના ઉમેદવાર?

હવે વાત કોંગ્રેસની કરીએ તો વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી. ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. જેમાં ગુલાબસિંહનું નામ ઓલ્મોસ્ટ ફાઇનલ જેવુ છે આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી