આવતી કાલે PM Modi વારાણસી લોકસભા બેઠક માટે ભરશે ઉમેદવારી ફોર્મ, આજે કરશે શક્તિપ્રદર્શન, રોડ શોને લઈ તડામાર તૈયારીઓ શરૂ


  • Published By :
  • Published Date : 2024-05-13 12:09:18

દેશમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે.. આજે ચોથા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે.. મતદાતાને રિઝવવા માટે મોટી મોટી સભાઓને નેતાઓ ગજવી રહ્યા છે.. અનેક રોડ શો, શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી...   વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...



વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદી લડી રહ્યા છે ચૂંટણી 

દેશમાં આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે..  પીએમ મોદી આવતી કાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે.. વારાણસી લોકસભા બેઠકથી તે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ભાજપના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરતા હોય છે.. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા ભવ્ય રોડ શો કરતા હોય છે ત્યારે આજે પીએમ મોદી વારાણસીમાં રોડ શો કરવાના છે અને આવતી કાલે તે નામાંકન દાખલ કરાવવાના છે.. 



આ દિગ્ગજ નેતાઓ નામાંકન વખતે રહી શકે છે હાજર 

મળતી માહિતી અનુસાર પાંચ કિલોમીટર લાંબો તેમનો રોડ શો હશે અને રોડ શોને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ગઈ છે... પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રોડ શો કરશે. વારણસીમાં તેઓ રાત્રી રોકાણ કરશે અને આવતી કાલે એટલે કે મંગળવાર સવારે 10.15 વાગે તેઓ કાલ ભૈરવના દર્શન કરશે., 11.40 વાગે પીએમ મોદી ઉમેદવારી ફોર્મ દાખલ કરશે અને આ દરમિયાન ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર હશે તેવી માહિતી સામે આવી છે.. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર પાંડે, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓ હાજર રહેશે તેવી માહિતી સામે આવી છે..



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.