આવતી કાલે PM Modi વારાણસી લોકસભા બેઠક માટે ભરશે ઉમેદવારી ફોર્મ, આજે કરશે શક્તિપ્રદર્શન, રોડ શોને લઈ તડામાર તૈયારીઓ શરૂ


  • Published By :
  • Published Date : 2024-05-13 12:09:18

દેશમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે.. આજે ચોથા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે.. મતદાતાને રિઝવવા માટે મોટી મોટી સભાઓને નેતાઓ ગજવી રહ્યા છે.. અનેક રોડ શો, શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી...   વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...



વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદી લડી રહ્યા છે ચૂંટણી 

દેશમાં આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે..  પીએમ મોદી આવતી કાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે.. વારાણસી લોકસભા બેઠકથી તે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ભાજપના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરતા હોય છે.. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા ભવ્ય રોડ શો કરતા હોય છે ત્યારે આજે પીએમ મોદી વારાણસીમાં રોડ શો કરવાના છે અને આવતી કાલે તે નામાંકન દાખલ કરાવવાના છે.. 



આ દિગ્ગજ નેતાઓ નામાંકન વખતે રહી શકે છે હાજર 

મળતી માહિતી અનુસાર પાંચ કિલોમીટર લાંબો તેમનો રોડ શો હશે અને રોડ શોને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ગઈ છે... પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રોડ શો કરશે. વારણસીમાં તેઓ રાત્રી રોકાણ કરશે અને આવતી કાલે એટલે કે મંગળવાર સવારે 10.15 વાગે તેઓ કાલ ભૈરવના દર્શન કરશે., 11.40 વાગે પીએમ મોદી ઉમેદવારી ફોર્મ દાખલ કરશે અને આ દરમિયાન ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર હશે તેવી માહિતી સામે આવી છે.. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર પાંડે, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓ હાજર રહેશે તેવી માહિતી સામે આવી છે..



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.