આવતી કાલે PM Modi વારાણસી લોકસભા બેઠક માટે ભરશે ઉમેદવારી ફોર્મ, આજે કરશે શક્તિપ્રદર્શન, રોડ શોને લઈ તડામાર તૈયારીઓ શરૂ


  • Published By :
  • Published Date : 2024-05-13 12:09:18

દેશમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે.. આજે ચોથા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે.. મતદાતાને રિઝવવા માટે મોટી મોટી સભાઓને નેતાઓ ગજવી રહ્યા છે.. અનેક રોડ શો, શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી...   વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...



વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદી લડી રહ્યા છે ચૂંટણી 

દેશમાં આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે..  પીએમ મોદી આવતી કાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે.. વારાણસી લોકસભા બેઠકથી તે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ભાજપના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરતા હોય છે.. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા ભવ્ય રોડ શો કરતા હોય છે ત્યારે આજે પીએમ મોદી વારાણસીમાં રોડ શો કરવાના છે અને આવતી કાલે તે નામાંકન દાખલ કરાવવાના છે.. 



આ દિગ્ગજ નેતાઓ નામાંકન વખતે રહી શકે છે હાજર 

મળતી માહિતી અનુસાર પાંચ કિલોમીટર લાંબો તેમનો રોડ શો હશે અને રોડ શોને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ગઈ છે... પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રોડ શો કરશે. વારણસીમાં તેઓ રાત્રી રોકાણ કરશે અને આવતી કાલે એટલે કે મંગળવાર સવારે 10.15 વાગે તેઓ કાલ ભૈરવના દર્શન કરશે., 11.40 વાગે પીએમ મોદી ઉમેદવારી ફોર્મ દાખલ કરશે અને આ દરમિયાન ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર હશે તેવી માહિતી સામે આવી છે.. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર પાંડે, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓ હાજર રહેશે તેવી માહિતી સામે આવી છે..



ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે.

ભારત તેની જરૂરિયાતનું 80% જેટલું ક્રૂડ ઓઇલ ઉપરાંત અન્ય હાઈડ્રોકાર્બન્સ જેમ કે, LPG અને અન્ય સંસાધનો બહારથી આયાત કરે છે. ગોવા ખાતે "ઇન્ડિયા એનર્જી વીક"ની ઉજવણી ચાલી રહી છે. જેમાં USના એક્ટિંગ કોન્સ્યુલ જનરલ માઈક સક્ર્યુડર દ્વારા ભારત અને US વચ્ચે ઉર્જા સહયોગને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત , બંને દેશોના ડેલિગેશન વચ્ચે ઉર્જા વ્યાપારના વધારા , આંતરમાળખાની મજબૂતી પર અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.