આવતી કાલે છે ઉત્તરાયણ, આ દિવસે દાન અને સ્નાનનો વિશેષ મહિમા


  • Published By :
  • Published Date : 2023-01-13 17:34:34

આપણે ત્યાં સૂર્યદેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને કારણે આ દિવસને મકરસંક્રાતિ કહેવામાં આવે છે. ઉત્તરાયણ બાદ શુભ કાર્યોની શુભ શરૂઆત થાય છે. વર્ષ દરમિયાન 6 મહિના દક્ષિણાયન હોય છે અને 6 મહિના સુધી ઉત્તરાયણ હોય છે.  દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ સૂર્ય ગતિ કરશે.  


મકર સંક્રાતિએ સ્નાન અને દાનનો મહિમા

ઉત્તરાયણના દિવસે દાન, તપ તેમજ સ્નાનનો વિશેષ મહિમા રહેલો છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન તલનો ઉપયોગ કરવાથી વિશેષ લાભ મળે છે. અલગ અલગ પ્રકારથી તલનો ઉપયોગ કરવામાં આવે છે. તેલના તલથી માલિશ કરવી જોઈએ, તલ ઉમેરેલા જળથી સ્નાન કરવું જોઈએ. તલના દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ પર્વ દરમિયાન સૂર્ય દેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. આ દિવસ દરમિયાન ગોળ, તલ, કપડા, ખીચડી અને પૈસાનું દાન કરવાનો વિશેષ મહત્વ રહેલું છે.     


ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યની કરાય છે પૂજા 

મકરસંક્રાતિના દિવસે શકય હોય એટલા આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ પાઠ કરવાથી સૂર્યનારાયણ ભગવાનની કૃપા દ્રષ્ટિ ભક્તો પર રહે છે. આ દિવસે દાન કરવાનું મહત્વ તો છે જ પરંતુ તેની સાથે સાથે સ્નાન કરવાનો પણ મહિમા રહેલો છે. તીર્થસ્થાન પર જઈ કરવામાં આવેલું સ્નાન અનેક ઘણું ફળ આપે છે. જો તીર્થસ્થાન પર જવું શક્ય ન હોય તો ગંગા મૈયાનું ધ્યાન કરવું જોઈએ. અને સ્નાન કરતી વખતે આ મંત્રનું ઉચ્ચાર કરવું જોઈએ. ગંગે ચ યમુને ચૈવ, ગોદાવરી સરસ્વતી. કાવેરી સિન્ધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.