આવતી કાલે PM Modi વારાણસી લોકસભા બેઠક માટે ભરશે ઉમેદવારી ફોર્મ, આજે કરશે શક્તિપ્રદર્શન, રોડ શોને લઈ તડામાર તૈયારીઓ શરૂ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-13 12:09:18

દેશમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે.. આજે ચોથા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે.. મતદાતાને રિઝવવા માટે મોટી મોટી સભાઓને નેતાઓ ગજવી રહ્યા છે.. અનેક રોડ શો, શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી...   વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...



વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદી લડી રહ્યા છે ચૂંટણી 

દેશમાં આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે..  પીએમ મોદી આવતી કાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે.. વારાણસી લોકસભા બેઠકથી તે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ભાજપના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરતા હોય છે.. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા ભવ્ય રોડ શો કરતા હોય છે ત્યારે આજે પીએમ મોદી વારાણસીમાં રોડ શો કરવાના છે અને આવતી કાલે તે નામાંકન દાખલ કરાવવાના છે.. 



આ દિગ્ગજ નેતાઓ નામાંકન વખતે રહી શકે છે હાજર 

મળતી માહિતી અનુસાર પાંચ કિલોમીટર લાંબો તેમનો રોડ શો હશે અને રોડ શોને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ગઈ છે... પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રોડ શો કરશે. વારણસીમાં તેઓ રાત્રી રોકાણ કરશે અને આવતી કાલે એટલે કે મંગળવાર સવારે 10.15 વાગે તેઓ કાલ ભૈરવના દર્શન કરશે., 11.40 વાગે પીએમ મોદી ઉમેદવારી ફોર્મ દાખલ કરશે અને આ દરમિયાન ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર હશે તેવી માહિતી સામે આવી છે.. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર પાંડે, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓ હાજર રહેશે તેવી માહિતી સામે આવી છે..



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.