આવતી કાલે છે ઉત્તરાયણ, આ દિવસે દાન અને સ્નાનનો વિશેષ મહિમા


  • Published By :
  • Published Date : 2023-01-13 17:34:34

આપણે ત્યાં સૂર્યદેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને કારણે આ દિવસને મકરસંક્રાતિ કહેવામાં આવે છે. ઉત્તરાયણ બાદ શુભ કાર્યોની શુભ શરૂઆત થાય છે. વર્ષ દરમિયાન 6 મહિના દક્ષિણાયન હોય છે અને 6 મહિના સુધી ઉત્તરાયણ હોય છે.  દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ સૂર્ય ગતિ કરશે.  


મકર સંક્રાતિએ સ્નાન અને દાનનો મહિમા

ઉત્તરાયણના દિવસે દાન, તપ તેમજ સ્નાનનો વિશેષ મહિમા રહેલો છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન તલનો ઉપયોગ કરવાથી વિશેષ લાભ મળે છે. અલગ અલગ પ્રકારથી તલનો ઉપયોગ કરવામાં આવે છે. તેલના તલથી માલિશ કરવી જોઈએ, તલ ઉમેરેલા જળથી સ્નાન કરવું જોઈએ. તલના દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ પર્વ દરમિયાન સૂર્ય દેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. આ દિવસ દરમિયાન ગોળ, તલ, કપડા, ખીચડી અને પૈસાનું દાન કરવાનો વિશેષ મહત્વ રહેલું છે.     


ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યની કરાય છે પૂજા 

મકરસંક્રાતિના દિવસે શકય હોય એટલા આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ પાઠ કરવાથી સૂર્યનારાયણ ભગવાનની કૃપા દ્રષ્ટિ ભક્તો પર રહે છે. આ દિવસે દાન કરવાનું મહત્વ તો છે જ પરંતુ તેની સાથે સાથે સ્નાન કરવાનો પણ મહિમા રહેલો છે. તીર્થસ્થાન પર જઈ કરવામાં આવેલું સ્નાન અનેક ઘણું ફળ આપે છે. જો તીર્થસ્થાન પર જવું શક્ય ન હોય તો ગંગા મૈયાનું ધ્યાન કરવું જોઈએ. અને સ્નાન કરતી વખતે આ મંત્રનું ઉચ્ચાર કરવું જોઈએ. ગંગે ચ યમુને ચૈવ, ગોદાવરી સરસ્વતી. કાવેરી સિન્ધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.